SearchBrowseAboutContactDonate
Page Preview
Page 614
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૫૨૩ આપેલો જણાય છે જે ગુરુની પાસે ક ખ પણ ન ભણી હોય. સત્ત્વ અને અસત્ત્વ તો વસ્તુના ધર્મો છે અને ધર્મોમાં ધર્મો હોતા નથી એટલું જ્ઞાન પણ તેને નથી. કહ્યું પણ છે કે “ધર્મોને ધર્મો નથી હોતા, ધર્મો નિધર્મ હોય છે.” “ધર્મ ધર્મરૂપ જ છે એમ માનવામાં અનેકાન્તવાદની હાનિ થઈ શકતી નથી કેમ કે અનેકાન્ત સાચા એકાન્તનો અવિનાભાવી હોય છે. જો સમ્યગુ એકાન્ત ન હોય તો તેમનો સમુદાયરૂપ સમ્યક અનેકાન્ત ન જ બની શકે. નયની દષ્ટિએ એકાત્તનો તથા પ્રમાણની દૃષ્ટિએ અનેકાન્તનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જો એકાન્ત અર્થાત વસ્તુનો એક ધર્મ બીજા ધર્મોની અપેક્ષા રાખે, તેમનું નિરાકરણ યા તેમનો નિષેધ ન કરે તો તે સાચો એકાત્ત છે, તે સુનયનો વિષય છે. જે એકાત્ત અન્ય ધર્મોનું નિરાકરણ કરે છે તે મિથ્યા એકાન્ત છે અને તે દુર્નયનો વિષય છે. સમ્યગૂ એકાન્તોના સમુદાયને જ અનેકાન્ત અર્થાત્ અનેકધર્માત્મક વસ્તુ કહેવામાં આવે છે. આ અનેકાન્તાત્મક વસ્તુ પ્રમાણનો વિષય છે. પ્રત્યક્ષ અને અનુમાન દ્વારા ઉક્ત વ્યવસ્થામાં કોઈ બાધા તો આવતી જ નથી, ઊલટું આ પ્રત્યક્ષ અને અનુમાન તો આ અનેકાન્તના સાધક છે. 392. વિંવ, પ્રમાળિયા સર્વોપ સલ્તીસર્વાના મવા न च तत्र कश्चनापि दोषः । ननूक्तमनवस्थेति चेत्, न, यतः साप्यनेकान्तस्य भूषणं न दूषणं, अमूलक्षि( क्ष)तिकारित्वेन प्रत्युतानेकान्तस्योद्दीपकत्वात्, मूलक्षिा क्ष)तिकरी ह्यनवस्था दूषणम् । यदुक्तम् "मूलक्षि(क्ष)तिकरीमाहुरनवस्थां हि दूषणम् । वस्त्वानन्त्येऽप्यशक्तौ च नानवस्थापि(स्था वि)वार्यते ॥१॥" 392. પ્રમાણની દૃષ્ટિએ સત્ત્વ પણ વસ્તુથી અભિન્ન હોવાના કારણે વસ્તુરૂપ બની જાય છે, તેથી તેમાં પણ સત્ત્વ અને અસત્ત્વની કલ્પના તમે ખુશીથી કરો, અમને તેમાં કોઈ આપત્તિ નથી અને ન તો તેમાં કોઈ દોષ છે. આ પરિસ્થિતિમાં તો અનવસ્થાની વાત કરવી પણ નિરર્થક જ છે કેમ કે આવી અનવસ્થા અર્થાત્ અનન્ત ધર્મોની કલ્પના તો અનેકાન્તની સાધક હોવાથી અનેકાન્તના ભૂષણરૂપ છે, દૂષણરૂપ નથી. આ અનન્તધર્મકલ્પનારૂપ અનવસ્થા તો મૂલવસ્તુનો (અહીં અનેકાન્તનો) નાશ ન કરતાં ઊલટી અનેકાન્તનું ઉદ્દીપન જ કરે છે, તેનાથી તો અનેકાન્તની પુષ્ટિ થાય છે. જ્યાં મૂલવસ્તુનો લોપ થતો હોય ત્યાં જ અનવસ્થા દૂષણરૂપ છે. કહ્યું પણ છે, અનવસ્થા દૂષણ મૂલવસ્તુની ક્ષતિ કરનારું હોય છે, તેનાથી મૂલવસ્તુનો લોપ થઈ જાય છે. પરંતુ જયાં વસ્તુની અનન્તરૂપતા હોવાના કારણે આપણી બુદ્ધિ થાકી જાય, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy