SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૨૧ ममीषां भूतानामिति, चैतन्यं न भूतकार्यमित्यतो जीवगुण एव चेतनेत्यभ्युपगन्तव्यम् । _122. ચાર્વાક- ભૂતોની નિયત માત્રા, નિયત સંરચના આદિ સહકારી કારણો ભૂતોને શરીરરૂપે પરિણમવામાં સહાયતા કરે છે. તે સહકારી કારણોના અભાવમાં ભૂતો શરીરરૂપે પરિણમતા નથી. એટલે ભૂતોનો સર્વત્ર શરીરાકાર પરિણામ થવાની આપત્તિ આવતી નથી. જૈન- તમે ચાર્વાકોએ જે કહ્યું તે તર્કસંગત નથી, કેમ કે ભૂતોનું અમુક નિયત માત્રામાં સંયોજન પણ કોઈ અન્ય વસ્તુ તો આવીને કરી શકે નહિ. જો તમે કહો કે કોઈ અન્ય વસ્તુ કરે છે તો તમારે ચાર ભૂતોથી અતિરિક્ત પાંચમું તત્ત્વ માનવું પડે, આ તો તમારા માટે આપત્તિ છે. જિો ચાર ભૂતોથી અતિરિક્ત કોઈ પાંચમું તત્ત્વ આ ભૂતોનું અમુક નિયત માત્રામાં સંયોજન કરી દેતું હોય તો તે પાંચમુ તત્ત્વ જ આત્મા છે જેના સદ્ભાવથી ભૂતો નિયત માત્રામાં સંયોજન પામે છે અને તે સંયોજનમાં ચૈતન્ય આવિર્ભાવ પામે છે. પરંતુ તમારા મતે તો ચાર ભૂતોથી અતિરિક્ત પાંચમું તત્ત્વ તો છે નહિ.] એટલે પૃથ્વી આદિ ચાર ભૂતોની સત્તા માત્ર જ ભૂતોને શરીરરૂપે પરિણમવામાં નિમિત્તકારણ છે એમ તમારે માનવું પડે અને ભૂતોની સત્તા તો સર્વત્ર એકસરખી હોવાથી સર્વત્ર – ઘટાદિમાં પણ – શરીરરૂપ પરિણામ માનવાની આપત્તિ તમને આવે જ, અહીં સહકારી કારણોના અભાવના કારણે શરીરરૂપ પરિણામના અભાવની વાત જ હવે ક્યાં રહી છે? - ભૂતોનું શરીરરૂપે પરિણમન થવામાં નિમિત્તકારણ ચાર ભૂતોથી અતિરિક્ત કોઈ વસ્તુ છે આ બીજો પક્ષ (વિકલ્પ) જો તમે ચાર્વાકો સ્વીકારશો તો તે પાંચમી વસ્તુ સ્વીકારતાં જીવના અસ્તિત્વની સિદ્ધિ માની લેવાની તમારા ઉપર આપત્તિ આવશે. વિના કારણ અકસ્માત જ ભૂતો શરીરરૂપે પરિણમન પામે છે. આ ત્રીજો પક્ષ પણ તમે ચાર્વાકો સ્વીકારી શકો નહિ કારણ કે આ પક્ષ સ્વીકારતાં તો તમારે ભૂતોનું સદા શરીરરૂપમાં પરિણમન સ્વીકારવું પડે યા તો કદી પણ ભૂતોનું શરીરરૂપમાં પરિણમન નથી થતું એમ સ્વીકારવું પડે. [અહેતુક વસ્તુ યા તો સદા રહેનારી આકાશ આદિ જેવી નિત્ય હોય છે યા તો કદી ન થનારી સસલાના શિંગડા જેવી તદ્દન અસતું હોય છે. તે વસ્તુ ક્યારેક થનારી અને ક્યારેક ન થનારી હોઈ શકે નહિ.] કહ્યું પણ છે કે “અન્ય હેતુઓની અપેક્ષા ન રાખનારો પદાર્થ કાં તો સદા સત્ હોય કાં તો સદા અસત્ હોય. [અન્ય હેતુઓની અપેક્ષાથી જ પદાર્થમાં કાદાચિત્કપણું આવે છે.]” પ્રિમાણવાર્તિક, ૩.૩૪.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy