SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ તર્કરહસ્યદીપિકા 63. અનુમાન પણ સર્વજ્ઞનું બાધક નથી બની શકતું, કેમ કે બાધક અનુમાનમાં આપ કોને ધર્મી યા સાધ્ય બનાવશો અને ક્યા ધર્મને હેતુ યા સાધન બનાવશો એ જ અનિશ્ચિત છે. ધર્મારૂપ સાધ્ય અને ધર્મરૂપ હેતુના સ્વરૂપનો નિશ્ચય ક્ય વિના તો અનુમાન જ ન થઈ શકે. શું આપ સર્વજ્ઞને ધર્મી બનાવશો કે બુદ્ધને કે સર્વ પુરુષોને? જો તમે સર્વશને ધર્મી બનાવશો તો વળી પ્રશ્ન ઊઠશે કે શું તમે તેની અસત્તા સિદ્ધ કરશો કે તેનામાં અસર્વજ્ઞતા સિદ્ધ કરશો? જો તમે સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા ઇચ્છતા હો તો સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા તમે અનુપલંભને હેતુ બનાવશો કે વિરુદ્ધ વિધિને કે વસ્તૃત્વ આદિને? જો તમે સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા માટે અનુપલંભ હેતુનો પ્રયોગ કરવા માગતા હો તો તમારે એ જણાવવું જોઈએ આ અનુપલંભ સર્વજ્ઞનો છે કે તેના કારણોને છે કે તેના કાર્યનો છે કે તેના વ્યાપક ધર્મનો છે? જો તમે સર્વજ્ઞની અસત્તા સિદ્ધ કરવા માટે સર્વજ્ઞના જ અનુપલંભને હેતુ તરીકે રજૂ કરવા માગતા હો તો તમારે એ બતાવવું પડશે કે કોને સર્વજ્ઞનો અનુપલંભ છે – ખુદ તમને કે જગતના સર્વ જીવોને? જો તમે તમને થનારા સર્વજ્ઞના અનુપલંભથી સર્વજ્ઞનો અભાવ છે એમ માનતા હો તો તમારે જણાવવું જોઈએ કે આ અનુપલંભા સામાન્ય અનુપલંભછે કે દશ્ય -દર્શનયોગ્ય-પદાર્થનો અનુપલંભ છે? સામાન્ય અર્થાત્ કોઈ દશ્ય આદિ વિશેષણ રહિત અનુપલંભથી સર્વજ્ઞનો અભાવ સિદ્ધ ન થઈ શકે કેમ કે દેવદત્તની ચિત્તવૃત્તિને યજ્ઞદત્ત કોઈ પણ પ્રમાણથી જાણતો નથી પરંતુ આ અનુપલંભથી દેવદત્તની ચિત્તવૃત્તિનો અભાવ સિદ્ધ ન થાય અને દશ્ય વસ્તુની અનુપલબ્ધિ તો કોઈ ખાસ દેશમાં યા કોઈ ખાસ સમયમાં જ તે વસ્તુનો અભાવ સાધી શકે છે, બધા દેશોમાં કે સર્વ કાલમાં નહિ. દશ્ય ઘડાની અનુપલબ્ધિ ઘડાના અભાવને અમુક ખાસ જગામાં યા અમુક ખાસ સમયમાં જ સિદ્ધ કરી શકે છે, તે ઘડાનો સર્વથા ત્રણે કાળમાં કે ત્રણે લોકમાં અભાવ સિદ્ધ કરી શકતી નથી. તમે જ વિચારો કે જે વસ્તુનો સર્વથા અભાવ હોય તે વસ્તુ દશ્ય - દષ્ટિ ગોચર થવા યોગ્ય - કેવી રીતે હોઈ શકે? દશ્ય કહેવાનો અર્થ જ એ છે કે તે વસ્તુ ક્યારેક ને ક્યારેક ક્યાંક ને ક્યાંક ઉપલબ્ધ થાય છે, તેની સત્તા છે. તેથી, દશ્યાનુપલબ્ધિથી સર્વજ્ઞનો સર્વથા અત્યન્ત અભાવ સિદ્ધ થઈ શકે નહિ. હા એટલું સિદ્ધ કરી શકાય કે “અત્યારે અહીં સર્વજ્ઞ નથી.” આ જ રીતે દશ્ય વસ્તુની બધાં જ પ્રાણીઓને અનુપલબ્ધિ હોઈ શકે નહિ, તે દશ્ય વસ્તુ કોઈ ને કોઈને ઉપલબ્ધ હોય જ. સર્વજ્ઞ જેવો સચેતન પદાર્થ જો બીજા કોઈને ઉપલબ્ધ ધારો કે ન પણ હોય પરંતુ સર્વજ્ઞને પોતાને તો પોતે ઉપલબ્ધ હશે જ, તેથી કોઈ પણ દશ્ય વસ્તુની બધાં જ પ્રાણીઓને અનુપલબ્ધિ હોઈ શકે જ નહિ. વળી, તમે મીમાંસકો એ કેવી રીતે જાણશો કે જગતનાં બધાં જ પ્રાણીઓ સર્વશને જાણતા નથી. કોઈ પણ અસર્વજ્ઞને માટે બધાંને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy