SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ તર્કરહસ્યદીપિકા चैतन्यम्, न च मृतशरीरे वायुरस्ति, ततस्तदभावात्तत्र चैतन्याभाव इति न तेन व्यभिचार:, अत्रोच्येत - सति शुषिरे तत्र वातः सुतरां संभाव्यत एव । किंच यदि तत्र वायुवैकल्याच्चैतन्यस्याभावः ततो बस्त्यादिभिः संपादिते वायौ तत्र चैतन्यमुपलभ्येत्, न च तत्र तत्संपादितेऽपि वायौ चैतन्यमुपलभ्यते । 116. ચાર્વાક– તમે જૈનોએ જે વ્યભિચાર હેતુમાં દર્શાવ્યો તે હકીકતમાં છે જ નહિ. અમારા મતે તો પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ એ ચાર ભૂતોના સમુદાયથી ચૈતન્ય પેદા થાય છે, પરંતુ મડદામાં તો વાયુ હોતો નથી એટલે તે ન હોવાથી ચૈતન્ય હોતું નથી. તેથી અમારો હેતુ વ્યભિચારી નથી. જૈન– આનો ઉત્તર અમારો આ છે – જ્યારે શરીર અંદરથી પોલું છે અને નાક આદિ અનેક બાકોરાં છે ત્યારે શરીરમાં હવાનો અભાવ છે એમ કહી શકાય નહિ. હવા યા વાયુ તો જ્યાં પણ અવકાશ યા પોલાણ મળે ત્યાં ભરાઈ જાય છે. વળી, તમે વાયુના અભાવમાં ચૈતન્યનો અભાવ છે એમ કહેતા હો તો મડદાની ગુદાના માર્ગે નળી દ્વારા દાબીને વાયુ ભરવાથી મડદામાં ચૈતન્ય આવી જવું જોઈએ, પરંતુ આવી રીતે હવા પૂરવાથી પણ મડદામાં ચૈતન્યનો લેશમાત્ર પણ સંચાર થતો દેખાતો નથી. 117. अथ प्राणापानलक्षणवायोरभावान्न तत्र चैतन्यमिति चेत्; न; अन्वयव्यतिरेकानुविधायित्वाभावान्न प्राणापानवायोश्चैतन्यं प्रति हेतुता । यतो मरणाद्यवस्थायां प्रचुरतरदीर्घ श्वासोच्छ्वाससंभवेऽपि चैतन्यस्यात्यन्तपरिक्षयः । तथा ध्यानस्तिमितलोचनस्य संवृतमनोवाक्काययोगस्य निस्तरङ्गमहोदधिकल्पस्य कस्यापि योगिनो निरुद्वप्राणापानस्यापि परमप्रकर्षप्राप्तश्चेतनोपचयः समुपलभ्यते । 117. ચાર્વાક— પ્રાણાપાનરૂપ વાયુના અભાવના કારણે અર્થાત્ શ્વાસોચ્છ્વાસ બંધ પડી જવાના કારણે મૃત શરીરમાં ચૈતન્ય હોતું નથી. જૈન– આ તમારી વાત સાચી નથી. શ્વાસોચ્છ્વાસ સાથે ચૈતન્યનો કોઈ અન્વયવ્યતિરેક સંબંધ નથી કે જેના આધારે શ્વાસોચ્છ્વાસને (પ્રાણાપાનવાયુને) ચૈતન્યનું ઉત્પાદક કારણ ગણી શકાય. વળી, શ્વાસોચ્છ્વાસની વૃદ્ધિથી ચૈતન્યની વૃદ્ધિ થતી જોઈ નથી. મરતા માણસના શ્વાસોચ્છ્વાસ બહુ જોરથી ચાલે છે પરંતુ તે માણસમાં ચૈતન્યની વૃદ્ધિ દેખાતી નથી, ઊલટું ચૈતન્યના અત્યન્ત નાશનો સમય ઉપસ્થિત થઈ જાય છે. વળી, કોઈ સમાધિનિષ્ઠ યોગી જ્યારે પ્રાણાયામ દ્વારા શ્વાસોચ્છ્વાસને રોકી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy