SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૪૭ तदुत्पत्तावस्य निमित्तकारणत्वात्, अन्यथा मुक्तात्मनोऽपि तदुत्पत्तिप्रसक्तेः । विद्यादिप्रभावस्य चादृश्यत्वहेतुत्वे कदाचिदसौ दृश्येत । न खलु विद्याभृतां शाश्चतिकमदृश्यत्वं दृश्यते, पिशाचादिवत् । जातिविशेषोऽपि नादृश्यत्वे हेतुरेकस्य जातिविशेषाभावादनेकव्यक्तिनिष्ठत्वात्तस्य । 35. અથવા તો માની લઈએ કે તે જંગલી ઘાસ આદિનો કર્તા છે પણ તેમ છતાં તમે જણાવો કે તે દેખાતો કેમ નથી? શું તેના ન દેખાવાનું કારણ તેનું અશરીરી હોવું છે, કે તેનો વિદ્યામત્રાદિનો પ્રભાવ છે. કે તેની વિશિષ્ટ જાતિ છે ? જો તેના ન દેખાવાનું કારણ તેનું અશરીરી હોવું છે એ પ્રથમ પક્ષ સ્વીકારીએ તો તે અશરીરી ઈશ્વર કર્તા પણ ન હોઈ શકે. જેમ મુક્ત જીવો અશરીરી હોઈ કર્તા નથી તેમ ઈશ્વર પણ અશરીરી હોઈ કર્તા ન હોઈ શકે. નૈયાયિક- શરીરનો કર્તૃત્વમાં કોઈ ઉપયોગ નથી. કર્તા બનવા માટે માત્ર જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન જ જોઈએ. જ્યારે મનુષ્ય મરીને નવા શરીરને ધારણ કરવાની તૈયારી કરે છે ત્યારે અશરીરી હોવા છતાં પણ નવા શરીરને કરવામાં તેનું કર્તુત્વ ઘટે છે. [તે અશરીરી નવા શરીરને બનાવવામાં ઉપયોગી પરમાણુઓને પ્રેરે પણ છે.] જૈન- તમે જે કહ્યું તે ઘટતું નથી. મર્યા પછી પૂલ શરીર ભલે ન હોય પણ સૂક્ષ્મ શરીર હોય છે જ. એ સૂક્ષ્મ શરીર સાથે તે જીવાત્માનો સંબંધ હોવાથી તે નવું સ્થળ શરીર બનાવવા માટે પરમાણુ આદિને પ્રેરે છે. જો તે સૂક્ષ્મ શરીર પણ તેને ન હોય તો તે સર્વથા અશરીરી બની મુક્ત બની જાય. સર્વથા શરીરરહિત બની જતાં તે મુક્ત આત્માઓની જેમ નવું સ્થૂળ શરીર બનાવવા માટે પરમાણુઓને પ્રેરણા ન કરી શકે. વળી જો ઈશ્વર અશરીરી હોય તો તેનામાં જ્ઞાન, ઈચ્છા અને પ્રયત્ન પણ ન હોય. તમારા નૈયાયિકોના મતે જ્ઞાનાદિની ઉત્પત્તિમાં શરીર નિમિત્તકારણ છે. જો શરીરરૂપ નિમિત્તકારણ વિના જ જ્ઞાનાદિની ઉત્પત્તિ તમે માનશો તો તમારે મુક્ત આત્માઓમાં પણ જ્ઞાનાદિની ઉત્પત્તિ માનવી પડે. પરિણામે તમારી જ્ઞાનાદિ વિશેષ ગુણોની અત્યન્ત નિવૃત્તિરૂપ મુક્તિનો લોપ જ થઈ જાય. જો વિદ્યામન્ત્રના પ્રભાવે ઈશ્વર પોતાને અદશ્ય રાખતો હોય તો ક્યારેક તો કોઈકને તે દેખાવો જોઈએ. વિદ્યા યા મન્નાદિના મોટા મોટા પ્રયોગો કરનારા વિદ્યાધરો પોતાને પિશાચોની જેમ સદા અદશ્ય રાખી શકતા નથી, તેઓ ક્યારેક ક્યારેક તો પ્રગટ થઈ જ જાય છે. પિરંતુ ઈશ્વરને જંગલી ઘાસ આદિ બનાવતો તો કોઈએ કદાપિ જોયો જ નથી.] ઈશ્વરની અદશ્યતામાં જાતિવિશેષને કારણ ગણવી પણ યોગ્ય નથી કેમ કે જ્યારે આપ નૈયાયિકો ઈશ્વરને એકલો એક જ માનો છો ત્યારે તેને કોઈ જાતિનો ગણવો એ નિતાત્ત અસંગત Kain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy