SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ તર્કરહસ્યદીપિકા કરાય છે ત્યારે વિદ્યમાન પદાર્થોનો જ નિષેધ કરી શકાય” એ તમારો નિયમ ક્યાં રહ્યો? તેવી જ રીતે ઘર અને દેવદત્તનો સંયોગ, ખર અને વિષાણનો સમવાય, ચંદ્રમાં ચન્દ્રત્વ સામાન્ય અને મોતીમાં ઘટપ્રમાણતારૂપ વિશેષ (વિશેષ ધર્મ) સર્વથા અસત છે તેમ છતાં તેમનો નિષેધ કરાય છે. તેથી “જેનો નિષેધ કરાય છે તેનું અસ્તિત્વ હોય છે જ’ આ નિયમ તૂટી જાય છે, એટલે તેને દોષયુક્ત કેમ ન માનવો? _134. માત્ર વ્યક્તિ-વત્તાહીનાં સંયોિ વિષ્યવાસન્તો निषिध्यन्ते । अर्थान्तरे तु तेषां ते सन्त्येव । तथाहि- गृहेणैव सह देवदत्तस्य संयोगो न विद्यते अर्थान्तरेण त्वारामादिना वर्तत एव । गृहस्यापि देवदत्तेन सह संयोगो नास्ति, खट्वादिना तु विद्यत एव । एवं विषाणस्यापि खर एव समवायः नास्ति, गवादावस्त्येव । सामान्यमपि द्वितीयचन्द्राभावाच्चन्द्र एव नास्ति, अर्थान्तरे तु घटादावस्त्येव । घटप्रमाणत्वमपि मुक्तासु नास्ति, अन्यत्र विद्यत एव । त्रिलोकेश्वरतापि भवत एव नास्ति, तीर्थंकरादावस्त्येव। पञ्चसंख्याविशिष्टत्वमपि प्रतिषेधप्रकारेषु नास्ति, अनुत्तरविमानादावस्त्येवेत्यनया विवक्षया ब्रूमः यनिषिध्यते तत्सामान्येन विद्यत एव । न त्वेवं प्रतिजानीमहे यद्यत्र निषिध्यते तत्तत्रैवास्तीति येन व्यभिचार: स्यात्, एवं सत एव जीवस्य यत्र क्वापि निषेधः स्यान्न पुनः सर्वत्रेति । - 134. જૈનો આ શંકાનો અમે નીચે પ્રમાણે ઉત્તર આપીએ છીએ એ વાત બરાબર છે કે દેવદત્ત આદિનો સંયોગ આદિ ઘર આદિ સાથે નથી તેમ છતાં તેમનો નિષેધ કરાય છે. પરંતુ અહીં ધ્યાનમાં રાખવું જોઈએ કે દેવદત્ત આદિનો સંયોગ આદિ બીજા પદાર્થો સાથે છે જ, એટલે તેઓ સર્વથા અસત નથી. દેવદત્તનો સંયોગ ઘર સાથે નથી એ સાચું પરંતુ તેનો સંયોગ ઉદ્યાન આદિ સાથે તો છે. ઘરનો તેની સાથે સંયોગ નથી પરંતુ ખાટ આદિ સાથે તો છે. દેવદત્ત ઘર બહાર ખાટ પર બેઠો છે કે ઉદ્યાનમાં બેઠો છે. તે સમયે દેવદત્ત ઘરમાં નથી' એવો પ્રયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે શિંગડાનો ગધેડામાં સમવાય નથી એ સાચું પરંતુ શિંગડાનો ગાય આદિમાં તો સમવાય છે જ. સામાન્ય પણ બીજો ચન્દ્ર ન હોવાથી ચન્દ્રમાં નથી એ સાચું પણ ઘડા આદિ પદાર્થોમાં તો સામાન્ય છે જ. મોતીમાં ઘટપરિમાણ નથી એ સાચું પરંતુ તડબૂચ આદિમાં તો તે હોય છે. ત્રિલોકેશ્વરતા પણ તમારામાં જ નથી પરંતુ તીર્થંકર આદિમાં તે હોય છે જ. પ્રતિષધના પ્રકારોમાં પાંચની સંખ્યા નથી પરંતુ સ્વર્ગના અનુત્તર વિમાનો વગેરેમાં તો પાંચની સંખ્યા છે. અનુત્તર વિમાનો પાંચ છે – વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ.]. આ અભિપ્રાયથી અમે કહ્યું હતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy