SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ તર્કરહસ્યદીપિકા નાસ્તિત્વરૂપે પરપર્યાયો રહેલા છે, એટલે પ્રત્યેક વસ્તુ સ્વપર્યયાત્મક પણ છે અને પરપર્યાયાત્મક પણ છે, તેથી અમે પ્રત્યેક વસ્તુને (અર્થાત્ બધી વસ્તુઓને) સર્વાત્મક માનીએ છીએ. જિગતની બધી વસ્તુઓ કેટલાક પદાર્થો સાથે સ્વપર્યાયરૂપથી અને કેટલાક પદાર્થો સાથે પરપર્યાયરૂપથી સંબંધ ધરાવે છે, તેથી કોઈ સાથે અસ્તિત્વરૂપ અને કોઈ સાથે નાસ્તિત્વરૂપ સંબંધ હોવાથી બધી વસ્તુઓ સર્વાત્મક મનાય છે.] અન્યથા વસ્તુસ્વરૂપ જ ન ઘટે. જિલનો પોતાની શીતલતા આદિ સાથે સ્વપર્યાયરૂપથી અસ્તિત્વાત્મક સંબંધ છે તો અગ્નિ આદિ સાથે પરપર્યાયરૂપથી નાસ્તિત્વાત્મક સંબંધ તો છે જ.] _398. ત્રિ, મૂતવિષ્યીત્યા નરિમાપૂના િમૂતમવિલ્લિ-િ णामापेक्षया वह्निरूपताप्यस्त्येव । तथा तप्तोदके कथंचिद्वह्निरूपतापि जलस्याङ्गीक्रियत एव । प्रत्यक्षादिबुद्धौ प्रतिभासमानयोः सत्त्वासत्त्वयोः का नाम प्रमाणबाधा । न हि दृष्टेऽनुपपन्नं नाम, अन्यथा सर्वत्रापि तत्प्रसङ्गः। प्रमाणप्रसिद्धस्य च नाभावः कल्पयितुं शक्यः, अतिप्रसङ्गात्, प्रमाणादिव्यवहारविलोपश्च स्यादिति । [398. [પુદ્ગલ દ્રવ્યનાં વિચિત્ર પરિણમનો થતાં રહે છે. જે પરમાણુઓ આજ જલરૂપ છે સંભવ છે કે તેઓ ઘડી બાદ આગરૂપ યા હવારૂપ બની જાય. તેમનો સદા જલરૂપમાં જ કે અગ્નિરૂપમાં જ રહેવાનો નિયમ નથી. તેથી ઘણો બધો સંભવ છે કે આ જ અગ્નિના પરમાણુઓ જે આજ જલ છે તેઓ પહેલાં અગ્નિરૂપ રહ્યા હોય ત્યા આગળ ભવિષ્યમાં અગ્નિરૂપે પરિણત થાય. તેથી ભૂત અને ભવિષ્યત્ અગ્નિપર્યાયની અપેક્ષાએ જલને પણ અગ્નિરૂપ કહી શકાય. વળી, ગરમ જલમાં તો કથંચિત અગ્નિરૂપતા માનવામાં આવે છે જ. જ્યારે એક વસ્તુના સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મો પ્રત્યક્ષબુદ્ધિમાં સ્પષ્ટરૂપે પ્રતિભાસિત થાય છે ત્યારે તેમાં પ્રમાણબાધાની આપત્તિ કેવી રીતે આવી શકે? પ્રત્યક્ષસિદ્ધ પદાર્થમાં અનુપપત્તિ (અઘટમાનતા) કેવી? અન્યથા બધા જ પદાર્થોની બાબતમાં વિવાદ રહે, અનુપપત્તિ જ રહે. અને પ્રમાણસિદ્ધ વસ્તુનો અભાવ પણ ન કલ્પી શકાય. અન્યથા જગતના બધા પદાર્થોનો અભાવ જ થઈ જાય અને બધા વ્યવહારોનો લોપ થઈ જાય. (399. તેને થયુતે “અને તે પ્રમાણમાં સર્વોચ્ચसर्वज्ञः सिद्धोऽप्यसिद्धः' इत्यादि तदप्यक्षरगुणनिकामात्रमेव; यतः प्रमाणमपि स्वविषये प्रमाणं परविषये चाप्रमाणमिति स्याद्वादिभिर्मन्यत एव । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy