SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૩૦૭ ગુણની બાબતમાં છે.] ચૈતન્યના કારણભૂત શરીરાકાર ભૂતોને છોડીને ચૈતન્ય આદિ વિશેષણો (ગુણો) ધરાવતા પરલોકગામી આત્મા જેવું કોઈ તત્ત્વ છે જ નહિ. તેનું અસ્તિત્વ સિદ્ધ કરનાર કોઈ પ્રમાણ પણ નથી. પૃથ્વી આદિ ભૂતોથી ભિન્ન સ્વતન્ન અસ્તિત્વ ધરાવનાર આત્માને સિદ્ધ કરનારું પ્રમાણ કયું છે? પ્રત્યક્ષ છે કે અનુમાન? પ્રત્યક્ષ તો ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો સાથે સંયોગ (સગ્નિકર્ષ) પામેલા રૂપ, રસ આદિ વિષયોને જ ગ્રહણ કરે છે. તેથી આપના અમૂર્ત (રૂપ, રસ આદિ રહિત) જીવમાં પ્રત્યક્ષનો વ્યાપાર ઘટતો નથી. શંકા- ઇન્દ્રિયપ્રત્યક્ષ વડે ભલે આત્માની પ્રતીતિ ન થતી હોય, પરંતુ “હું ઘટને જાણું છું આ સ્વસંવેદનરૂપ અહંપ્રત્યય દ્વારા જાણવારૂપ ક્રિયાના કર્તા તરીકે આત્માની પ્રતીતિ થાય છે જ. સ્વસંવેદન પ્રત્યક્ષ પૃથ્વી આદિ ભૂતોનું નથી થતું. જેનું આ અહંપ્રત્યયરૂપ સ્વસંવેદન થાય છે તે આત્મા પૃથ્વી આદિ ભૂતોથી જુદો યા પૃથફ છે. હું છું આ અહંપ્રત્યય જ આત્માનું સાધક પ્રબળ પ્રમાણ છે. ચાર્વાક- આમ ન કહેવું જોઈએ, કારણ કે તેમાં દોષો છે. જેમ “હું જાડો છું, હું પાતળો છું આ અહંપ્રત્યય જાડા અને પાતળા શરીરના કારણે થતો હોવાથી શરીરને જ વિષય કરે છે તેમ “હું ઘટને જાણું છું આ અહંપ્રત્યય જાણનારા શરીરને જ વિષય કરે છે, તેનાથી પૃથફ આત્માને વિષય કરતો નથી. “હું જાડો છું, હું પાતળો છું એ પ્રત્યય આત્માને વિષય કરતો નથી કેમ કે આત્મામાં જાડાપણું કે પાતળાપણું હોતું નથી. તેવી જ રીતે “હું ઘટને જાણું છું આ અહંપ્રત્યય પણ જો પ્રત્યક્ષસિદ્ધ શરીરને વિષય કરીને ઘટતો હોય તો તેને એક કાલ્પનિક આત્માને વિષય કરતો માનવામાં કલ્પનાગૌરવનો દોષ છે, તમે સ્વીકારેલો આત્મા તો સ્વપ્નમાં પણ દેખાતો નથી, જાગ્રત દશામાં તો દેખાવાની વાત જ ક્યાં રહી ! સર્વથા અપ્રતીત વસ્તુઓની કલ્પના કરવામાં કલ્પનાગૌરવદોષ તો છે જ પણ વધુમાં જગતની સઘળી વસ્તુવ્યવસ્થાના લોપનો દોષ પણ આવે છે. જો તમે કહો કે જેવી રીતે અચેતન ઘડામાં “હું ઘડો છું આ અહંપ્રત્યય થતો નથી તેવી જ રીતે જડ શરીરમાં પણ “હું ઘડાને જાણું છું' આ અહંપ્રત્યય ઘટતો નથી તો આ તમારું કહેવું યોગ્ય નથી કેમ કે ઘડા અને શરીરમાં બહુ અંતર છે, ઘડો તો સદા અચેતન જ છે જ્યારે શરીર તો ચેતનાના સંબંધથી સચેતન બની જાય છે. પૃથ્વી આદિ ભૂતોનું વિશિષ્ટ સંયોજન શરીરમાં થયું હોઈ શરીરમાં જ ચેતના પ્રગટ થાય છે અને તેથી હું જાણું છું' આ અહંપ્રત્યય સચેતન શરીરમાં જ થાય છે. તે ચેતનાનો કર્તા જીવ યા આત્મા હરગિજ નથી કેમ કે જીવ તો અવિદ્યમાન છે, કોઈ પ્રમાણથી સિદ્ધ નથી. જો તમે અસત્ વસ્તુને ચેતનાનો કર્તા માનતા હો તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy