SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૪૭૭ નથી. તે પોતાની વિદ્યમાનતાના સમયમાં છે, અતીત (ઉત્પત્તિ પૂર્વે) કે અનાગત (નાશ પછી) સમયમાં નથી. તે સાંકડા મોઢાવાળો અને ચપટો છે, પહોળા મોઢાવાળો અને ગોળ નથી. જે વખતે તે ઘડાનો સત્ત્વ, જ્ઞેયત્વ યા પ્રમેયત્વ વગેરે સામાન્ય ધર્મોની દૃષ્ટિએ આપણે વિચાર કરીએ છીએ ત્યારે તે સત્ત્વ આદિ સામાન્ય ધર્મો ઘડાના સ્વપર્યાય જ છે, તે સમયે તેમાંનો કોઈ ધર્મ ૫૨૫ર્યાય નથી, કેમ કે સત્, જ્ઞેય અને પ્રમેય કહેતાં બધી જ વસ્તુઓનું ગ્રહણ થઈ જાય છે. સત્ની દિષ્ટએ તો ઘટ પટ આદિ અચેતન તથા મનુષ્ય, પશુ આદિ ચેતનમાં કોઈ જ ભેદ નથી. જડ-ચેતન બધી જ વસ્તુઓ સત્ની અપેક્ષાએ સજાતીય છે, કોઈ વિજાતીય નથી જેનાથી વ્યાવૃત્તિ કરાય. તેથી ઘડાનો સત્, શેય, પ્રમેય આદિ સામાન્યદૃષ્ટિએ વિચાર કરતાં બધી જ વસ્તુઓ સત્, જ્ઞેય, પ્રમેય આદિ રૂપે ઘડાના સ્વપર્યાયો ફલિત થાય છે, બધી જ વસ્તુઓ સજાતીય છે તો ઘડાની કોનાથી વ્યાવૃત્તિ કરાય ? વ્યાવૃત્તિ તો વિજાતીયથી કરાય. સત્, શેય, પ્રમેય આદિની દૃષ્ટિએ તો ઘડાની વિજાતીય વસ્તુઓ કોઈ છે જ નહિ. જ્યારે પુદ્ગલ દ્રવ્યની દૃષ્ટિએ ઘડાનો વિચાર કરીએ છીએ ત્યારે ઘડો પુદ્ગલ દ્રવ્યની દૃષ્ટિએ સત્ છે પરંતુ ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય, આકાશદ્રવ્ય આદિ દ્રવ્યોની ષ્ટિએ અસત્ છે. પૌલિક ઘડાનું પૌદ્ગલિકત્વ જ તેનો સ્વપર્યાય છે તથા જે ધર્મ, અધર્મ, આકાશ અને અનન્ત જીવ દ્રવ્યોથી ઘડો વ્યાવૃત્ત થાય તે બધા અનન્ત ૫૨ પદાર્થો પરપર્યાયો છે. ઘડો પૌદ્ગલિક છે, ધર્મ આદિ દ્રવ્યરૂપ નથી. ઘડો પુદ્ગલ હોવા છતાં પણ પાર્થિવ છે, માટીનો બનેલો છે, જલ, આગ કે વાયુ આદિથી બનેલો નથી. તેથી પાર્થિવત્વ ઘડાનો સ્વપર્યાય છે તથા જલ આદિ અનન્ત દ્રવ્યો પ૨પર્યાયો છે જેમનાથી ઘડો વ્યાવૃત્ત છે. આ જ રીતે આગળ પણ જે રૂપે ઘડાની સત્તા હોય તેને સ્વપર્યાય અને જેનાથી ઘડો વ્યાવૃત્ત થતો હોય તે પરપર્યાય એમ સમજી લેવું જોઈએ. ઘડો પાર્થિવ હોવા છતાં તે ધાતુનો બનેલો છે, માટી કે પથ્થરનો બનેલો નથી, તેથી તે ધાતુરૂપે સત્ છે પણ માટી કે પથ્થર આદિ અનન્તરૂપે અસત્ છે. ઘડો ધાતુનો બનેલો હોવા છતાં તે સુવર્ણનો બનેલો છે પરંતુ ચાંદી, પિત્તળ, તાંબુ આદિનો બનેલો નથી, તેથી સુવર્ણરૂપે સત્ છે પણ ચાંદી, પિત્તળ આદિ સેંકડો ધાતુઓની ષ્ટિએ અસત્ છે. સુવર્ણનો હોવા છતાં તે શુદ્ધ કરાયેલા સુવર્ણનો છે પણ અશુદ્ધ સુવર્ણનો નથી, તેથી શુદ્ધ સુવર્ણની દૃષ્ટિએ સત્ છે પણ અશુદ્ધ સુવર્ણ આદિની દૃષ્ટિએ અસત્ છે. તે શુદ્ધ સુવર્ણનો હોવા છતાં પણ દેવદત્તે ઘડેલો છે, યજ્ઞદત્ત આદિએ ઘડેલો નથી, તેથી દેવદત્તે ઘડેલા સુવર્ણની દૃષ્ટિએ સત્ છે પણ યજ્ઞદત્ત આદિ સોનીએ ઘડેલા સોનાની ષ્ટિએ અસત્ છે. દેવદત્તે ઘડેલો સુવર્ણનો ઘડો હોવા છતાં સાંકડા મોઢાવાળો અને વચ્ચેથી પહોળો એવા આકારવાળો છે, મુકુટ આદિના આકારવાળા નથી, તેથી સાંકડા મોઢાવાળા અને વચ્ચેથી પહોળા આકારની દૃષ્ટિએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy