SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ તર્કરહસ્યદીપિકા ત્રણ ગુણોનાં લિગો ક્યાં છે? તેના ઉત્તરમાં આચાર્યે કહ્યું છે – “પ્રસાદ ઈત્યાદિ. આ સત્ત્વ આદિ ત્રણે ગુણોનું ક્રમશઃ પ્રસાદ, તાપ અને દીનતા આદિ કાર્યો દ્વારા અનુમાન થાય છે. પ્રસાદ એટલે પ્રસન્નતા. તાપ એટલે સંતાપ. દૈન્ય એટલે દીનવચન આદિના કારણભૂત વિષણતા અર્થાત વિષાદ. પ્રસાદતાપદૈન્ય એ દ્વન્દ્રસમાસ છે. “આદિ શબ્દથી તે તે પ્રકારનાં અન્ય કાર્યો સમજવાં. આવાં કાર્યો સત્ત્વ આદિ ગુણોનું અનુમાન કરવા માટે લિંગો અર્થાત ચિહ્નો અર્થાતુ ગમતો છે. તાત્પર્ય એ કે પ્રસન્નતા, બુદ્ધિપાટવ, લાઘવ, પ્રસવ અર્થાત્ પ્રજનન, અનભિન્કંગ અર્થાત્ અનાસક્તિ, અદ્વેષ, પ્રીતિ વગેરે કાર્યો સત્ત્વગુણનાં લિંગો, ચિલોયા ગમકો છે. તાપ અર્થાત્ સંતાપ, શોષ, ભેદ અર્થાત્ ફૂટ પાડવાની બુદ્ધિ, ચિત્તની ચંચળતા, સ્તબ્ધતા અને ઉદ્વેગ આદિ કાર્યો રસગુણનાં લિંગો, ચિહ્નો યા ગમકો છે. દૈન્ય, મોહ યા મૂઢતા, અજ્ઞાન, સાજન અર્થાત્ બીજાને બાધા પહોંચાડવી, બીભત્સ, અજ્ઞાન, અગૌરવ અર્થાત્ સ્વાભિમાનશૂન્યતા આદિ કાર્યો તમસગુણનાં લિંગો,ચિહ્નો યા ગમકો છે. આ કાર્યો વડે સત્ત્વ આદિ ગુણોનું [અનુમાન દ્વારા] જ્ઞાન થાય છે. ઉદાહરણો – જગતમાં જે કોઈ સુખ પામે છે અર્થાત્ સુખી હોય છે તે ઋજુતા, મૃદુતા, સત્ય, શૌચ(પવિત્રતા), લાજ-શરમ, બુદ્ધિ યા વિવેકબુદ્ધિ, ક્ષમા, અનુકમ્મા, પ્રસન્નતા આદિનું સ્થાન હોય છે. અને તે જ તો સાત્વિક અર્થાત્ સત્ત્વગુણપ્રધાન પુરુષની ઓળખ છે. જગતમાં જે કોઈ દુઃખ પામે છે અર્થાત દુઃખી હોય છે તે દ્વેષ, દ્રોહ, મત્સર, નિન્દા, વંચન (ઠગવાની બુદ્ધિ), બંધન (ફસાવવાની બુદ્ધિ), તાપ અર્થાત્ સંતાપ આદિનું સ્થાન હોય છે. અને તે જ તો રાજસિક અર્થાત્ રજ ગુણપ્રધાન પુરુષની ઓળખ છે. જગતમાં જે કોઈ મોહ પામે છે અર્થાત્ મૂઢ કે અજ્ઞાની હોય છે તે અજ્ઞાન, મદ, આળસ, ભય, દીનતા, અકર્મયતા, નાસ્તિકતા, વિષાદ, ઉન્માદ, દુઃસ્વપ્ન આદિનું સ્થાન હોય છે. અને તે જ તો તામસિક અર્થાત્ તમગુણપ્રધાન પુરુષની ઓળખ છે. પૂર્તિ – સત્ત્વાદિ ત્રણ ગુણો દ્રવ્યરૂપ છે. તેઓ નિત્ય પરિણમનશીલ છે. તેઓ પરસ્પર ગૌણમુખ્યભાવ ધારણ કરી વિભિન્ન સન્નિવેશવિશેષરૂપે પ્રગટ થાય છે અને આ સન્નિવેશવિશેષો જ જગચિય છે. તેઓ અતીન્દ્રિય છે છતાં તેમનાં કાર્યો દ્વારા અનુમેય છે. તેઓ પરસ્પરનો અભિભવ કરે છે (અન્યોન્યામભવવૃત્તય:). પુરુષના ધર્માધર્માનુસાર તેને સુખાદિરૂપ ફળ આપવા માટે જયારે ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણ સ્વકાર્યજનનોમુખ, પ્રકટ, ઉદ્દભૂત વાપ્રધાન બને છે ત્યારે બાકીના બે ગુણોને તે દબાવે છે, અભિભૂત કરે છે. તે ત્રણે ગુણો પરસ્પરનો આશ્રય લે છે (અન્યોન્યાશ્રયેવૃત્ત). તેમની વચ્ચે આધારાધેય સંબંધ નથી. પરંતુ તેઓ એકબીજાના સહકારથી જ પોતાનું કાર્ય કરે છે. તેઓ એકબીજાના સહચર છે (કોમિથુનવૃત્ત :). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy