SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના વૈભાષિકદર્શને નિકાસભાગતાના નામે સામાન્યનો સ્વીકાર કર્યો છે. સભાગતાનું બાહ્ય અસ્તિત્વ છે (દ્રવ્યતઃ તિ). સભાગતા કેવળ પ્રાણી વ્યક્તિઓમાં જ અર્થાત્ સત્ત્વવ્યક્તિઓમાં જ રહે છે, બીજી કોઈ વ્યક્તિઓમાં રહેતી નથી. સભાગતાના કારણે આપણને ભિન્ન ભિન્ન પ્રાણીઓમાં એકાકારબુદ્ધિ યા અભેદબુદ્ધિ ઉત્પન્ન થાય છે. પોતાની વ્યક્તિઓમાં સભાગતા પ્રતિવ્યક્તિ ભિન્ન છે, તે એક અને નિત્ય નથી. તે સાદગ્ધરૂપ છે. સભાગતાના બે પ્રકાર છે – સત્ત્વસભાગતા અને ધર્મસભાગતા. સત્ત્વસભાગતા સર્વસત્ત્વવર્તિની છે જ્યારે ધર્મસભાગતા પ્રાણીઓના નાના નાના વર્ગોમાં રહેનારી છે.' ચિત્તક્ષણ અને રૂપક્ષણનાં બે ભિન્ન ધોરણો સ્વીકાર્યા વિના વૈભાષિકો પ્રત્યક્ષને ઘટાડે છે. તેમના મતે જ્ઞાનને વિષયનું ગ્રાહક શબ્દશઃ માની શકાય નહિ. તેઓ વિષયને જ્ઞાનનો સહભૂહેતુ માને છે. અર્થાત્, વિષય અને જ્ઞાન (તેમ જ ઇન્દ્રિય) એક સાથે ઉત્પન્ન થાય છે. તેઓ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય માને છે. ઇન્દ્રિય પણ જ્ઞાનસહભૂહોવા છતાં જ્ઞાન ઇન્દ્રિયનું નથી થતું પણ વિષયનું થાય છે કારણ કે ઇન્દ્રિય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય નથી પરંતુ વિષય અને જ્ઞાન વચ્ચે સારૂપ્ય છે.” (૫) સૌત્રાન્તિકદર્શન (બૌદ્ધ) સૌત્રાન્તિકો ધર્મોનું સૈકાલિક અસ્તિત્વ સ્વીકારતા નથી. તેમના મતે વર્તમાન ક્ષણ જ અસ્તિત્વ ધરાવે છે. અલબત્ત, પૂર્વની ઘટનાની પછીની ઘટના પરની અસરને તેઓ નકારતા નથી. પરંતુ તેને તેઓ ક્ષણોના સન્તાનમાં (continuumમાં) ઉદ્દભવતા ક્રમિક પરિવર્તન દ્વારા સમજાવે છે. પરિવર્તનની શક્યતા ક્ષણમાં તો છે જ નહિ. તે તો ઉત્પન્ન થતાં જ નાશ પામે છે અને તેની જગ્યા બીજી ક્ષણ લે છે. એક સન્તાનગત બધી ક્ષણોનો સ્વભાવ પોતપોતાના કારણભૂત પૂર્વલણથી નિયત છે. ક્ષણિકતા વસ્તુનો સ્વભાવ હોઈ વસ્તુને પોતાના નાશ માટે કશાની અપેક્ષા નથી. આમ ક્ષણભંગવાદમાંથી જ સૌત્રાન્તિકો નિહેતુકવિનાશવાદ ફલિત કરે છે. લાકડીના પ્રહારથી ઘડાનો નાશ થતો આપણે દેખીએ છીએ. જો વિનાશને પોતાનાં કારણો હોય જ નહિ તો અહીં લાકડી વગેરે નાશક માધ્યમોનું કાર્ય શું છે? સૌત્રાન્તિક કહે છે કે લાકડીના પ્રહારનું કાર્ય ઘટનો વિનાશ કરવાનું નથી પરંતુ ઘટસન્નતિથી વિસંદેશ (વિજાતીય) ઠીકરાંની સત્તતિ ઉત્પન્ન કરવાનું છે. પ્રત્યભિજ્ઞાનો આકાર “આ તે જ છે' ૧. અભિધર્મકોશભાષ્ય, ૨.૪૧. સા સર્વસત્ત્વવર્તિની પ્રતિમા પિ મન્ના ડુત્યુતે સાતા ર દિ સ યથા વૈશેષિાના નિત્યા રેતિ સ્ફટાર્થા, ૨.૪૧. ૨. સ્ફટાર્થા, ૨.૫૦-૫૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy