SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત ૨૩૭ તેનો જે સ્વભાવ હોય તે જ સ્વભાવ તેનો સૂરજ બનાવતી વખતે રહેતો હોય, તેના સ્વભાવમાં કંઈ જ ફેરફાર ન થતો હોય તો સૂરજ કાળમીંઢ પથ્થર જેવો જ બને, તેનામાં આંજી દે તેવો પ્રકાશ, ગરમી, વગેરે ન આવે. એટલે અનેક વિચિત્ર કાર્યોના એક માત્ર સ્રષ્ટા ઈશ્વરના સ્વભાવમાં પરિવર્તનને સ્વીકારવું જ પડશે. તેથી આપ નૈયાયિકોના આ કાર્યલક્ષણ અનુસાર પરિવર્તનશીલ, વિકારી હોવાથી ઈશ્વર સ્વયં કાર્ય બની જાય છે. હવે તેને પણ કોઈ બીજો બુદ્ધિમાન ઉત્પન્ન કરશે (કારણ કે તે કાર્ય છે), તે બીજો બુદ્ધિમાન પણ આ જ રીતે કાર્ય બનશે, એટલે તેને પણ કોઈ ત્રીજો બુદ્ધિમાન ઉત્પન્ન કરશે અને આમ અનેક ઈશ્વરો કાર્યરૂપ બનતા જ જશે, તેનો અન્ન જ નહિ આવે, પરિણામે અનવસ્થાદોષ આવશે.] વિકારનો અર્થ છે – સત્ અર્થાત્ અસ્તિત્વ ધરાવતી વસ્તુના સ્વભાવમાં કંઇક અન્યથાભાવ અર્થાત્ ફેરફાર યા પરિવર્તન થઈ જવું. સ્વભાવમાં ફેરફાર તો ઈશ્વરમાં માનવો જ પડશે, અન્યથા વિચિત્ર જગત અર્થાત્ જગતનાં વિચિત્ર કાર્યો તેમના નિશ્ચિતરૂપમાં એક ઈશ્વરથી ઉત્પન્ન નહિ થઈ શકે. [જો ઈશ્વરમાં કંઈ પણ પરિવર્તન ન થતું હોય, તે સદા આત્યંતિકપણે એકરૂપ જ રહેતો હોય તો તે સદા એકસરખાં અર્થાત્ એક જ સ્વભાવવાળાં કાર્યો ઉત્પન્ન કરે, ઉપરાંત તે કાં તો સદા સૃષ્ટિ જ કર્યા કરે કાં તો સદા પ્રલય જ કર્યા કરે, સૃષ્ટિ અને પ્રલય વારાફરતી ન કરી શકે. જ્યારે કોઈ અમુક કાર્ય ઉત્પન્ન થતું નથી ત્યારે તેને અનુલક્ષી ઈશ્વરમાં અકર્તૃત્વ તો માનવું જ પડે અને જ્યારે તે કાર્ય ઉત્પન્ન થવા લાગે ત્યારે તેને અનુલક્ષી ઈશ્વરમાં કર્તૃત્વ પણ માનવું જ પડે. આમ ન માનીએ તો વ્યવસ્થા તૂટી પડે. તેથી ઈશ્વર જ્યાં સુધી પોતાનો અકર્તૃત્વ સ્વભાવ છોડીને કર્તૃત્વ સ્વભાવ ધારણ ન કરે, અકર્તાથી કર્તા ન બને, પોતામાં રહેલા અકર્તૃત્વને ત્યાગીને કર્તૃત્વરૂપમાં પરિવર્તન ન કરે ત્યાં સુધી તે અન્ય કાર્યોનો કર્તા બની શકે નહિ. તાત્પર્ય એ કે જગત્કર્તા બનવા માટે ઈશ્વરે અકર્તૃતા છોડી કર્તૃતા ધારણ કરવી જ પડે.] આમ ઈશ્વરે પરિવર્તનશીલ, વિકારી બનવુ પડે. અને પ્રસ્તુત લક્ષણ અનુસાર તો જે વિકારી હોય તે કાર્ય એટલે ઈશ્વર કાર્ય બન જાય. હવે ઈશ્વર કાર્ય હોઈ તેને બનાવનારો બીજો કોઈ બુદ્ધિમાન હશે, બીજો બુદ્ધિમાન પણ કાર્ય હોતાં તેને બનાવનારો કોઈ ત્રીજો બુદ્ધિમાન અને આ પરંપરાનો કોઈ અન્ત આવશે નહિ અને અનવસ્થા થશે. આમાંથી બચવા જો ઈશ્વરને અવિકારી માનશો તો તેનું કાર્યકર્તૃત્વ દુર્ઘટ બની જશે. આમ જેમ જેમ કાર્યના સ્વરૂપનો વિચાર કરતા જઈએ છીએ તેમ તેમ કોઈ પણ રીતે કાર્યનું સ્વરૂપ ઘટતું નથી, પરિણામે કાર્યનું અસ્તિત્વ જ સિદ્ધ થતું નથી, એટલે આપ તૈયાયિકોએ ઈશ્વરને સિદ્ધ કરવા આપેલો કાર્યત્વહેતુ અસિદ્ધ છે. 24. ઋિષ, વાતાદ્યિ વસ્તુ જોજે ાર્યત્વેન પ્રસિદ્ધમ્ । નવતસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy