SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમતા ૨૨૩ तादृशैरपि पूज्यस्य मानवतिर्यकखेचरकिन्नरादिनिकरसेव्यत्वमानुषङ्गिकमिति । अनेन पूजातिशय उक्तः । 7. જિનેન્દ્ર ભગવાન સુરાસુરેન્દ્રોથી સંપૂજિત છે. સુરો એટલે સર્વ દેવો. અસુરો એટલ દૈત્યો. જૈનમતમાં જેટલા સુરો છે અને જેટલા અસુરો છે તે બધા સામાન્યપણે “સુર” શબ્દથી ગૃહીત થઈ જાય છે કેમ કે તે બધા દેવગતિમાં સમુત્પન્ન છે], તેમ છતાં લોકોમાં તેમને પૃથફ ગણવાની રૂઢિ હોવાથી તે લોકરૂઢિ અનુસાર જ “સુરાસુરેન્દ્રસંપૂજિત' વિશેષણમાં તેમનો અલગ ઉલ્લેખ કરાયો છે. લોકો તો અસુરોને સુરોના પ્રતિપક્ષી અર્થાત્ શત્રુ માને છે અને તેમનો પૃથફ નિર્દેશ કરે છે. તે સુરો અને અસુરોના ઇન્દ્રો અર્થાત્ સ્વામીઓ વડે જિનેન્દ્ર ભગવાન સંપૂજિત છે. જયારે સુરેન્દ્ર અને અસુરેન્દ્ર પણ જિનેન્દ્ર ભગવાનને પૂજે છે ત્યારે મનુષ્ય, તિર્યંચ, વિદ્યાધર, કિન્નર આદિ વડે તેમનું પૂજાવું આપોઆપ જ ફલિત થાય છે. પ્રસ્તુત વિશેષણ દ્વારા ભગવાન જિનેન્દ્રનો પૂજાતિશય કહેવાયો છે. 8. तथा सद्भूताः-यथावस्थिता येऽर्थाः-जीवादयः पदार्थास्तेषां प्रकाशकः-उपदेशकः । अनेन वचनातिशय ऊचानः ।। 8. જિનેન્દ્ર ભગવાન સભૃતાર્થપ્રકાશક છે. સદ્ભૂત એટલે યથાવસ્થિત, જેવા છે તેવા જ. અર્થો એટલે જીવ વગેરે પદાર્થો. પ્રકાશક એટલે પ્રગટ કરનાર, ઉપદેશનાર. અર્થાત્ જિનેન્દ્ર ભગવાન જીવ આદિ પદાર્થોનું જેવું વાસ્તવિક સ્વરૂપ છે તેવું જ પ્રગટ કરે છે, નિરૂપે છે. આ વિશેષણ દ્વારા જિનેન્દ્ર ભગવાનનો વચનાતિશય પ્રગટ કરવામાં આવ્યો છે. 9. तथा कृत्स्नानि-संपूर्णानि घात्यघातीनि कर्माणि-ज्ञानावरणादीनि, तेषां क्षयः- सर्वथा प्रलयः । तं कृत्वा परमं पदं-सिद्धि संप्राप्तः । एतेन कृत्स्नकर्मक्षयलक्षणा सिद्धावस्थाभिदधे । अपरे सुगतादयो मोक्षमवाप्यापि तीर्थनिकारादिसंभवे भूयो भवमवतरन्ति । यदाहुरन्ये "ज्ञानिनो धर्मतीर्थस्य कर्तारः परमं पदम् । गत्वा गच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥१॥" इति । न ते परमार्थतो मोक्षगतिभाजः कर्मक्षयाभावात् । न हि तत्त्वतः कर्मक्षये पुनर्भवावतारः । यदुक्तम् Jain Education International ain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy