SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૭૯ રહે છે' એ રૂપમાં જયારે આકાશ (સમગ્ર આકાશ) સ્વપર્યાય બની જાય ત્યારે પરપર્યાય કંઈ પણ ન રહે.] ઘડો ત્રિલોકવર્તી છે પરંતુ તે રહે છે તો મધ્યલોકમાં, સ્વર્ગ કે નરકમાં રહેતો નથી, તેથી મધ્યલોકની દષ્ટિએ સત છે તથા ઊર્ધ્વ અને અધોલોકની દષ્ટિએ અસત્ છે. ઘડો મધ્યલોકવર્તી છે પણ રહે છે તો જમ્બુદ્વીપમાં, તેથી જમ્બુદ્વીપમાં રહેનાર રૂપે સત્ છે તથા અન્ય દ્વીપો આદિમાં રહેનારરૂપે અસત્ છે. જમ્બુદ્વીપમાં પણ તે ભરતક્ષેત્રમાં રહે છે, વિદેહ આદિ ક્ષેત્રોમાં રહેતો નથી, તેથી ભરતક્ષેત્રમાં રહેનાર રૂપે સત્ છે તથા વિદેહ આદિ ક્ષેત્રોમાં રહેનારરૂપે અસત્ છે. ભરતક્ષેત્રમાં પણ તે પટનામાં રહે છે, તેથી પટનામાં રહેનારરૂપે સત છે અને અન્ય સ્થાનોમાં રહેનારરૂપે અસત્ છે. પટનામાં પણ દેવદત્તના ઘરમાં તે છે, તેથી દેવદત્તના ઘરમાં હોવાની દષ્ટિએ તે સત્ છે પણ અન્ય ઘરોમાં હોવાની દૃષ્ટિએ તે અસતુ છે. દેવદત્તના ઘરમાં તે એક ખૂણામાં છે, તેથી તે ખૂણામાં હોવાની દૃષ્ટિએ ઘડો સત છે પરંતુ ઘરના અન્ય ભાગોમાં હોવાની દષ્ટિએ તે અસત્ છે. ખૂણામાં પણ જે આકાશપ્રદેશોમાં તે છે તે આકાશપ્રદેશોમાં હોવાની દૃષ્ટિએ તે સત છે પરંતુ અન્ય આકાશપ્રદેશોમાં હોવાની દષ્ટિએ તે અસત છે. આ રીતે યથાસંભવ અન્ય પ્રકારે પણ સત-અસતનો વિચાર કરવો જોઈએ. જેમની અપેક્ષાએ અસ્તિત્વનો વિચાર કરવામાં આવે છે તે સ્વપર્યાયો છે અને જેમની અપેક્ષાએ નાસ્તિત્વનો વિચાર થાય છે તે પરપર્યાયો છે. ક્ષેત્રતઃ સ્વપર્યાયો થોડા છે, પરંતુ પરપર્યાયો અસંખ્ય છે કેમ કે લોકના અસંખ્ય પ્રદેશો છે. અથવા મનુષ્યલોકવર્તી ઘડો અન્ય અનન્ત ક્ષેત્રોથી (પ્રદેશોથી) વ્યાવૃત્ત છે, તેથી સમસ્ત આકાશના અનન્ત પ્રદેશો અનન્ત પરપર્યાયો હોઈ શકે છે. આમ ક્ષેત્રની અપેક્ષાએ પરપર્યાયો અનન્ત હોઈ શકે છે. દેવદત્તના ઘરમાં રહેલો ઘડો પણ ઘરની બહારના અનન્ત આકાશપ્રદેશોમાં રહેલો નથી, તેથી તેના પરપર્યાયો અનન્ત હોઈ શકે છે. ____333. कालतस्तु नित्यतया स स्वद्रव्येणावर्तत वर्तते वर्तिष्यते च ततो न कुतोऽपि व्यावर्त्तते । स चैदंयुगीनत्वेन विवक्ष्यमाणस्तदूपत्वेनास्ति न त्वतीतानागतादियुगवर्तित्वेन । अस्मिन् युगेऽपि स ऐषमस्त्यवर्षतयास्ति न पुनरतीतादिवर्षत्वादिना । ऐषमस्त्योऽपि स वासन्तिकतयास्ति न पुनरन्यतुनिष्पन्नतया । तत्रापि नवत्वेन विद्यते न पुनः पुराणत्वेन । तत्राप्यद्यतनत्वेनास्ति न पुनरनद्यतनत्वेन । तत्रापि वर्तमानक्षणतयास्ति न पुनरन्यक्षणतया । एवं कालतोऽसंख्येया: स्वपर्यायाः, एकस्य द्रव्यस्यासंख्यकालस्थितिकत्वात् । अनन्तकालवर्तित्वविवक्षायां तु तेऽनन्ता अपि वाच्याः । परपर्यायास्तु विवक्षितकालादन्यकालवर्तिद्रव्येभ्यो अनन्तेभ्यो व्यावृत्तत्वे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy