SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૪ તર્કરહસ્યદીપિકા विरुद्धः, सत्यप्रत्यभिज्ञानत्वात् । "सर्वव्यक्तिषु नियतं क्षणे क्षणेऽन्यत्वमथ च न विशेषः । सत्योश्चित्यपचित्योराकृतिजातिव्यवस्थानात् ॥" ] રૂતિ વાન્ ા 371. શંકા વાળ કપાવતી વખતે વાળને અને નખને કપાવી નાખીએ છીએ. તેમની જગાએ નવા વાળ અને નખ ઊગી નીકળે છે. આ રીતે વાળ અને નખની બાબતમાં ઉત્પાદ અને વિનાશ તો સ્પષ્ટપણે અનુભવસિદ્ધ છે, પરંતુ “આ તે જ વાળ છે, આ તે જ નખ છે એ જાતનો અન્વય તો વાળ અને નખની બાબતમાં પણ થાય છે. તેથી અવયના બળે ઉત્પાદ અને વ્યયનો નિષેધ કરવો ઉચિત નથી. આપણે જોયું તેમ વાળ અને નખનો અન્વય હોવા છતાં તેમનો ઉત્પાદ અને નાશ પણ છે. અન્વય સાથે ઉત્પાદ-વિનાશ જતા હોવાથી દ્રવ્યમાં એકલો અન્વય માનતાં વ્યભિચારદોષ આવે છે. દ્રવ્યમાં અન્વય જ હોય છે, ઉત્પાદ અને વિનાશ હોતાં નથી એ જે તમે કહ્યું તે યોગ્ય નથી. એનો વાળ અને નખના દષ્ટાન્તમાં વ્યભિચારદોષ સ્પષ્ટ છે, ત્યાં અન્વય પણ છે અને ઉત્પાદ-વિનાશ પણ છે.] જૈન ઉત્તર- તમે અમારા હેતુ પર ધ્યાન આપ્યું નથી. અમે “પરિફુટ અન્વય'ને હેત તરીકે પ્રસ્તુત કરેલ છે. જે અન્વયે કોઈ પણ પ્રમાણથી બાધિત ન થાય તે પરિસ્કટ અન્વય' કહેવાય છે અને જે અન્વય પ્રમાણથી બાધિત થાય તે અપરિફુટ અન્વય છે. કપાઈ ગયા પછી ફરી ઊગી નીકળેલા વાળ યા નખોનો અન્વય પ્રમાણથી બાધિત છે. ત્યાં તો સદેશ વાળ અને નખોમાં “આ તે જ છે' એવું એકત્વનું જ્ઞાન કરાવનારો જૂઠો અન્વય છે. પરંતુ પૃથ્વી આદિમાં દ્રવ્યરૂપે પ્રાપ્ત થતો અન્વય કોઈ પણ પ્રમાણથી બાધિત નથી. સત્ય પ્રત્યભિજ્ઞાન દ્વારા “આ તે જ પુગલ છે' ઇત્યાદિ અન્વય નિબંધપણે અનુભવમાં આવે છે. કહ્યું પણ છે, “બધા પદાર્થો નિયમથી પ્રતિક્ષણ પરિવર્તન પામે જ છે, તેઓ જેવા પ્રથમ ક્ષણે હતા તેવા જ બીજા ક્ષણે નથી રહેતા. આ પ્રતિક્ષણ પરિવર્તન પામવા છતાં તેઓનો સર્વથા ભેદ યા વિનાશ થતો નથી. ઉપચય અને અપચય થવા છતાં આકૃતિ, જાતિ યા દ્રવ્ય એનું એ જ રહે છે.' [ ]. _372. તો દ્રવ્યાત્મના સર્વચ વસ્તુનઃ સ્થિતિવ, પર્યાયાત્મના તુ સર્વ वस्तूत्पद्यते विपद्यते वा, अस्खलितपर्यायानुभवसद्भावात् । न चैवं शुक्ले शो पीतादिपर्यायानुभवेन व्यभिचारः, तस्य स्खलदूपत्वात्, न खलु सोऽस्खलद्रूपो, येन पूर्वाकारविनाशोऽजूहद्वृत्तोत्तराकारोपादानाविनाभावी Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy