SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૬ તર્કરહસ્યદીપિકા જૈન ઉત્તર– જેમ આગમાં તપાવેલા પથ્થર યા ઇંટના ટુકડાઓ ઉપર પાણી રેડવા છતાં ગરમી તથા વરાળ નીકળે છે તેમ ઠંડા મૃત શરીરોનો સંયોગ થવા છતાં પણ પહેલાં તે જીવતાં શરીરોની ગરમીથી ગરમ થયેલા કચરા-પૂંજાના ઢગલામાંથી ગરમી અને વરાળ નીકળે છે. તેથી ગરમી તથા વરાળમાં યથાસંભવ ક્યાંક સચેતન ગરમ પદાર્થ અને ક્યાંક અચેતન ગરમ પદાર્થ નિમિત્તકારણ હોય છે એમ જ કહેવું જોઈએ. આ જ રીતે શિયાળાની કડકડતી ઠંડી પડી રહી હોય ત્યારે પર્વતની ગુફા પાસે તથા વૃક્ષ આદિની નીચે પણ ગરમી જણાય છે. આ ગરમી પણ મનુષ્યશરીરની ગરમીની જેમ ચેતનાના કારણે જ છે એમ જાણવું જોઈએ. જેવી રીતે ગ્રીષ્મકાળે બહારની ગરમીના કારણે મનુષ્ય શરીરમાં આત્મા સાથે રહેલો તૈજસશરીરરૂપ અગ્નિ મન્દ પડી જતાં મનુષ્યશરીર શીતલ બની જાય છે તેવી જ રીતે ગ્રીષ્મકાળે બહારની ગરમીના કારણે સજીવ જલમાં આત્મા સાથે રહેલો તૈજસશરીરરૂપ અગ્નિ મન્દ પડી જતાં જલ શીતલ અનુભવાય છે આમ જેમ ગ્રીષ્મકાળે મનુષ્યશરીરની શીતલતા જીવહેતુક છે તેમ ગ્રીષ્મકાળે પાણીની શીતલતા પણ જીવહેતુક છે અર્થાત્ શરીરની શીતલતાનું કારણ શરીરની સજીવતા છે તેમ પાણીની શીતલતાનું કારણ પાણીની સજીવતા છે. આ પ્રમાણે પાણીમાં જીવલક્ષણો મળતાં હોઈ પાણી જીવ છે, અર્થાત્ અપ્કાય જીવો છે. – 153. यथा रात्रौ खद्योतकस्य देहपरिणामो जीवप्रयोगनिर्वृत्तशक्तिराविश्चकास्ति, एवमङ्गारादीनामपि प्रतिविशिष्टप्रकाशादिशक्तिरनुमीयते जीवप्रयोगविशेषाविर्भावितेति । यथा वा ज्वरोष्मा जीवप्रयोगं नातिवर्तते, एषैवोपमाग्नेयजन्तूनाम् । न च मृता ज्वरिणः क्वचिदुपलभ्यन्ते, एवमन्वयव्यतिरेकाभ्यामग्नेः सचित्तता ज्ञेया । प्रयोगश्चात्र- आत्मसंयोगाविर्भूतोऽङ्गारा-दीनां प्रकाशपरिणामः, शरीरस्थत्वात्, खद्योतदेहपरिणामवत् । तथा आत्मसंयोगपूर्वकोऽङ्गारादीनामूष्मा, शरीरस्थत्वात्, ज्वरोष्मवत् । न चादित्यादिभिरनेकान्तः सर्वेषामुष्णस्पर्शस्यात्मसंयोगपूर्वकत्वात् । तथा सचेतनं तेज:, यथायोग्याहारोपादानेन वृद्ध्यादिविकारोपलम्भात्, पुरुषवपुर्वत् । एवमादिलक्षणैराग्नेयजन्तवोऽवसेयाः । " 153. રાતે આગિયો પોતાના શરીરના ચમકદાર પરિણમનથી ચમકે છે, પ્રકાશ આપે છે. આ પ્રકાશ જીવની શક્તિનું પ્રત્યક્ષ ફળ છે. તેવી જ રીતે આગના અંગારા આદિમાં ભિન્ન ભિન્ન પ્રકારની પ્રકાશશક્તિઓ મળે છે, આ પ્રકાશશક્તિઓથી તેમનામાં રહેનાર જીવનું અનુમાન થાય છે કેમ કે આ પ્રકાશશક્તિઓ જીવના સંયોગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy