SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪ તર્કરહસ્યદીપિકા છે, તેમનો અભાવ નથી. હિમાલયનું વજન રતીઓના હિસાબે છેવટે કંઈક તો હશે જ, પિશાચ આદિનો આકાર પણ કોઈ ને કોઈ જાતનો તો હશે જ. તેથી જે વસ્તુમાં પાચ પ્રમાણોનો વ્યાપાર અસંભવ હોય તે વસ્તુનો અભાવ હોય જ એવું માની શકાતું નથી. આમ વસ્તુનો અભાવ સાધવા આપવામાં આવતો હેતુ કેમ કે પ્રમાણપંચકનો અભાવ છે' વ્યભિચારી છે, તેથી તે વસ્તુનો અભાવ સિદ્ધ કરવામાં કોઈ પણ રીતે સમર્થ નથી. એટલે પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી આત્મા નિબંધપણે સિદ્ધ થઈ જાય છે. 138. ર = વિવૃત્તિમાન પત્નોથી ! તત્ર વાસુમાનધિતतदहर्जातबालकस्याद्यस्तन्याभिलाषः पूर्वाभिलाषपूर्वकः, अभिलाषत्वात्, द्वितीयदिनाद्यस्तनाभिलाषवत् । तदिदमनुमानमाद्यस्तनाभिलाषस्याभिलाषान्तरपूर्वकत्वमनुमापयदर्थापत्त्या परलोकगामिनं जीवमाक्षिपति, तज्जन्मन्यभिलाषान्तराभावादिति स्थितम् । 138. આત્મા પરિવર્તનશીલ છે. તે અનેક મનુષ્ય, પશુ આદિ યોનિઓમાં જાય છે, આ દેહ છોડી પરલોકમાં બીજો દેહ ધારણ કરે છે. પરલોકને સિદ્ધ કરવું અનુમાન આ પ્રમાણે – તાજા જન્મેલા નવજાત શિશુને સ્તનપાન કરવાની ઇચ્છા થાય છે, તે પહેલાં કરેલા સ્તનપાનની ઇચ્છાપૂર્વક હોય છે કેમ કે તે ઇચ્છા છે. જેવી રીતે તે શિશુને બીજા દિવસે થતી સ્તનપાનની ઇચ્છા પહેલા દિનની ઈચ્છાથી ઉત્પન્ન થઈ છે તેવી જ રીતે નવજાત શિશુની સર્વપ્રથમ ઇચ્છાની ઉત્પત્તિ પણ તેના પહેલાંની ઇચ્છાથી માનવી જોઈએ. આમ આજની સ્તનપાનની ઇચ્છાની ઉત્પત્તિ પૂર્વ ઇચ્છાપૂર્વક જોઈને સૌપ્રથમ થનારી નવજાત શિશુની ઇચ્છાને પણ પૂર્વ ઇચ્છાપૂર્વક માનવી જોઈએ. હવે વિચારો કે નવજાત શિશુ નવ મહિના માતાના પેટમાં અચેતનવતું રહ્યું હતું, તે સમયે તો તેને સ્તનપાનની ઇચ્છા થઈ શકતી નથી. તેથી ગર્ભમાં આવતાં પહેલાં પૂર્વજન્મમાં થયેલી સ્તનપાનની ઇચ્છા નવજાત શિશુમાં સૌપ્રથમ સ્તનપાનની ઇચ્છાને ઉત્પન્ન કરે છે એમ માનવું તર્કસંગત છે કેમ કે તે નવજાત શિશુને વર્તમાન જન્મમાં થતી સૌપ્રથમ સ્તનપાનઇચ્છાની જનક સ્તનપાનઇચ્છા વર્તમાન જન્મમાં તો સંભવતી જ નથી અને ગર્ભાવસ્થામાં તો અચેતનવતું તેને સ્તનપાનની ઇચ્છા ક્યાંથી હોઈ શકે? તેથી પૂર્વજન્મ માન્યા વિના નવજાત શિશુની સૌપ્રથમ સ્તનપાનની ઇચ્છા ઘટતી નથી એટલે અર્થાપત્તિથી પૂર્વજન્મ સિદ્ધ થાય છે અને પૂર્વજન્મ સિદ્ધ થતાં જીવ પરલોકગામી એ આપોઆપ સિદ્ધ થઈ જાય છે. નિવજાત શિશુ સૌપ્રથમ સ્તન જુએ છે, તેને જોતાં જ સ્તનની સુધાનિવારકતા અને સુખસાધનતાનો તેને પહેલાં જે અનુભવ થયેલો તેનું તે સ્મરણ કરે છે અને નિશ્ચય કરે છે કે આ સ્તન પહેલાં અનુભવેલ સ્તન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy