SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૫૧ જગત સીધું જ કર્મને પરતન્ન રહે, બકરીના ગળાના આંચળ જેવા નિરર્થક ઈશ્વરનું શું કામ? 40. વતુર્થપગ્નમોસ્તુ વીતરાગતામાવ: પ્રસંmતે તથાદિ- “રાवानीश्वरः क्रीडाकारित्वाबालवत्, तथा अनुग्रहप्रदत्वाद्राजवत्, तथा द्वेषવાન નિકીત્તવિ' રૂઢિા 40. (૪) જો ઈશ્વરે ક્રિીડા કરવા માટે જગતનું નિર્માણ કર્યું હોય અર્થાત્ તેણે પોતાના મનોવિનોદ માટે આ બધો ખેલ કર્યો હોય અને રમકડાં બનાવ્યાં હોય તો ખેલાડી બાળકો જેવો જ તે રાગ-દ્વેષવાળો બની જાય. [મનોવિનોદ માટે લીલા કરવી એ તો રાગવૃત્તિનું ફળ છે. વળી જે મનોવિનોદ માટે અર્થાત્ આનંદ મેળવવા માટે ક્રીડા યા લીલા કરે તેનામાં આનન્દની અધૂરપ જ હોય, તે સંપૂર્ણાનન્દ ન હોય. જે સંપૂર્ગાનન્દ ન હોય તે પૂર્ણ કેવી રીતે ગણાય? અને તો પછી તે ઈશ્વર શેનો ? આનંદઘનજી ત્રઋષભ જિનેશ્વરના પ્રથમ સ્તવનમાં કહે છે કે “દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષવિલાસ.”]તેથી આપણે નિશ્ચિતપણે કહી શકીએ છીએ કે ઈશ્વર રાગી છે કેમ કે તે ક્રીડા કરે છે, બાળકની જેમ.” (૫) જો ઈશ્વર સજ્જનો ઉપર અનુગ્રહ કરવા અને દુર્જનોને દંડ દેવા જગતનું સર્જન કરતો હોય તો પણ તે રાગદ્વેષવાળો જ હોય. તે ભક્તોનો ઉદ્ધાર રાગથી જ કરે અને દુષ્ટોને દંડ દ્વેષથી જ દે. વિના રાગ-દ્વેષ અનુગ્રહ-નિગ્રહ કરી શકાતા નથી. રાગદ્વેષવિનિર્મુક્ત વ્યક્તિ અનુગ્રહ-નિગ્રહના પ્રપંચમાં પડતી જ નથી. તેથી એ પણ નિશ્ચિતપણે કહી શકાય કે – “ઈશ્વર રાગદ્વૈષવાળો છે કેમ કે તે કોઈ ઉપર અનુગ્રહ કરે છે અને કોઈનો નિગ્રહ કરે છે, જેમ કે રાજા.' 41. अथ स्वभावतः, त_चेतनस्यापि जगत एव स्वभावतः प्रवृत्तिरस्तु किं तत्कर्तृकल्पनयेति । न कार्यत्वहेतुर्बुद्धिमन्तं कर्तारमीश्वरं साधयति । 41. જો જગતનું સર્જન કરવું ઈશ્વરનો સ્વભાવ હોવાથી તે જગતનું સર્જન કરતો હોય તો અચેતન જગત પોતાના સ્વભાવથી જ પ્રવૃત્તિ કરો, તેના કર્તાની કલ્પના કરવાની કોઈ આવશ્યકતા નથી. [જો તમારે તૈયાયિકોને છેવટે સ્વભાવનો આશરો લેવો પડતો હોય તો તમારે અચેતન પદાર્થોનો જ એ સ્વભાવ માની લેવો જોઈએ કે જેવા કારણોનો સંયોગ અચેતન પદાર્થો પામે છે તેવા રૂપે પોતાની પ્રવૃત્તિ સ્વભાવથી જ કરે છે.' કહેવાનું તાત્પર્ય એ કે હાઈડ્રોજનમાં જયારે ઓક્સિજન અમુક માત્રામાં મળે છે, અર્થાત તેમનું સંયોજન થાય છે, ત્યારે સ્વભાવથી જ જલ બની જાય છે. વચમાં એજંટ (દલાલ)ની શું આવશ્યકતા છે?] આમ બધી રીતે વિચારતા કાર્યવ હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy