SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૨ તર્કરહસ્યદીપિકા અનુમાનાન્તરથી કુતબુક્યુત્પાદકત્વરૂપ વિશેષણની સિદ્ધિ માનવામાં આવે તો તે અનુમાનાન્તરનું ઉત્થાન પણ સવિશેષણ હેતુથી માનવું પડશે. હવે આ અનુમાનાન્તરના હેતુના વિશેષણને ત્રીજા અનુમાનથી સિદ્ધ કરવું પડશે તથા ત્રીજા અનુમાનના હેતુના વિશેષણને ચોથા અનુમાનથી અને આમ ઉત્તરોત્તર અનુમાનની કલ્પનાથી અનવસ્થાદોષ આવશે. આ રીતે કાર્યત્વ હેતુનું કૃતબુક્યુત્પાદકત્વરૂપ વિશેષણ સિદ્ધ થઈ શકતું ન હોવાથી કાર્ય હેતુ વિશેષણાસિદ્ધ બની જાય છે. 28. ૨૬–“ઘાતપ્રતિપૂરિતભૂમિનેન વૃતાનામાભિનિ વૃત્તबुद्धयुत्पादकत्वनियमाभावः' इति तदप्यसत्, तत्राकृत्रिमभूभागादिसारूप्यस्य तदनुत्पादकस्य सद्भावात्तदनुत्पादस्योपपत्तेः । न च क्षित्यादावप्यकृत्रिमसंस्थानसारूप्यमस्ति, येनाकृत्रिमत्वबुद्धिरुत्पद्यते तस्यैवानभ्युपगमात्, अभ्युपगमे चापसिद्धान्तप्रसक्तिः स्यादिति । कृतबुद्ध्युत्पादकत्वरूपविशेषणासिद्धेर्विशेषणासिद्धत्वं हेतोः । 28. નૈયાયિક – અમે તો પહેલાં કહી ગયા છીએ કે જે જમીનને ખોદીને પછી જેમ હતી તેમ પૂરી દેવામાં આવી હોય તેની બાબતમાં કોઈને પણ કૃતબુદ્ધિ થતી નથી. તેથી એવો કોઈ નિયમ નથી કે જે કાર્ય હોય તે કુતબુદ્ધિ ઉત્પન્ન કરે જ. જેન– આપનું કહેવું યોગ્ય નથી કેમ કે જે જમીનને ખોદીને પાછી જેમ હતી તેમ જપૂરીને કરી દેવામાં આવી હોય તે અણખોદેલી જમીન સમાન જ થઈ જાય છે, એટલે તેના વિશે કૃતબુદ્ધિ ન પણ થાય, પરંતુ પૃથ્વી આદિમાં કયાં અકૃત્રિમ સંસ્થાનવાળાં પૃથ્વી આદિ સાથે સમાનતા છે કે જેના કારણે તેમનામાં કતબુદ્ધિ ન થઈ શકે અને અકૃત્રિમબુદ્ધિ જ એમનામાં સદા થાય? કોઈ પણ અકૃત્રિમ પૃથ્વી આદિ તો આપે માન્યાં નથી. જો પૃથ્વી આદિ ન રચવામાં આવેલાં અકૃત્રિમ પૃથ્વી આદિ સાથે સમાનતા ધરાવતાં હોય તો પૃથ્વી આદિમાં કાર્યત્વ હેતુ અસિદ્ધ જ બની જાય. પૃથ્વી આદિને અકૃત્રિમ માનતાં તો આપના “પૃથ્વી આદિ ઈશ્વરકૃત છે' એવા સિદ્ધાન્તનો વિરોધ થાય, અપસિદ્ધાન્તનો દોષ આવે. આમ “કૃતબુદ્ધયુત્પાદકત્વ' આ વિશેષણ અસિદ્ધ હોતાં હેતુ વિશેષણાસિદ્ધ બની જાય છે. 29. સિધ્યતુ વા, તથાણસ વિરુદ્ધ, પટવાવિવ શરીરવિશિષ્ટવ बुद्धिमत्कर्तुत्र प्रसाधनात् । 29. અથવા એ માની પણ લઈએ કે પૃથ્વી આદિને વિશે “એ ઈશ્વરે બનાવ્યાં છે' એવી કૃતબુદ્ધિ થાય છે તેમ છતાં “કૃતબુદ્ધયત્પાદક' વિશેષણવાળો વિશેષ કાર્યત્વ હેતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy