SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨ ૧ નિયાયિકમત અનુમાનપ્રમાણ રૂપ જ બની જશે. ઉત્તર–પ્રમાના સાધકતમ કારકને પ્રમાણ કહે છે, તેથી જે અકારક હોય તે પ્રમાણ ન જ હોય. પ્રત્યક્ષજ્ઞાનરૂપ ફળ જે અકારક રહે છે તે અનુમાનપ્રમાણ નથી બનતું. પરંતુ જે પ્રત્યક્ષજ્ઞાનરૂપ ફળમાં કારકતા મળે છે તે જ અનુમાનપ્રમાણ બને છે. તાત્પર્ય એ કે જે પ્રત્યક્ષપ્રમાણનું ફળભૂત લિંગજ્ઞાન અવ્યભિચરિત, અવ્યપદેશ્ય તથા વ્યવસાયાત્મક અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરે છે તે જ અનુમાન પ્રમાણ હોય છે, અન્ય નહિ. પ્રસ્તુત ઉત્તરમાં દોષ અને છેવટેનો નિષ્કર્ષ– અમે જણાવીએ છીએ કે આ વ્યાખ્યા અનુસાર તો વિશિષ્ટ જ્ઞાન જ અનુમાનપ્રમાણ બની શકે. પરંતુ માત્ર જ્ઞાન જ અનુમાનપ્રમાણ હોતું નથી, શાસ્ત્રમાં તો જ્ઞાનરૂપ ન હોય તે પદાર્થોને પણ લિંગિજ્ઞાનની (સાધ્યજ્ઞાનની) ઉત્પત્તિમાં સાધકતમ હોવાથી અનુમાન પ્રમાણ કહ્યા છે. ન્યાયસૂત્રમાં જ કહ્યું છે કે “સ્મૃતિ, અનુમાન, આગમ, સંશય, પ્રતિભા, સ્વપ્નજ્ઞાન, ઊહ, સુખાદિનું પ્રત્યક્ષ તથા ઇચ્છા આદિ મનનાં લિંગ છે.” આમાં સ્મૃતિ આદિ જ્ઞાનોની જેમ જે જ્ઞાનરૂપ નથી એવા ઇચ્છા આદિ પદાર્થોને પણ લિંગ અર્થાત્ અનુમાનપ્રમાણ માન્યા છે. સૂત્રકારનો તો એ અભિપ્રાય છે કે લિંગિજ્ઞાનરૂપ વિશિષ્ટ ફળને ઉત્પન્ન કરનાર પદાર્થને અનુમાન પ્રમાણ ગણવો જોઈએ– ભલે પછી તે પદાર્થ જ્ઞાનરૂપ હોય કે જ્ઞાનરૂપે ન હોય. આમ આ વ્યાખ્યામાં અવ્યાપ્તિદોષ રહેલો છે. તેથી અવ્યભિચારી આદિ વિશેષણોથી વિશિષ્ટ તપૂર્વકપૂર્વિકા અર્થોપલબ્ધિ જેનાથી પણ ઉત્પન્ન થતી હોય તે અનુમાનપ્રમાણ છે, આ જ વ્યાખ્યા યુક્તિસંગત છે. 37. નવંત્રપિ વિઘપ્રદાનર્થમિતિ રે; ; અનુમાનવમાનर्थत्वात् । पूर्ववदादिग्रहणं च स्वभावादिविषयप्रतिषेधेन पूर्ववदादिविषयज्ञापनार्थम् । पूर्ववदाद्येव त्रिविधविभागेन विवक्षितं न स्वभावादिकमिति प्रथमं व्याख्यानम्। 37. શંકા– જો સૂત્રમાં “પૂર્વવત' આદિ ત્રણ નામ ગણાવી જ દીધાં છે તો પછી ‘ત્રિવિધ પદનો પ્રયોગ કરવાની શી આવશ્યકતા છે? તે નિરર્થક જ છે. સમાધાન– ત્રિવિધ પદ અનુમાનના ભેદોનું સૂચક હોવાથી સાર્થક છે. પૂર્વવત્' આદિ પદો તો એ જણાવવા માટે મૂક્યા છે કે ત્રણ ભેદ “પૂર્વવત્, શેષવત્ અને સામાન્યતોદષ્ટ' રૂપથી જ થઈ શકે છે, સ્વભાવ, કાર્ય આદિ રૂપે નહિ. આ થયું પ્રથમ વ્યાખ્યાન (સમજૂતી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy