SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ તર્કરહસ્યદીપિકા અશ્રાવણ સિદ્ધ કરવાનો નિષ્ફળ અને પ્રત્યક્ષવિરુદ્ધ પ્રયાસ કરે તેમ આત્માનો પ્રતિષેધ કરનારો ચાર્વાક પણ ‘હું’ રૂપે પ્રતિભાસિત થતા આત્માનો નિષેધ કરવાનો નિષ્ફળ અને પ્રત્યક્ષવિરુદ્ધ પ્રયાસ કરે છે. તેવી જ રીતે ‘આત્મા નથી' એ ચાર્વાકોનો પક્ષ અનુમાનવિરુદ્ધ પણ છે કેમ કે આગળ ઉપર રજૂ કરવામાં આવનાર અનેક અનુમાનો આત્માના અસ્તિત્વને સમર્થપણે સિદ્ધ કરે છે. જેમ ‘શબ્દ નિત્ય છે’ આ પક્ષ ‘શબ્દ અનિત્ય છે કેમ કે ઉચ્ચારણ પછી અસ્તિત્વમાં આવે છે' આ અનુમાનની વિરુદ્ધ છે યા બાધિત છે, તેમ ‘આત્મા નથી' એ પક્ષ પણ અનુમાનવિરુદ્ધ યા અનુમાનબાધિત છે. જગતમાં બાળકથી માંડી ગોવાળ અને સ્ત્રી આદિ પણ જે આત્માને સ્વસંવેદનપ્રત્યક્ષથી યા અહંપ્રત્યયથી સદા અનુભવે છે તેનો ચાર્વાકો નિષેધ કરે છે ! આમ ‘આત્મા નથી’ આ પક્ષ લોકવિરુદ્ધ પણ છે. જેમ ‘સૂર્ય પ્રકાશ કરતો નથી’ આ પક્ષ લોકવિરુદ્ધ છે તેમ ‘આત્મા નથી’ આ પક્ષ પણ લોકવિરુદ્ધ છે. જેમ કોઈ સપૂત પોતાની માતાને વન્ધ્યા કહીને પોતાના વચનનો જ વિરોધી બની જાય છે તેમ આત્માનો નિષેધ ક૨ના૨ો ચાર્વાક જ્યારે કહે છે કે ‘હું આત્માનો નિષેધ કરું છું' ત્યારે તેના આ આત્મનિષેધવચનમાં જ વિરોધ રહેલો છે કેમ કે તેમાં ‘હું’ રૂપે આત્માના અનુભવનો અર્થાત્ આત્માનો સ્વીકાર રહેલો છે. [આ નિષેધ કરનારો ‘હું કોણ છે ? તે જ આત્મા છે.] આમ જ્યારે પૂર્વોક્ત તર્કોથી ‘આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષ વડે ગ્રાહ્ય છે’ એ સારી રીતે સિદ્ધ થાય છે ત્યારે ‘આત્મા નથી’ એ સિદ્ધ કરવા આપવામાં આવેલો હેતુ ‘કારણ કે તે અત્યન્ત અપ્રત્યક્ષ છે' અસિદ્ધ ઠરે છે. આત્માનું અત્યન્ત અપ્રત્યક્ષ હોવું અસિદ્ધ છે. 126. તથા અનુમાન ગોઘ્યાત્મા । તાનિ ચાનૂનિ—નીવ∞રી प्रयत्नवताधिष्ठितम् इच्छानुविधायिक्रियाश्रयत्वात्, रथवत् । श्रोत्रादीन्युपलब्धिसाधनानि कर्तृप्रयोज्यानि, करणत्वात्, वास्यादिवत् । देहस्यास्ति विधाता, आदिमत्प्रतिनियताकारत्वात्, घटवत् । यत्पुनरकर्तृकं तदादिमत्प्रतिनियताकारमपि न भवति, यथाभ्रविकारः । यः स्वदेहस्य कर्त्ता स जीवः । प्रतिनियताकारत्वं मेर्वादीनामप्यस्ति न च तेषां कश्चिद्विधातेति तैरनैकान्तिको हेतुः स्यात्, अतस्तद्व्यवच्छेदार्थमादिमत्त्वविशेषणं द्रष्टव्यम् । तथेन्द्रियाणामस्त्यधिष्ठाता, करणत्वात्, यथा दण्डचक्रादीनां कुलालः । विद्यमानभोक्तृकं शरीरं भोग्यत्वात्, भोजनवत् । यश्च भोक्ता स जीवः । 126. આત્માને અનુમાનથી જાણી શકાય છે, આત્માને સિદ્ધ કરતાં અનુમાનો નીચે પ્રમાણે છે— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy