SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા मिलितमनुष्यशरीरेष्वल्पबहुबहुतरोष्मवत् । प्रयोगश्चायम् - शीतकाले जलेषूष्णस्पर्श उष्णस्पर्श वस्तुप्रभवः, उष्णस्पर्शत्वात्, मनुष्यशरीरोष्णस्पर्शवत् । न च जलेष्वयमुष्णस्पर्शः सहज:, 'अप्सु स्पर्शः शीत एव' इति वैशेषिकादिवचनात् । तथा शीतकाले शीते स्फीते निपतति प्रातस्तटाकादेः पश्चिमायां दिशि स्थित्वा यदा तटाकादिकं विलोक्यते, तदा तज्जलान्निर्गतो वाष्पसंभारो दृश्यते, सोऽपि जीवहेतुक एव । प्रयोगस्त्वित्थम् - शीतकाले जलेषु वाष्प उष्णस्पर्शवस्तुप्रभवः, वाष्पत्वात्, शीतकाले शीतलजलसिक्तमनुष्यशरीरवाष्पवत् । प्रयोगद्वयेऽपि यदेवोष्णस्पर्शस्य वाष्पस्य च निमित्तमुष्णस्पर्शं वस्तु, तदेव तैजसशरीरोपेतमात्माख्यं वस्तु प्रतिपत्तव्यम् । जलेष्वन्यस्योष्णस्पर्शवाष्पयोर्निमित्तस्य वस्तुनोऽभावात् । ૩૪૪ 150. શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી પડે છે ત્યારે નાની તળાવડી કે વાવડીના થોડા પાણીમાં થોડી ગરમી, તળાવના પાણીમાં અધિક ગરમી તથા નદી આદિના પાણીમાં અધિકતર ગ૨મી જણાય છે. સ્વભાવતઃ ઠંડા પાણીની આ ગરમી ચેતનાના નિમિત્તે ઉત્પન્ન થાય છે. થોડા, બહુ અને અધિક બહુ મનુષ્યોની ભીડ ભેગી થતાં તે મનુષ્યોનાં શરીરગત ચેતના પણ ક્રમશઃ થોડી, બહુ અને અધિક બહુ થાય છે અને પરિણામે ગરમી પણ તદનુસાર ક્રમશઃ થોડી, બહુ યા અધિક બહુ થાય છે કારણ કે ગરમીનું કારણ ચેતના છે. અનુમાનપ્રયોગ– શિયાળામાં ઠંડીના દિવસોમાં નદી આદિના પાણીનું ગરમ રહેવું ગરમ વસ્તુના (અર્થાત્ ચેતનાના) સંબંધથી જ ઘટે છે કેમ કે તે ગરમી જે પદાર્થ સ્વભાવથી ઠંડો છે તે પદાર્થમાં આવેલી છે, જેમ કે મનુષ્યના સજીવ શરીરોની ભીડ થવાથી ઓરડામાં ઊભી થતી ગરમી. આ ગરમી જલનો સ્વાભાવિક ધર્મ નથી કેમ કે વૈશેષિક આદિ ચિંતકોએ જલને શીતસ્વભાવ માનેલું છે. કહ્યું પણ છે કે ‘જલમાં શીત સ્પર્શ જ છે.' જ્યારે અત્યંત ભારે ઠંડી પડે, હિમ પડે ત્યારે ફરતાં ફરતાં સવારે નદી, તળાવ આદિના પશ્ચિમ કિનારે પહોંચીને નદી આદિની શોભા જોઈશું તો જણાશે કે તે પાણીમાંથી તો ઘણી બધી વરાળ નીકળે છે. આ વરાળ પણ ચેતનાની ગરમીના કારણે છે. અનુમાનપ્રયોગ– શિયાળામાં નદી આદિના પાણીમાંથી નીકળતી વરાળ ગરમ વસ્તુના સંપર્કથી ઉત્પન્ન થાય છે, કારણ કે તે વરાળ છે. જેવી રીતે શિયાળાની કડકડતી ઠંડીમાં કોઈ મનુષ્યને ઠંડા પાણીથી નવરાવતાં તેના શરીર ઉપર પડેલા પાણીમાંથી નીકળતી વરાળ તેના સચેતન ગરમ શરીરના સંપર્કથી જ ઉત્પન્ન થાય છે તેવી જ રીતે નદી, તળાવ આદિના પાણીમાંથી નીકળતી વરાળમાં પણ કોઈને કોઈ ગરમ ચીજનો સંપર્ક અવશ્ય છે જ. ઉક્ત બન્ને અનુમાનોમાં જલની ગરમીમાં તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy