SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૧ જૈનમત 293. વ્યારા તાનિ—અનન્તરોવિતાનિ નવસંધ્યાનિ તત્ત્વનિ યઃ स्थिराशयो - न पुनः शङ्कादिना चलचित्तः श्रद्धानस्य ज्ञानपूर्वकत्वाज्जानीते श्रद्धत्ते च - अवैपरीत्येन मनुते । एतावता जानन्नप्य श्रद्दधानो मिथ्यादृगेवेति सूचितम् । यथोक्तं श्रीगन्धहस्तिना महातर्फे "द्वादशाङ्गमपि श्रुतं विदर्शनस्य मिथ्या" इति । तस्य श्रद्दधानस्य सम्यक्त्वज्ञानयोगेन - सम्यग्दर्शनज्ञानसद्भावेन चारित्रस्य - सर्वसावद्यव्यापारनिवृत्तिरूपस्य देशसर्वभेदस्य योग्यता भवति, अत्र ज्ञानात्सम्यक्त्वस्य प्राधान्येन पूज्यत्वात्प्राग्निपातः, अनेन सम्यक्त्वज्ञानसद्भाव एव चारित्रं भवति नान्यथेत्याવિત દ્રવ્યમ્ રૂ। 293. શ્લોકવ્યાખ્યા– હમણા જ જે નવ તત્ત્વોનું નિરૂપણ પૂરું કર્યું તેમનું શંકા આદિથી થનારી ચિત્તની ચંચળતાને છોડી સ્થિર બુદ્ધિથી અવિપરીત યથાર્થ જ્ઞાન તેમજ શ્રદ્ધાન જે કરે છે તે સમ્યગ્દષ્ટિ અને સમ્યગ્ગાની છે. શ્રદ્ધાન જ્ઞાનપૂર્વક થાય છે, એટલે આ તત્ત્વોના શ્રદ્ધાનમાં તેમનું જ્ઞાન અન્તર્ભૂત હોય છે જ. ‘શ્રદ્ધાન’ શબ્દના પ્રયોગથી એ સૂચવાય છે કે જે વ્યક્તિ જાણવા છતાં પણ યથાવત્ શ્રદ્ધાન નથી કરતી તે મિથ્યાદૃષ્ટિ છે. તેનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે, નિરર્થક છે. ગન્ધહસ્તિએ મહાતર્કમાં કહ્યું છે કે— ‘‘જો મિથ્યાદષ્ટિને દ્વાદશાંગ શ્રુતનું પણ જ્ઞાન થઈ જાય તો પણ તે જ્ઞાન મિથ્યા જ છે, નિરર્થક છે.” તે શ્રદ્ધાળુ સમ્યગ્દષ્ટિમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્નાનનો સદ્ભાવ હોવાથી સમસ્ત પાપક્રિયાઓથી નિવૃત્તિ કરનાર ચારિત્રની યોગ્યતાનો અંશતઃ યા પૂર્ણપણે વિકાસ થવા લાગે છે. સર્વ ચારિત્ર (સર્વવિરતિચારિત્ર) અને દેશ ચારિત્ર (દેશવિરતિચારિત્ર)ના ભેદે ચારિત્ર બે પ્રકારનું છે. જ્ઞાનની પહેલાં સમ્યગ્દર્શનની ગણના સમ્યગ્દર્શનની પ્રધાનતા અને પૂજ્યતા સૂચવવા કરવામાં આવી છે. આ સમ્યગ્દર્શન જ જ્ઞાનમાં ‘સમ્યક્’ વ્યવહારનું કારણ છે, અર્થાત્ જ્ઞાનના સમ્યક્ષણાનું કારણ સમ્યગ્દર્શન છે. [જે જ્ઞાન સમ્યગ્દર્શનસહરિત હોય તે સમ્યક્ અને જે જ્ઞાન સમ્યગ્દર્શનસહચરિત ન હોય તે મિથ્યા. સમ્યગ્દર્શન થતાં પૂર્વે જે જ્ઞાન હોય છે તે મિથ્યા હોય છે અને સમ્યગ્દર્શન થતાં જ તે મિથ્યાજ્ઞાન સમ્યક્ બની જાય છે.] સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન થયા પછી જ સમ્યક્ ચારિત્ર થઈ શકે છે, સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન વિના થનારી બધી ક્રિયાઓ મિથ્યાચારિત્રરૂપ જ છે. (૫૩). 294. તથામવ્યત્વપાન યચૈતત્રિતયં ભવેત્ । सम्यग्ज्ञानक्रियायोगाज्जायते मोक्षभाजनम् ॥५४॥ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy