SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ તર્કરહસ્યદીપિકા અયોગ્ય છે, કારણ કે ઘટ આદિના શરીરી અને અસર્વજ્ઞ કર્તા તથા પૃથ્વી આદિના અશરીરી અને સર્વજ્ઞ કર્તામાં કોઈ સામાન્ય કર્તુત્વ ધર્મ પ્રસિદ્ધ નથી કે જેના વડે સામાન્યકર્તાનું અનુમાન થઈ શકે. સામાન્ય કર્તુત્વ ધર્મ પ્રસિદ્ધ નથી કેમ કે આજ સુધી કોઈએ પણ અશરીરી અને સર્વજ્ઞ કર્તાનો અનુભવ કર્યો નથી. અહીં તો પર્વતનો અગ્નિ અને રસોડાનો અગ્નિ બન્ને અગ્નિઓ દશ્ય છે, તેથી તેમનામાં રહેનારો અગ્નિત્વ નામનો સામાન્ય ધર્મ પ્રસિદ્ધ છે પરંતુ કુંભાર આદિ અસર્વજ્ઞ શરીરી કર્તા દેશ્ય હોવા છતાં પણ ઈશ્વર નામનો સર્વજ્ઞ અશરીરી કર્તા તો સ્વપ્રમાં પણ અનુભવમાં આવતો નથી જેથી બન્નેમાં રહેનાર સામાન્ય કર્તુત્વની કલ્પના કરી શકાય. જેમ ગધેડાનાં શિંગડાં અપ્રસિદ્ધ હોવાથી તેમનામાં રહેનાર ખરવિષાણત્વરૂપ સામાન્ય ધર્મની કલ્પના ન કરી શકાય તેમ સર્વજ્ઞ અને અશરીરી કર્તા પણ અપ્રસિદ્ધ હોવાથી તેમાં રહેનારા સામાન્ય કર્તુત્વની કલ્પના પણ નિતાન્ત અસંભવ છે. તેથી જેવા કારણથી જેવું કાર્ય ઉત્પન્ન થતું દેખાય તેવા કારણથી તેવા જ કાર્યનું અનુમાન કરવું પ્રામાણિકોનું અર્થાત સમજદારોનું કર્તવ્ય છે અને નહિ કે દેખાતો હોય શરીરી અસર્વજ્ઞ કર્તા અને સિદ્ધ કરવામાં આવે અત્યન્ત વિલક્ષણ અશરીરી સર્વજ્ઞ કર્તા. આમ જેટલા અને જેવા ધર્મવાળા અગ્નિથી જેટલા અને જેવા ધર્મવાળા ધૂમની ઉત્પત્તિ નિબંધ પ્રમાણો દ્વારા પ્રસિદ્ધ હોય તેટલા અને તેવા ધર્મવાળા ધૂમથી તેટલા અને તેવા જ ધર્મવાળા અગ્નિનું અનુમાન કરવું પરીક્ષકને માટે ઉચિત છે, વિલક્ષણનું નહિ. તેથી દૃષ્ટાન્ત અનુસાર શરીરી અને અસર્વજ્ઞ કર્તા સિદ્ધ થતા હોવાના કારણે કાર્ય હેતુ વિરુદ્ધ જ છે.]. 31. ન “સાળસાધનોવિશેષે ચાર ગૃહ્યHISTયાં સર્વાનુમાનોच्छेदप्रसक्तिः' इत्याद्यपास्तं द्रष्टव्यमिति । 31. તેથી તમે તૈયાયિકોએ જે કહેલું કે સાધ્ય અને સાધનની વિશેષરૂપે વ્યાપ્તિ ગ્રહણ કરાય તો બધાં અનુમાનોનો ઉચ્છેદ થઈ જાય તેનું ખંડન થઈ ગયું, કેમ કે અમે જૈનોએ સીધો અને સરળ નિયમ બનાવી દીધો છે– અને તે સાચો છે – કે જેવા કાર્યથી જેવું કાર્ય ઉત્પન્ન થતું દેખાય તેવા કારણથી તેવા જ કાર્યનું અનુમાન (યા તેવા જ કાર્ય ઉપરથી તેવા જ કારણનું અનુમાન થાય), અને આ નિયમમાં કોઈ દોષ નથી. 32. तथाकृष्टप्रभवैस्तरुतृणादिभिर्व्यभिचार्ययं हेतुः । द्विविधानि कार्याण्युपलभ्यन्ते, कानिचिबुद्धिमत्पूर्वकाणि यथा घटादीनि, कानिचित्तु तद्विपरीतानि यथाकृष्टप्रभवतृणादीनि । तेषां पक्षीकरणादव्यभिचारे, स श्यामस्तत्पुत्रत्वादितरतत्पुत्रवदित्यादेरपि गमकत्वप्रसङ्गान कश्चिद्धेतुळभि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy