SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ તર્કરહસ્યદીપિકા त्रेभ्यो भूतुपञ्चकं भवतीति ॥४०॥ एवं चतुर्विंशतितत्त्वरूपं निवेदितं सांख्यमते प्रधानम् । अन्यस्त्वकर्ता विगुणश्च भोक्ता तत्त्वंपुमानित्यचिदभ्युपेतः ॥४१॥ 16. શ્લોકવ્યાખ્યા સૂક્ષ્મસંજ્ઞક રૂપતન્માત્રામાંથી તેજ અર્થાત અગ્નિ ઉત્પન્ન થાય છે. રસતનાત્રામાંથી આપ અર્થાત્ જલની ઉત્પત્તિ થાય છે. ગબ્ધતન્માત્રામાંથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. સ્વરમાંથી અર્થાત્ શબ્દતન્માત્રામાંથી આકાશનો પ્રાદુર્ભાવ થાય છે અને સ્પર્શતન્માત્રામાંથી વાયુ ઉત્પન્ન થાય છે. આમ પાંચ તન્માત્રાઓમાંથી પાંચ ભૂતોની ઉત્પત્તિ થાય છે. (૪૦) [પાંચ ભૂતોમાં આકાશનો એક ગુણ શબ્દ છે, વાયુના બે ગુણો શબ્દ અને સ્પર્શ છે, અગ્નિના ત્રણ ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે, જળના ચાર ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે, અને પૃથ્વીના પાંચ ગુણો શબ્દ, સ્પર્શ, રૂ૫, રસ અને ગબ્ધ છે. હવે જેઓ પ્રતિતન્માત્રામાં એક એક જ ગુણ માને છે તેમને માટે પ્રશ્ન એ ઉભો થાય છે કે એક ગુણવાળી તન્માત્રા એકથી વધુ ગુણોવાળા ભૂતને કેવી રીતે ઉત્પન્ન કરી શકે. ઉદાહરણાર્થ– ગન્ધતન્માત્રામાં તો એક માત્ર ગબ્ધ ગુણ છે તો તેણે ઉત્પન્ન કરેલા પૃથ્વી ભૂતમાં શબ્દાદિ પાંચ ગુણો ક્યાંથી પેદા થયા? કારણમાં જે ગુણ હોય તે કાર્યમાં આવે એવો સિદ્ધાન્ત છે. આના ઉત્તરમાં પોતાની સાંખ્યત્ત્વકૌમુદીમાં (કારિકા ૨૨) વાચસ્પતિ મિશ્ર નીચે પ્રમાણે જણાવે છે – શબ્દતન્માત્રામાંથી આકાશની ઉત્પત્તિ થાય છે અને આકાશનો એક જ ગુણ શબ્દ છે. શબ્દતન્માટાસહિત મિલિત સ્પર્શતન્માત્રામાંથી વાયુની ઉત્પત્તિ થાય છે અને તેથી વાયુમાં બે ગુણો શબ્દ અને સ્પર્શ છે. શબ્દતન્માત્રા અને સ્પર્શતક્નાત્રા એ બે સહિત રૂપતન્યાત્રા અગ્નિને ઉત્પન્ન કરે છે અને તેથી અગ્નિમાં ત્રણ ગુણો શબ્દ, સ્પર્શ અને રૂપ છે. શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા અને રૂપતન્માત્રા એ ત્રણ સહિત રસતન્માત્રા જળને ઉત્પન્ન કરે છે એટલે જળમાં ચાર ગુણો શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ છે. શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા અને રસતન્માત્રા એ ચાર સહિત ગન્ધતન્માત્રા પૃથ્વીને ઉત્પન્ન કરે છે એટલે પૃથ્વીમાં શબ્દાદિ પાંચેય ગુણો છે. જેઓ પ્રતિતન્માત્રામાં એક એક ગુણ જ માનતા નથી પરંતુ શબ્દતન્માત્રા, સ્પર્શતક્નાત્રા, રૂપતન્માત્રા, રસતન્માત્રા અને ગન્ધતન્માત્રા યથાક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગુણો ધરાવે છે એમ માને છે એમને આ પ્રશ્ન નડતો નથી.] આમ અમે સાંખ્યમતમાં સ્વીકૃત ચોવીસ તત્ત્વરૂપ પ્રધાન નામના મૂળ તત્ત્વનું નિરૂપણ કર્યું. પ્રધાનથી ભિન્ન પુરુષતત્ત્વ છે. પુરુષ અકર્તા, નિર્ગુણ, ભોક્તા તથા નિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy