SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ તર્કરહસ્યદીપિકા ગોસાદશ્યનું પ્રત્યક્ષ ઉપમાન ગણાય છે અને ગો ગત ગવયસાદશ્યનું જ્ઞાન ઉપમાનપ્રમાણનું ફળ ઉપમિતિ છે. દૃષ્ટ કે શ્રુત બે વિરોધી અર્થોનો વિરોધ દૂર કરવા કરવામાં આવતી ત્રીજા અર્થની કે વાક્યની કલ્પના અર્થપત્તિ છે. ઉદાહરણાર્થ, આપણે જોઈએ છીએ કે દેવદત્ત દિવસે ખાતો નથી તેમ છતાં જાડો થઈ ગયો છે. દિવસે ન ખાવું અને જાડા થવું વચ્ચે વિરોધ જણાય છે. આ બે વિરોધી અર્થોનો ખુલાસો ત્યારે જ થઈ શકે કે જો આપણે એ અર્થની કે વાક્યની કલ્પના કરીએ કે તે રાતે ખાય છે. આમ તે રાતે ખાય છે એ જ્ઞાન અર્થપત્તિ પ્રમાણ દ્વારા થયું કહેવાય. ભૂતલને જોઈ ભૂતલ ઉપર ઘટ ન હોવાનું જે જ્ઞાન થાય છે તે અભાવ પ્રમાણ દ્વારા થાય છે. ઘટના અભાવનું પ્રત્યક્ષ તો શક્ય નથી કારણ કે અભાવ સાથે ઇન્દ્રિયનો સંયોગ સંભવતો નથી. ઘટાભાવનું જ્ઞાન આ રીતે થાય છે – પહેલાં ભૂતલનું પ્રત્યક્ષ થાય છે, પછી ઘટ જે ઘટાભાવનો પ્રતિયોગી છે તેનું સ્મરણ થાય છે અને પછી ઇન્દ્રિયની અપેક્ષા વિના કેવળ મન દ્વારા ઘટાભાવનું માનસ જ્ઞાન થાય છે અને તે માનસ જ્ઞાન અભાવ પ્રમાણ છે. | મીમાંસા સર્વજ્ઞત્વનો નિષેધ કરે છે, કર્મ અને ફળ વચ્ચે કડીરૂપ અપૂર્વને માને છે, શબ્દને નિત્ય માને છે અને વેદને અપૌરુષેય ગણે છે. (૧૪) શાંકર કેવલાદ્વૈત વેદાન્ત બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે એવો શાંકર અદ્વૈતનો સિદ્ધાન્ત છે. બધાં કાર્યો માયિક છે, અવિદ્યાજન્ય છે. કાર્યો માયિક હોય એટલે તેમનું ઉપાદાનકારણ માયા યા અવિદ્યા જ હોય. જે પરમ સત છે તે તો એક માત્ર બ્રહ્મ છે. તે પરમ સત્ બ્રહ્મના અધિષ્ઠાન ઉપર અવિદ્યા માયિક જગતરૂપે પ્રગટ થાય છે. આ માયિક જગતને બ્રહ્મના વિવર્તરૂપ - પરિણામરૂપ નહિ – માનવામાં આવે છે. સામાન્ય ભ્રમજ્ઞાનનું દષ્ટાન્ત લઈ શાંકર સિદ્ધાન્ત સમજીએ. આપણને દોરડીમાં સાપનું બ્રાન્ત જ્ઞાન થાય છે. અહીં ભ્રાન્ત સાપનું ઉપાદાનકારણ દોરડી નથી, તેનું ઉપાદાનકારણ તો આપણું અજ્ઞાન છે, આપણી અવિદ્યા છે,દોરડી ઉપાદાનકારણ ન હોવા છતાં તે જો ત્યાં ન હોત તો ભ્રાન્ત સાપને આપણું અજ્ઞાન ત્યાં ઉપજાવી શક્યું ન હોત, આપણા અજ્ઞાનને ભ્રાન્ત સાપ ઉપજાવવા માટે યોગ્ય અધિષ્ઠાનની જરૂર છે. એટલે પ્રસ્તુત દૃષ્ટાન્તમાં દોરડી એ ભ્રાન્ત ૧. સીશ્યનોત્યં જ્ઞાન જાણ્યવષયકુમાનમ્ પ્રકરણપંચિકા, પૃ ૧૧૦ २, ना तावदिन्द्रियेणैषा नास्तीत्युत्पाद्ये मतिः । भावांशेनैव संयोगो योग्यत्वादिन्द्रियस्य हि || गृहीत्वा વસ્તુHદ્ધવં મૃત્વા પ્રતિf1નમ્ | માનતું નતિલાસા ના તૈડાયા | શ્લોકવાર્તિક, અભાવ, શ્લોક ૧૮, ૨૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy