SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ તર્કરહસ્યદીપિકા કે તે પ્રમેય છે.” [પ્રમેયત્વ હેતુ શબ્દમાં (પક્ષમાં) રહે છે, બધી જ અનિત્ય વસ્તુઓમાં (સપક્ષોમાં) રહે છે તેમ જ બધી જ નિત્ય વસ્તુઓમાં (વિપક્ષોમાં) પણ રહે છે.] (૪) કાલાત્યયાદિષ્ટ હેતુના પ્રયોગને અનુકૂળ સમય તો તે છે જયારે હેતુ પ્રત્યક્ષ અને આગમ દ્વારા અબાધિત પક્ષમાં પ્રયુક્ત થાય છે. પરંતુ જ્યારે હેતુ પ્રત્યક્ષ અને આગમ દ્વારા બાધિત પક્ષમાં પ્રયુક્ત થાય છે ત્યારે તે પોતાનો કાળ વીતી ગયા પછી પ્રયુક્ત થયેલ હોવાથી કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસ બની જાય છે. [તાત્પર્ય એ છે કે પ્રત્યક્ષ અને આગમથી બાધિત પક્ષમાં પ્રયુક્ત થતો હેતુ કાલાત્યયાદિષ્ટ હેત્વાભાસ છે.] ઉદાહરણાર્થ, “અગ્નિ શીત છે કેમ કે તે કૃતક(કાર્ય) છે,' અહીં કૃતકત્વ હેતુ પ્રત્યક્ષબાધિત પક્ષમાં પ્રયુક્ત થયો છે, એટલે તે કાલાત્યયાદિષ્ટ છે. બીજું ઉદાહરણ બ્રાહ્મણોએ મદિરા પીવી જોઈએ કેમ કે તે દૂધ જેવું પ્રવાહી દ્રવ્ય છે,” અહીં હેતુ આગમબાધિત પક્ષમાં પ્રયુક્ત થયો છે, એટલે તે કાલાત્યયાપદિષ્ટ છે. (૫) પ્રકરણસમ– સ્વપક્ષની સિદ્ધિમાં જે ત્રિરૂપ હેતુ હોય તેના સમાન બળવાળો પરપક્ષની સિદ્ધિમાં અન્ય ત્રિરૂપ હેતુ હોતાં પ્રથમ હેતુ પ્રકરણસમ હેત્વાભાસ બને છે. પ્રકરણમાં અર્થાત્ પક્ષ અને પ્રતિપક્ષ બન્નેમાં સમ અર્થાત્ તુલ્ય બળવાળા હેતુઓ પ્રકરણસમ કહેવાય છે. ઉદાહરણો- જ્યારે એક વાદીએ “શબ્દ અનિત્ય છે કેમ કે તે અનિત્ય પક્ષ અને અનિત્ય સપક્ષ એ બેમાંથી એક છે, જેમ કે સપક્ષ' આવો હેતુનો પ્રયોગ કર્યો ત્યારે પ્રતિવાદીથી ન રહેવાયું અને તે બોલી ઊઠ્યો કે જો આ પ્રણાલીથી તમે શબ્દને અનિત્ય સિદ્ધ કરો છો તો બરાબર તે જ પ્રણાલીથી શબ્દમાં નિત્યતાની સિદ્ધિ થવી જોઈએ, જેમ કે “શબ્દ નિત્ય છે કેમ કે તે નિત્ય પક્ષ કે નિત્ય સપક્ષ બેમાંથી એક છે, જેમ કે સપક્ષ.” બીજું ઉદાહરણ – જ્યારે એક વાદીએ કહ્યું કે “શબ્દ અનિત્ય છે કેમ કે તેમાં નિત્યત્વ ધર્મ મળતો નથી, જેમ કે ઘટ' ત્યારે પ્રતિવાદી કહે છે કે “શબ્દ નિત્ય છે કેમ કે તેમાં અનિત્યત્વ ધર્મ મળતો નથી, જેમ કે આકાશ.’ આ રીતે સમાન બળવાળો પ્રતિપક્ષી હેતુ મળતાં પહેલો હેતુ પ્રકરણસમ હેત્વાભાસ બની જાય છે. આ બે હેતુઓમાં કોઈ એક હેતુ બીજ હેતુથી વધુ બળવાન નથી, જો હોત તો વધુ બળવાન હેતુ ઓછા બળવાન હેતુનો બાધક બની જાત. જો કે હેવાભાસો નિગ્રહસ્થાનોમાં અન્તભૂત છે તેમ છતાં હેત્વાભાસો દ્વારા વાદમાં ન્યાયનો વિવેક થાય છે અને પરિણામે વસ્તુની. શુદ્ધિ થાય છે, એટલે હેત્વાભાસોનું પૃથફ નિરૂપણ કરવામાં આવ્યું છે. 84. “છન્ન સૂપો નવો : " રૂતિ પોપચસ્તવ સ્વામિમત નથી वचनविघातश्छलम् । तत्रिविधं वाक्छलं सामान्यच्छलमुपचारच्छलं च । 84. “આ કૂવામાં નવોદક છે આ છલ છે. અહીં નવોદકથી વક્તાનો અભિપ્રાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy