SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ તર્કરહસ્યદીપિકા ૧૨. વિતંડા–પૂર્વોક્ત જલ્પ જ જ્યારે પોતાના પક્ષની સ્થાપના નહિ પણ કેવળ પરપક્ષનું ખંડન જ કરે છે ત્યારે તે વિતંડા કહેવાય છે. ૧૩. હેત્વાભાસ – સાધ્યનો હેતુ ન હોવા છતાં જે હેતુ જેવો જણાય છે તે હેત્વાભાસ છે. તેનામાં સદ્ધતુના પાંચ લક્ષણોમાંથી કોઈને કોઈ લક્ષણનો અભાવ હોય છે. ૧૪. છલ – વક્તાને અભિપ્રેત અર્થથી શબ્દનો બીજો જ અર્થ કરી તેના વચનને તોડવું તે છલ છે. ૧૫. જાતિ – ઉદાહરણના સાધ્ય સાથેના સાધર્મ કે વૈધર્મ દ્વારા દોષ બતાવવો એ જાતિ છે. ૧૬. નિગ્રહસ્થાન – કોઈ વાક્યસંદર્ભમાં વાદી કે પ્રતિવાદીનું અજ્ઞાન યા વિપરીત જ્ઞાન પ્રકટ થાય તો તે પરાજિત ગણાય છે, નિગૃહીત ગણાય છે. આવાં પરાજયનાં સ્થાનોને નિગ્રહસ્થાનો કહેવામાં આવે છે. ઈશ્વર – ન્યાયસૂત્રમાં જે ત્રણ સૂત્રો ઈશ્વરવિષયક છે તેમાં પુરુષકર્મ અને કર્મફળની બાબતમાં ઈશ્વરનું શું કાર્ય છે એ જણાવ્યું છે, અને ઈશ્વરથી સૂત્રકારને જીવન્મુક્ત અભિપ્રેત જણાય છે. ભાષ્યકાર પણ કહે છે કે અધર્મ, મિથ્યાજ્ઞાન અને પ્રમાદનો નાશ કરી ધર્મ, જ્ઞાન અને સમાધિસંપદા પ્રાપ્ત કરનાર ઈશ્વર છે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે ભાષ્યકાર વાત્સ્યાયનને મતે જીવન્મુક્ત જ ઈશ્વર છે. જગત્કર્તા નિત્યમુક્ત ઈશ્વરની માન્યતાનો પ્રવેશ ન્યાયદર્શનમાં ઈ.સ.ની છઠ્ઠી શતાબ્દીમાં થયો (૧૩) મીમાંસાદર્શન મીમાંસાદર્શનની મુખ્ય બે શાખા છે – કુમાલિની અને પ્રભાકરની. પ્રભાકર આઠ પદાર્થો માને છે – દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતત્રતા, શક્તિ, સાદશ્ય અને સંખ્યા. દ્રવ્ય, ગુણ અને કર્મનું સ્વરૂપવર્ણન વૈશેષિકોએ આપેલા તેમના સ્વરૂપવર્ણન જેવું જ છે. પરંતત્રતા વૈશેષિકોના સમવાય જેવો પદાર્થ છે પણ તે નિત્ય નથી. દરેક વસ્તુમાં પોતપોતાની શક્તિ હોય છે, આ શક્તિના કારણે તે પોતાનું કાર્ય કરી શકે છે. અગ્નિમાં દાહકતાશક્તિ છે એટલે તે બાળે છે. કુમારિલ પદાર્થના મુખ્ય બે પ્રકાર માને છે–ભાવ અને અભાવ. ભાવ પદાર્થો દ્રવ્ય, ગુણ, કર્મ અને સામાન્ય છે. १. अधर्म-मिथ्याज्ञान-प्रमादहान्या धर्म-ज्ञान-समाधिसम्पदा च विशिष्टमात्मान्तरमीश्वरः । ન્યાયભાષ્ય, ૪.૧.ર૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy