SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ તર્કરહસ્યદીપિકા કાર્યને કેવી રીતે ઉત્પન્ન કરી શકે ? બીજા પક્ષમાં અભાવ પર્યુદાસરૂપે તદન્યજ્ઞાનરૂપ જ છે અને તેથી પ્રત્યક્ષ છે. ‘ભૂતલ ઉપર ઘટાભાવ છે.’ અહીં ઘટાભાવનો અર્થ છે ઘટથી અન્ય કેવલ ભૂતલ. ઘડાથી અન્ય ભૂતલાદિનું જ્ઞાન પ્રત્યક્ષથી થાય છે. જ્યારે પ્રત્યક્ષથી ઘડાથી રહિત શુદ્ધ ભૂતલનું જ્ઞાન થઈ જાય છે ત્યારે પ્રત્યક્ષથી અતિરિક્ત અભાવપ્રમાણ માનવાની આવશ્યકતા જ ક્યાં છે ? ક્યારેક ‘આ તે જ ભૂતલ આજ ઘટરહિત છે જેમાં કાલે ઘડો હતો' આ જાતનું અભાવજ્ઞાન પ્રત્યભિજ્ઞાથી થાય છે. ક્યારેક ‘જે અગ્નિવાળો નથી તે ધૂમવાળો પણ નથી' આ સાર્વત્રિક અગ્નિ અને ધૂમના અભાવનું જ્ઞાન તર્કથી થાય છે. ક્યારેક ‘અહીં ધૂમ નથી કેમ કે અગ્નિ નથી’ આ ધૂમાભાવનું જ્ઞાન અનુમાનથી થાય છે. ક્યારેક ‘ગર્ગ ઘરમાં નથી’ આ આપ્તવાક્યથી ઘરમાં ગર્ગના અભાવનું જે જ્ઞાન થાય છે તે આગમપ્રમાણથી થાય છે. આમ યથાસંભવ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી જ જ્યારે અભાવનું જ્ઞાન થઈ જાય છે ત્યારે અભાવ પ્રમાણની શું આવશ્યકતા છે ? તે શું ગ્રહણ કરવા પ્રવૃત્ત થશે ? ત્રીજા પક્ષમાં અભાવ પ્રમાણનું જ્ઞાનનિર્યુક્ત આત્માવાળું રૂપ (યા પ્રકાર) તો સંભવતું જ નથી કેમ કે જો આત્મામાં બિલકુલ જ્ઞાન જ ન હોય તો તેને વસ્તુના અભાવનું જ્ઞાન શેનાથી થશે ? અભાવ હોય કે સદ્ભાવ, બન્નેને જાણવાનું કાર્ય તો જ્ઞાન જ કરે છે. જો આત્મા અભાવને જાણતો હોય તો તે જ્ઞાનવિનિમુક્ત અર્થાત્ જ્ઞાનશૂન્ય ન કહેવાય. આમ અભાવ પ્રમાણ સ્વતન્ત્ર પ્રમાણ નથી, તે યથાસંભવ પ્રત્યક્ષાદિમાં સમાવિષ્ટ છે. [‘આકાશકુસુમ નથી’, ‘શશશૃંગ નથી’. અહીં આકાશકુસુમનો અને શશશૃંગનો પ્રતિષેધ પ્રસયપ્રતિષેધ કહેવાય છે. ‘અબ્રાહ્મણો આવ્યા છે'. અહીં અબ્રાહ્મણનો અર્થ બ્રાહ્મણોનો કેવલ અભાવ નથી પરંતુ બ્રાહ્મણેતર છે. આ પર્યાદાસપ્રતિષેધ છે.] 315. संभवोऽपि समुदायेन समुदायिनोऽवगम इत्येवंलक्षणः संभवति खार्यां द्रोण इत्यादिको नानुमानात्पृथक्, तथाहि -खारी द्रोणवती, खारी - त्वात्पूर्वोपलब्धखारीवत् । 315. સમુદાય ઉપરથી સમુદાયીનું જ્ઞાન સંભવ છે એવું સંભવપ્રમાણનું લક્ષણ છે. સમુદાય ઉપરથી તેના ઘટકનું જ્ઞાન સંભવ અનુમાન જ છે. મોટા માપ ઉપરથી નાના માપનું જ્ઞાન સંભવ અનુમાન જ છે. ખારી(૧૮ દ્રોણ)માં દ્રોણની સંભાવના છે— સમાઈ જાય છે. એટલે સંભવ અનુમાનથી પૃથક્ નથી, જેમ કે આ ખારીમાં દ્રોણો છે, કેમ કે તે ખારી છે, જેમ કે પહેલાં જોયેલી ખારી. 316. ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारंपर्यम्, एवमूचुर्वृद्धा यथा 'इह वटे यक्षः प्रतिवसति' इति, तदप्रमाणं, अनिर्दिष्टवक्तृकत्वेन Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy