SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ તર્કરહસ્યદીપિકા નતપાવવામાં આવે તો પણ તેમાં ઉષ્ણતાની ચરમસીમા અર્થાત્ અગ્નિરૂપતા આવતી નથી. તેથી તમારો જૈનોનો તરતમભાવયા ક્રમિક વૃદ્ધિરૂપ હેતુ વ્યભિચારી છે. [એટલે તમે જે નિયમ બાંધ્યો છે કે જેમાં તરતમભાવ હોય તે ક્યાંકને ક્યાંક પૂર્ણ પ્રકર્ષ પામે છે તે વ્યભિચારી છે.] જૈન- ના, આપે જે કહ્યું તે સાચું નથી. તેનું કારણ સમજાવીએ છીએ. વસ્તુના સ્વાભાવિક ધર્મનો જ અભ્યાસ દ્વારા પૂર્ણ વિકાસ થાય છે. જે ધર્મ વસ્તુમાં અન્ય સહકારીઓની મદદથી ઉત્પન્ન થાય છે તે ધર્મ આગન્તુક હોવાથી તે ધર્મની બાબતમાં પૂર્ણ પ્રકર્ષનો નિયમ નથી. પાણીમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તે પાણીનો સ્વાભાવિક ધર્મ નથી પરંતુ અગ્નિ સાથેના સંબંધના કારણે ઉત્પન્ન થયેલો આગન્તુક ધર્મ છે. તેથી તે વધતો વધતો પોતાની ચરમ સીમાને અર્થાત્ અગ્નિરૂપતાને કેવી રીતે પહોંચી શકે? ઊલટું પાણીને અત્યન્ત તપાવવાથી તો તેનો નાશ થઈ જશે અને સૂકાઈને વરાળ થઈ ઊડી જશે. સુવર્ણને તપાવવાથી તેનામાં શુદ્ધિ આવે છે, આ શુદ્ધિ સુવર્ણનો સ્વભાવિક ધર્મ છે અને પોતાના આશ્રયભૂત સુવર્ણમાં વિશેષતા ઉત્પન્ન કરે છે, તેથી શુદ્ધિની ચરમ કોટિ- પૂર્ણ શુદ્ધિ – સુવર્ણમાં પ્રગટ થાય છે. તેવી જ રીતે જ્ઞાન જીવનો સ્વાભાવિક ધર્મ છે, તેથી તે પોતાના આશ્રયભૂત આત્મામાં વિશેષતા ઉત્પન્ન કરે છે. તે સતત અભ્યાસ કરવાથી ક્રમિક વિકાસ સાધતો અને ઉત્તરોત્તર અધિક અતિશય યા વિશેષતા પામતો છેવટે વિકાસની ચરમ સીમાએ પહોંચી જગતના સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર કરનારો બની જાય છે, એમાં કંઈ અજુગતું નથી. આનાથી જ ઊંચા કૂદકાનો અભ્યાસ કરવા છતાં પણ કોઈ સો યોજન કૂદી શકતું નથી' એ આપની શંકાનું પણ સમાધાન થઈ જાય છે. ઊંચું કૂદવું એ આત્માનો કે શરીરનો સ્વાભાવિક ધર્મ નથી. ઊંચે કૂદવાથી આત્મામાં કોઈ વિશેષતા આવતી નથી, ઊલટું શક્તિથી બહાર કૂદવાની કોશિશ કરીએ તો દમ નીકળી જાય કે હાથપગ ભાંગી જાય. ઊંચે કૂદવાથી શરીરમાં પણ કોઈ વિશેષતા આવતી નથી. વધુ પડતું ઊંચે કૂદવાથી શરીરનો હ્રાસ થાય છે. 60. तथा जलधिजलपलप्रमाणादयः कस्यचित्प्रत्यक्षाः प्रमेयत्वात्, घटादिगतरूपादिविशेषवत् । न च प्रमेयत्वमसिद्धं, अभावप्रमाणस्य व्यभिचारप्रसक्तेः । तथाहि-प्रमाणपञ्चकातिक्रान्तस्य हि वस्तुनोऽभावप्रमाणविषयता भवताभ्युपगम्यते । यदि च जलधिजलपलप्रमाणादिषु प्रमाणपञ्चकातिक्रान्तरूपमप्रमेयत्वं स्यात्, तदा तेष्वप्यभावप्रमाणविषयता स्यात्। न चात्र तत्त्वेऽपि सा संभाविनीति । यस्य च प्रत्यक्षाः, स भगवान् सर्वज्ञ ત્તિા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy