SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા सजीवत्वमव्यक्तलिङ्गैर्व्यवह्नियते, एवं पृथिव्यादीनामपि सजीवत्वं व्यवहर ૩૪૦ ઝીયમ્ । 144. શંકા— હલન-ચલન કરતા કીડા-મકોડા વગેરેને અર્થાત્ દ્વીન્દ્રિય વગેરેને તો જીવ કહેવાની વાત સમજાય છે પણ આ અજીવ જડ પૃથ્વી વગેરેને પણ જીવ કહેવા એ અજબ લાગે છે. એમનામાં કોઈ પણ એવાં સ્પષ્ટ લક્ષણો અર્થાત્ ચિહ્નો દેખાતાં નથી કે જેમના આધારે એમને જીવ માની શકાય. જૈન ઉત્તર– તમારી વાત સાચી છે. પૃથ્વી આદિ જીવ હોવાનાં લક્ષણો સ્પષ્ટ જણાતાં નથી પરંતુ અસ્પષ્ટપણે તો તેમનામાં પણ જીવનાં પ્રાયઃ બધાં લક્ષણો વિદ્યમાન છે જે તેમને પણ જીવ સિદ્ધ કરે છે. લક્ષણો અર્થાત્ ચિહ્નો અસ્પષ્ટ હોવાથી જીવ નથી એમ તો ન કહી શકાય. ધતૂરાથી મિશ્રિત મદિરા ભરપૂર પીધા પછી મૂર્છિત થઈ ગયેલા દારૂડિયાઓમાં પણ જીવનાં જ્ઞાન આદિ ચિહ્નો પ્રકટ દેખાતાં નથી તેમ છતાં અસ્પષ્ટ ચિહ્નોના કારણે તે દારૂડિયાઓને અજીવ તો આપણે કહેતા નથી જ. તેવી જ રીતે પૃથ્વી વગેરેને પણ અવ્યક્ત લિંગો(ચિહ્નો)ના બળે જીવ કહેવા જ જોઈએ. 145. ननु मूच्छितेषूच्छ्वासादिकमव्यक्तं चेतनालिङ्गमस्ति, न पुनः पृथिव्यादिषु तथाविधं किंचिच्चेतनालिङ्गमस्ति; नैतदेवम्; पृथिवीकाये तावत्स्वस्वाकारावस्थितानां लवणविदुमोपलादीनां समानजातीयाङ्करोत्पत्तिमत्त्वम् अर्शो मांसाङ्करस्येव चेतनाचिह्नमस्त्येव । अव्यक्तचेतनानां हि संभावितैकचेतनालिङ्गानां वनस्पतीनामिव चेतनाभ्युपगन्तव्या । वनस्पतेश्च चैतन्यं विशिष्टर्तृफलप्रदत्वेन स्पष्टमेव साधयिष्यते च । ततोऽव्यक्तोपयोगादिलक्षणसद्भावात्सचित्ता पृथिवीति स्थितम् । 145. શંકા— મૂર્છિત દારૂડિયાઓમાં તો શ્વાસોચ્છ્વાસ ચાલે છે, તેમનાં શરીર ગરમ છે, એટલે તેમનામાં જીવનાં ચિહ્નો, અસ્પષ્ટ રૂપમાં તો અસ્પષ્ટ રૂપમાં,મળે છે પરંતુ પૃથ્વી વગેરેમાં ન તો શ્વાસોચ્છ્વાસ ચાલે છે કે ન તો એવું કંઇ મળે છે કે જેમને જીવનાં અસ્પષ્ટ ચિહ્નો કહી શકાય. તેથી તેમને જીવો કઈ રીતે માની શકાય ? ન જૈન ઉત્તર- ના, તમે કહો છો એવી વાત નથી. જેવી રીતે આપણા શરીરમાં ગુદાની આસપાસ હરસ-મસારૂપ માંસનાં અંકુરો ફૂટે છે જે ચેતનાનાં ચિહ્ન છે, તેવી જ રીતે પથરાઓને (પૃથ્વીને) પણ અંકુરો ફૂટે છે જે પણ ચેતનાનાં જ ચિહ્ન છે. પૃથ્વી આદિમાં પણ સ્વસ્વજાતીય નવાં નવાં અંકુરો ઉત્પન્ન કરવાની શક્તિ જોવા મળે છે જે શક્તિના કારણે લવણના પત્થ૨ાની ખાણમાં લવણના પથરા કઢવા છતાં પણ વૃદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy