SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૭૩ तत्कि राजा न गतः । स गत एव, पुनरनवस्थितचेतस्कत्वान्न दृष्टवान्। नष्टचेतसां वा सतोऽपि भावस्यानुपलब्धिः । 192. ચિત્તનું ધ્યાન બીજે હોવાથી પણ વસ્તુ ઉપલબ્ધ થતી નથી. જેનું ચિત્ત સામે પડેલી વસ્તુમાં લાગેલું ન હોય તો તે સામે પડી હોવા છતાં અને આંખ ખુલ્લી હોવા છતાં તેને દેખાતી નથી. કહ્યું પણ છે કે – “જેવી રીતે પોતાના લક્ષ્ય ઉપર એકાગ્ર દૃષ્ટિ રાખનારો તીરંદાજ મોટા આડંબરપૂર્વક ઠાઠમાઠથી મિત્રમંડળ સાથે સામેથી નીકળનાર રાજાને પણ જોઈ શકતો નથી તેવી જ રીતે યોગીએ એકાગ્ર ધ્યાન કરવું જોઈએ.” જો તીરંદાજનું રાજા તરફ ધ્યાન ન હોવાથી તેણે તેને ત્યાંથી જતો ન જોયો તો શું રાજા ત્યાંથી નીકળ્યો ન હતો? રાજાની સવારી તો ત્યાંથી અવશ્ય નીકળી હતી પરંતુ તે તરફ તીરંદાજનું ધ્યાન (ઉપયોગ) ન હોવાથી તીરંદાજને રાજા દેખાયો નહિ. અથવા જેમનાં ચિત્ત વિક્ષિપ્ત હોય છે તે ઉન્મત્ત ગાંડાઓ પણ વિદ્યમાન પદાર્થને ઉપલબ્ધ કરી શકતા નથી, જાણી શકતા નથી. 193. तथा सौक्ष्म्यात् यथा जालकान्तरगतधूमोष्मनीहारादीनां त्रसरेणवो नोपलभ्यन्ते, परमाणुव्यणुकादयो वा सूक्ष्मनिगोदादयो नोपलभ्यन्ते, तत्कि न सन्ति । सन्त्येव ते, पुनः सौक्ष्यान्नोपलब्धिः । 193. તથા સૂક્ષમતાના કારણે પણ પદાર્થો ઉપલબ્ધ થતા નથી. ઘરની જાળીમાંથી આવતાં ધૂમ, વરાળ તથા નીહાર વગેરેના ત્રસરેણુઓ સૂક્ષ્મતાના કારણે ઉપલબ્ધ થતા નથી. સૂક્ષ્મતાના કારણે કચણુક, પરમાણુ, સૂક્ષ્મ નિગોદિયા જીવો વગેરે પણ ઉપલબ્ધ થતા નથી, એટલે શું તેમનું અસ્તિત્વ નથી? તે બધાનું અસ્તિત્વ છે જ પણ સૂક્ષ્મતાના કારણે તેઓ ઉપલબ્ધ થતા નથી. 194. तथावरणात् कुड्यादिव्यवधानाज्ज्ञानाद्यावरणाद्वानुपलब्धिः तत्र व्यवधानाद् यथा कुड्यान्तरे व्यवस्थितं वस्तु नोपलभ्यते तत्कि नास्ति । किंतु तदस्त्येव, पुनर्व्यवधानानोपलब्धिः एवं स्वकर्णकन्धरामस्तकपृष्ठानि नोपलभ्यन्ते, चन्द्रमण्डलस्य च सन्नपि पर भागो न दृश्यते, अर्वाग्भागेन व्यवहितत्वात् । 194. દીવાલ આદિનું વ્યવધાન આવી જવાથી અથવા જ્ઞાનશક્તિ ઉપર જ્ઞાનાવરણ કર્મનું આવરણ આવી જવાથી પદાર્થની ઉપલબ્ધિ થતી નથી. દીવાલ આદિની પેલી તરફ રાખેલા પદાર્થો ઉપલબ્ધ થતા નથી, દેખાતા નથી, એટલે શું તેમનું અસ્તિત્વ ત્યાં નથી? પદાર્થો દીવાલની પેલી બાજુ વિદ્યમાન છે પરંતુ વ્યવધાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy