SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૪૧ સાધ્ય વસ્તુ પ્રયોજન યા ફલ કહેવાય છે. જેની વાંછાથી કરણીય અર્થમાં પ્રવૃત્તિ કરવામાં આવે છે તેનું નામ પ્રયોજન છે. જો કે પ્રયોજનનો અન્તર્ભાવ પ્રમેયમાં થઈ જ જાય છે તેમ છતાં પ્રમાણના નિરૂપણરૂપ પ્રવૃત્તિ તથા કોઈ પણ અન્ય પ્રવૃત્તિ પ્રયોજનમૂલક હોય છે, એટલે પ્રમેયથી પૃથક્ પ્રયોજનને ગણાવી તેને નિરૂપવામાં આવ્યું છે. (૨૫) 64. अथ दृष्टान्तसिद्धान्तौ व्याचिख्यासुराहदृष्टान्तस्तु भवेदेष विवादविषयो न यः । सिद्धान्तस्तु चतुर्भेदः सर्वतन्त्रादिभेदतः ॥२६॥ 64. હવે દૃષ્ટાન્ત અને સિદ્ધાન્તની વ્યાખ્યા કરવાના ઇચ્છુક આચાર્ય કહે છે જેની બાબતમાં કોઈને વિવાદ ન હોય એવો બધાના સમ્યક્ જ્ઞાનનો વિષયભૂત અર્થ દૃષ્ટાન્ત છે. સર્વતન્ત્ર આદિ ભેદથી સિદ્ધાન્તના ચાર પ્રકાર છે. (૨૬) 65. વ્યાધ્યા તૂટ્ટોન્તો નિશ્ચયોન્ઝેતિ દૃષ્ટાન્ત:, વૃષ્ટાન્ત: પુનરેવોડ્યું भवेत् । एष क इत्याह- य उपन्यस्तः सन् विवादविषयो वादिप्रतिवादिनोमिथो विरुद्धो वादो विवादः, तस्य विषयो गोचरो न भवति, वादिप्रतिवादिनोभयोः संमत एवानुमानादौ दृष्टान्त उपन्यस्तव्य इत्यर्थः । पञ्चस्ववयवेषु वक्ष्यमाणोऽपि दृष्टान्तः साध्यसाधनधर्मयोः प्रतिबन्धग्रहणस्थानमिति पृथगिहोपदिश्यते । तावदेव ह्यन्वयव्यतिरेकयुक्तोऽर्थः स्खलति, यावन्न स्पष्टदृष्टन्तावष्टम्भः । उक्तं च- "तावदेव चलत्यर्थो मन्तुर्विषयमागतः । यावन्नोत्तम्भनेनैव दृष्टान्तेनावलम्ब्यते ॥१॥" 65. શ્લોકની વ્યાખ્યા દષ્ટ અર્થાત્ જોવામાં આવેલ છે અન્ત અર્થાત્ નિશ્ચય જ્યાં તેને દૃષ્ટાન્ત કહે છે. જેને કહેવામાં આવતાં વાદી કે પ્રતિવાદી કોઈને પણ વિવાદ અર્થાત્ વિરુદ્ધવાદ ન હોય, જે બન્નેને સમાનપણે સમ્મત હોય તે પ્રસિદ્ધ નિર્વિવાદ પદાર્થ દૃષ્ટાન્ત છે. અનુમાન આદિમાં આવા દૃષ્ટાન્તનું જ કથન કરવું જોઈએ. જો કે હવે પછી કહેવામાં આવનાર પાંચ અવયવોમાં દૃષ્ટાન્ત સમાવિષ્ટ છે તેમ છતાં દૃષ્ટાન્ત તો સાધ્ય અને સાધનના અવિનાભાવસંબંધને ગ્રહણ કરવાનું સ્થાન હોવાથી તેનો પૃથક્ નિર્દેશ કરવામાં આવ્યો છે. અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિમાં ત્યાં સુધી શંકા રહ્યા જ કરે છે જ્યાં સુધી સ્પષ્ટપણે પ્રસિદ્ધ દૃષ્ટાન્તને રજૂ કરવામાં ન આવે. કહ્યું પણ છે કે “વિચારકની બુદ્ધિમાં આવેલો વિષયભૂત પદાર્થ ત્યાં સુધી સંદિગ્ધ રહે છે જયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy