SearchBrowseAboutContactDonate
Page Preview
Page 421
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ તર્કરહસ્યદીપિકા જેમ કે ઘટ વગેરે. “જીવ નથી' આ રૂપમાં તમે ચાર્વાકો જીવનો નિષેધ કરો છો, તેથી જીવનું અસ્તિત્વ ક્યાંક તો અવશ્ય હોવું જ જોઈએ. પ્રતિષેધ વિધિપૂર્વક જ થાય. જે સર્વથા ન હોય તેનો નિષેધ પણ દેખાતો નથી, જેમ કે પૃથ્વી આદિ પાંચ ભૂતોથી અતિરિક્ત છઠું ભૂત. [ચાર્વાકો ખરેખર પાંચ નહિ પણ ચાર જ ભૂતો માને છે.] શંકા- અરવિષાણ આદિ સર્વથા અસત્ પદાર્થોનો પણ નિષેધ થતો દેખાય છે, તેથી જેનો નિષેધ થતો હોય તેનું અસ્તિત્વ હોવું જ જોઈએ એ નિયમ ખંડિત થતો હોઈ તમારો હેતુ વ્યભિચારી છે, અનેકાત્તિક છે. જૈન ઉત્તર- આ શંકા ખોટી છે. જે વસ્તુનો નિષેધ કરવામાં આવતો હોય તે વસ્તુ ક્યાંક તો અવશ્ય વિદ્યમાન હોવી જોઈએ. હા, જ્યારે વસ્તુનો નિષેધ કરવામાં આવે છે ત્યારે ખરેખર તો વસ્તુના સંયોગ, સમવાય, સામાન્ય કે વિશેષનો અર્થાત્ આ ચારનો નિષેધ કરવામાં આવે છે, તે વસ્તુના સર્વથા અભાવનું પ્રતિપાદન કરવામાં આવતું નથી. ઉદાહરણો દ્વારા આ વાત સમજીએ. “આ ઘરમાં દેવદત્ત નથી' ઇત્યાદિ પ્રયોગોમાં દેવદત્ત મોજૂદ છે (અર્થાત્ જીવે છે) અને ઘર પણ મોજૂદ છે. દેવદત્તના ઘર સાથેના સંયોગનો જ માત્ર નિષેધ કરવામાં આવ્યો છે. દેવદત્તનો સર્વથા નિષેધ તો અહીં કોઈ પણ રીતે કરી શકાય નહિ. તેવી જ રીતે “ખરવિષાણ નથી” આ પ્રયોગમાં ગધેડું પણ મોજૂદ છે અને શિંગડું પણ મોજૂદ છે, માત્ર તેમના સમવાયસંબંધ'નો જ નિષેધ અહીં વિવક્ષિત છે અર્થાત “ગધેડામાં શિંગડાનો સમવાયસંબંધ નથી. અહીં ન તો ગધેડાનો નિષેધ છે કે ન તો શિંગડાનો કેમ કે બન્ને મોજૂદ છે. બીજો ચન્દ્રમા નથી' આ પ્રયોગમાં મોજૂદ ચન્દ્રમાના સાદશ્યનો અન્યત્ર નિષેધ કરવામાં આવ્યો છે અર્થાત આ અભિપ્રાય છે–“આ ચન્દ્રમાના સમાન ધર્મવાળો બીજો ચન્દ્રમાં નથી' એટલે કે ચન્દ્રમાં અનેક નથી કિન્તુ એક છે. તેથી અહીં ચન્દ્રમાના સર્વથા અભાવનું પ્રતિપાદન નથી. “મોતી ઘટપરિમાણ નથી” આ પ્રયોગમાં ન તો મોતીનો નિષેધ છે કે ન તો ઘટપરિમાણનો પરંતુ મોતીમાં ઘટપરિમાણનો નિષેધ છે જે ઘટપરિમાણ ઘટનો ધર્મ છે મોતીનો ધર્મ નથી. આ જ રીતે “આત્મા નથી' એનું તાત્પર્ય એ છે કે ક્યાંક વિદ્યમાન આત્માનો કોઈ ખાસ શરીર આદિ સાથે સંયોગ નથી. જેમ “આ શરીરમાં આત્મા નથી” અહીં પ્રસ્તુત શરીર અને આત્માના કેવળ સંયોગનો જ નિષેધ છે તેમ “આત્મા નથી' આ સામાન્ય નિષેધમાં પણ “આત્માનો કોઈ વસ્તુ સાથે સંયોગ નથી' એ જાતનો માત્ર સંયોગનો જ નિષેધ સમજવો જોઈએ, આત્માનો સર્વથા નિષેધ ન સમજવો જોઈએ. 131. મત્રાદિ –નનુ ચઢિ યન્નિષિધ્યતે તત, તર્દ મમ त्रिलोकेश्वरताप्यस्तु, युष्मदादिभिर्निषिध्यमानत्वात् । तथा चतुर्णा संयोगा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy