SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત (૩૮૩ પૌગલિક શબ્દમાં તો રૂપ, રસ આદિ છે, તેથી તે રૂપીયા મૂર્તિ છે જ્યારે આકાશમાં તો રૂ૫, રસ આદિ છે જ નહિ અને તેથી તે સર્વથા અમૂર્ત છે. જ્યારે આકાશ અને શબ્દમાં આટલો મોટો વિરોધ છે ત્યારે તેમનામાં ગુણગુણીભાવ સંભવે જ કેવી રીતે? શબ્દનું મૂર્ત હોવું યા પૌદ્ગલિક હોવું પ્રતિઘાત તથા અભિભવથી સિદ્ધ થાય છે. શબ્દ દીવાલ સાથે ટકરાય છે, વીજળી આદિના તીવ્ર કડાકા કાનના પડદાને ફાડી નાખે છે, શબ્દનો પડઘો પડે છે, વાજાંનો જોરદાર શબ્દ મન્દ શબ્દને દબાવી દે છે. જો શબ્દ અમૂર્ત હોત તો પ્રતિઘાત (ટકરાવું) તથા અભિભાવ (મન્દ શબ્દનું પ્રચંડ શબ્દથી દબાઈ જવું) શક્ય ન બનત. આકાશ યા ધર્મદ્રવ્ય આદિ અમૂર્ત દ્રવ્યો ન તો કોઈની સાથે ટકરાય છે કે ન તો કોઈનો અભિભવ કરે છે યા કોઈથી અભિભૂત થાય છે. આ પ્રતિઘાત અને અભિભવ જ શબ્દને પૌદ્ગલિક અને મૂર્ત સિદ્ધ કરે છે. [શબ્દ બે પ્રકારના છે – ભાષાત્મક અને તદ્વિપરીત અભાષાત્મક, ભાષાત્મક શબ્દના વળી બે ભેદ છે – અક્ષરીકૃત અને અનક્ષરીકૃત. અક્ષરીકૃત મનુષ્ય આદિની સ્પષ્ટ ભાષા છે અને અનક્ષરીકૃત પ્રાણીઓની અસ્પષ્ટ ભાષા છે. ભાષાત્મક શબ્દ પ્રાયોગિક જ છે, અર્થાત્ આત્મપ્રયત્નજન્ય જ છે. અભાષાત્મક શબ્દના બે ભેદ છે – પ્રાયોગિક અને વૈસિક. વૈઋસિક શબ્દ કોઈ જાતના આત્મપ્રયત્ન વિના જ ઉત્પન્ન થાય છે. વાદળોનો ગડગડાટ વગેરે વૈઋસિક છે. પ્રાયોગિક શબ્દના ચાર પ્રકાર છે – તત, વિતત, ઘન અને સૌષિર. ચામડાંથી બનેલાં વાદ્ય મૃદંગ, પટણ, ઢોલ આદિથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ તત કહેવાય છે.તારવાળાં વાઘ (તંતુવાદ્ય) વીણા, સારંગી, તંબૂરો વગેરેથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ વિતત કહેવાય છે. ઘંટ, તાલ, આદિથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ ઘન કહેવાય છે. ટૂંક મારી વગાડવામાં આવતાં વાદ્ય શંખ, વાંસળી વગેરેથી મનુષ્ય આદિ વડે ઉત્પન્ન કરાતો શબ્દ સૌષિર કહેવાય છે.] 205. વસ્તુ વર્તનામિનિફેરનુત્તે થતો વર્તના પ્રતિદ્રવ્યपर्यायमन्तीतैकसमयस्वसत्तानुभूतिलक्षणा, सा च सकलवस्त्वाश्रया कालमन्तरेण प्रतिसमयमनुपपन्ना, अतोऽस्ति कार्यानुमेयः कालः पदार्थपरिणतिहेतुः, लोकप्रसिद्धाश्च कालद्रव्याभिधायिनः शब्दाः सन्ति न तु सूर्यक्रियामात्राभिधायिनः । यथाह "युगपदयुगपत्क्षिप्रं चिरं चिरेण परमपरमिदमिति च । वर्त्यति नैतद्वय॑ति वृत्तं तत्तन्न वृत्तमपि ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy