SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ તર્કરહસ્યદીપિકા पदेश्यमिति विशेषणं न शाब्दे सम्बन्धनीयं तस्य शब्दजन्यत्वेन व्यपदेश्यत्वात् । अथ प्रमाणस्य भेदानाह- तच्चतुर्विधम्' तत्प्रमाणं चतुर्विधं રમૈતમ્ ૨૪-૧દ્દા 16. સૌપ્રથમ પ્રમાણના સ્વરૂપનું નિરૂપણ કરવાની ઇચ્છાવાળા આચાર્ય પ્રમાણના સામાન્ય લક્ષણને તથા પ્રમાણની સંખ્યાને જણાવે છે અર્થોપલબ્ધિનું અર્થાત્ અર્થજ્ઞાનનું સાધન પ્રમાણ છે. સ્તંભ, ઘટ, કમલ આદિ બાહ્ય અર્થોની તેમજ જ્ઞાન, સુખ આદિ આન્તરિક અર્થોની ઉપલબ્ધિ અર્થાત્ પ્રતીતિ(જ્ઞાન) અર્થોપલબ્ધિ છે. “વ્યાખ્યાન દ્વારા વિશેષાર્થનું જ્ઞાન થાય છે' એ ન્યાય અનુસાર અહીં અવ્યભિચારિણી, અવ્યપદેશ્યા તથા વ્યવસાયાત્મિકા (નિશ્ચયાત્મિકા) એવી આ ત્રણેય વિશેષોથી યુક્ત અર્થોપલબ્ધિ ગ્રહણ કરવી જોઈએ અને નહિ કે સામાન્ય ઉપલબ્ધિ અર્થાતુ બધી જ ઉપલબ્ધિ.[અવ્યપદેશ્યાનો અર્થ શું? વ્યપદેશ એટલે શબ્દ. શબ્દજન્યા એટલે વ્યપદેશ્યા. કેટલાંક જ્ઞાનો એક સાથે ઈન્દ્રિયાર્થસમિકર્ષજન્ય અને શબ્દજન્ય હોય છે. આવાં ઉભયજ જ્ઞાનોને અહીં વ્યપદેશ્ય સમજવાં. જે ઉપલબ્ધિ શબ્દજન્યા ન હોય તે અવ્યપદેશ્યા. અથવા શબ્દનો વિષય બનેલી પણ વ્યપદેશ્યા કહેવાય. ઉદાહરણાર્થ, “આ રૂપજ્ઞાન છે, આ રસજ્ઞાન છે” એવું શબ્દ દ્વારા રૂપજ્ઞાન અને રસજ્ઞાનનું વર્ણન થતાં જ ઇન્દ્રિયાર્થસકિર્ષથી ઉત્પન્ન થઈ રહેલું રૂપજ્ઞાન અને રસજ્ઞાન શબ્દનો વિષય બની જાય છે એટલે ત્યારે તે રૂપજ્ઞાન અને રસજ્ઞાન વ્યપદેશ્ય બને છે. આમ આ ઉદાહરણમાં શબ્દનો વિષય બનેલી અર્થાત શબ્દવર્ણિત રૂપોપલબ્ધિ અને રસોપલબ્ધિ વ્યપદેશ્યા છે. પરંતુ જે ઉપલબ્ધિ શબ્દનો વિષય બની નથી તે ઉપલબ્ધિ અવ્યપદેશ્યા છે. આવી અવ્યભિચારિણી, અવ્યપદેશ્યા તેમ જ વ્યવસાયાત્મિકા ઉપલબ્ધિનું જ કારણ છે તે જ પ્રમાણ છે. અર્થોપલબ્ધિ પોતે તો પ્રમાણનું ફળ છે. તાત્પર્ય એ કે અવ્યભિચાર આદિ વિશેષણોથી યુક્ત અર્થોપલબ્ધિને ઉત્પન્ન કરનારી સકલ કારણસામગ્રી અથવા તો તે સામગ્રીનો એક એક ભાગ ચક્ષુ, દીપક, જ્ઞાન આદિ– જ્ઞાનરૂપ હોય કે અચેતન–જો અર્થોપલબ્ધિમાં સાધકતમ કારણ બને છે તો તે પ્રમાણ છે. અર્થોપલબ્ધિની જનતા જ પ્રમાણતા છે. તે કારણસામગ્રીથી ઉત્પન્ન થનારી અર્થોપલબ્ધિ તો ફલ છે. આ જ અર્થોપલબ્ધિ જ્યારે ઇન્દ્રિયો દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારે પ્રત્યક્ષ કહેવાય છે અને લિંગ દ્વારા ઉત્પન્ન થાય છે ત્યારે અનુમાન કહેવાય છે. આ જ રીતે વિશેષ પ્રમાણોનાં લક્ષણો આચાર્ય આગળ કહેશે. કેવળ શાબ્દપ્રમાણનું લક્ષણ કરતી વખતે “અવ્યપદેશ્ય' વિશેષણનો સંબંધ અર્થોપલબ્ધિ સાથે જોડવો ન જોઈએ કેમ કે શાબ્દજ્ઞાન યા આગમજ્ઞાન તો શબ્દજન્ય હોવાથી વ્યપદેશ્ય જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy