SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ તર્કરહસ્યદીપિકા પદાર્થો છે તો એક વસ્તુમાં કેવી રીતે રહી શકે?, એક વસ્તુ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક અર્થાત ચાત્મક કેવી રીતે હોઈ શકે? જો તેઓ પરસ્પર ભિન્ન ન હોય અર્થાત એક હોય તો પછી એક વસ્તુમાં ત્રણ ધર્મ છે એમ કેવી રીતે કહી શકાય? ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય ત્રણે મળીને જયારે એક જ થઈ ગયા, તેમનું ત્રિત્વ જ રહ્યું નહિ, ત્યારે વસ્તુ એકાત્મક જ થઈ, ત્રયાત્મક ન રહી. જૈન ઉત્તર– તમારી શંકા અયોગ્ય છે, કેમ કે ઉત્પાદ આદિનાં લક્ષણો ભિન્ન છે એટલે તેમનો કથંચિત ભેદ અમે સ્વીકાર્યો છે, અમે સર્વથા ભેદસ્વીકારતા નથી. તે ઉત્પાદાદિ કદી પણ વસ્તુથી ભિન્ન યા પૃથક ઉપલબ્ધ નથી થતા તેમ જ તેઓ પરસ્પર ભિન્ન અર્થાતુ પૃથકુ પણ ઉપલબ્ધ નથી થતા, એક વસ્તુના ઉત્પાદ આદિને બીજી વસ્તુમાં લઈ જઈ શકાતા નથી કે તેમને એકબીજાથી અલગ કરી શકાતા નથી, તેથી તેઓ અભિન્ન છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય પરસ્પર ભિન્ન છે કેમ કે તેમનાં લક્ષણો ભિન્ન છે. જેમ રૂપ, રસ આદિનાં લક્ષણો ભિન્ન ભિન્ન હોવાથી તેમનામાં પરસ્પર ભેદ છે તેમ લક્ષણભેદે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યમાં પણ ભેદ છે. ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યનો લક્ષણભેદ અસિદ્ધ નથી કેમ કે તેમનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. જે પહેલાં ન હોય અર્થાત અસત્ હોય તેને સ્વરૂપલાભ થવો એ ઉત્પાદ છે. વિદ્યમાનનું અસ્તિત્વમાંથી શ્રુત થવું . – અસ્તિત્વનો વિયોગ થવો એ વ્યય યા વિનાશ છે. આ ઉત્પાદ અને વિનાશ થવા છતાં પણ દ્રવ્યરૂપે અન્વયે રહેવો એ ધ્રૌવ્ય છે. આ રીતે ઉત્પાદાદિનાં અસાધારણ લક્ષણો સૌના અનુભવમાં આવે છે. આ ઉત્પાદાદિ લક્ષણભેદથી કથંચિત ભિન્ન હોવા છતાં પણ પરસ્પર સાપેક્ષ છે, એકબીજાની અપેક્ષા રાખે છે. તેઓ પરસ્પર નિરપેક્ષ રહીને અત્યન્ન ભિન્ન નથી. જો તેઓ પરસ્પર નિરપેક્ષ અને અત્યન્ત ભિન્ન હોય તો તેમનો ગધેડાનાં શિંગડાંની જેમ અભાવ જ થઈ જાય. જેમ એકલો ઉત્પાદ સતુ નથી કેમ કે તે સ્થિતિ અને વિનાશથી રહિત છે, જેમ કે કાચબાનાં રૂંવાડાં. એકલો વિનાશ પણ સત નથી કેમ કે તે ઉત્પત્તિ અને સ્થિતિથી રહિત છે, જેમ કે કાચબાનાં રૂંવાડાં. એકલી સ્થિતિ પણ સતું નથી કેમ કે તે ઉત્પાદ અને વિનાશથી રહિત છે, જેમ કે કાચબાનાં રૂંવાડાં. આ રીતે પરસ્પર સાપેક્ષ જ ઉત્પાદાદિ સતુ હોઈ શકે છે તથા વસ્તુમાં પણ તેમની પરસ્પર સાપેક્ષ જ સત્તા છે. વાત એમ છે કે ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ આ ત્રણેયથી યુક્ત જ વસ્તુ સત્ હોય છે. જો ઉત્પાદ આદિ વિનાશ આદિ ધર્મોથી રહિત બની જાય તો તે ઉત્પાદાદિ સત હોઈ શકે જ નહિ. આમ ઉત્પાદાદિ પરસ્પર સાપેક્ષ હોવાથી વસ્તુ ત્રયાત્મક સિદ્ધ થઈ જાય છે. [ઉત્પાદાદિને એકબીજાથી અલગ યા પૃથફ કરી શકાતા જ નથી. જ્યાં એક હોય ત્યાં બીજા બે હોવાના જ. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy