SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૮૯ व्यवहारमात्रम् । कतमानि पञ्च । अतीतोऽद्धा, अनागतोऽद्धा, सहेतुको विनाशः, आकाशम्, पुद्गल इति । अत्र पुद्गलशब्देन परपरिकल्पितो नित्यत्वव्यापकत्वादिधर्मक आत्मेति । बाह्योऽर्थों नित्यमप्रत्यक्ष एव, ज्ञानाकारन्यथानुपपत्त्या तु सन्नवगम्यते । साकारो बोधः प्रमाणम् । तथा क्षणिकाः सर्वसंस्काराः । स्वलक्षणं परमार्थः । यदाहुस्तद्वादिनः- "प्रतिक्षणं विशरारखो रूपरसगन्धस्पर्शपरमाणवो ज्ञानं चेत्येव तत्त्वम्"[ ] इति । अन्यापोहः शब्दार्थः । तदुत्पत्तितदाकारताभ्यामर्थपरिच्छेदः । नैरात्म्यभावनातो ज्ञानसंतानोच्छेदो मोक्ष इति । 97, સૌત્રાન્તિકોનો મત આ છે – બધા સંસારી જીવોને રૂપ, વેદના, વિજ્ઞાન, સંજ્ઞા તથા સંસ્કાર એ પાંચ સ્કન્ધો હોય છે, પણ આત્મા હોતો નથી. આ સ્કન્ધો જ પરલોક જાય છે. તેમનો આ સ્પષ્ટ સિદ્ધાન્ત છે કે – “હે ભિક્ષુઓ આ પાંચ વસ્તુઓ સંજ્ઞામાત્ર (નામમાત્ર) છે, પ્રતિજ્ઞામાત્ર છે, સંવૃતિમાત્ર(કલ્પનામાત્ર) છે, વ્યવહારમાત્ર છે. કઈ પાંચ વસ્તુઓ? અતીત અપ્પા(કાલ), અનાગત અધ્વા, સહેતુક વિનાશ, આકાશ તથા પુદ્ગલ (આત્મા).' અહીં “પુદ્ગલ' શબ્દ નૈયાયિક વગેરેએ સ્વીકારેલા નિત્ય-વ્યાપક આત્માના અર્થમાં વપરાયો છે. બાહ્ય અર્થ સદા અપ્રત્યક્ષ જ રહે છે. તેની સત્તાનું જ્ઞાન તો જ્ઞાનમાં પ્રતિબિંબિત આકારની અન્યથાનુપપત્તિ દ્વારા થાય છે. અર્થાત જ્ઞાનગત આકારનો ખુલાસો બાહ્ય અર્થ વિના શક્ય ન હોઈ, તે આકાર ઉપરથી બાહ્ય અર્થનું અનુમાન કરવામાં આવે છે. સાકાર જ્ઞાન પ્રમાણ છે.બધા સંસ્કાર ક્ષણિક છે અર્થાત્ અત્યન્ત વિનશ્વર છે. સ્વલક્ષણ જ વાસ્તવિક અર્થ (વસ્તુ) છે. સૌત્રાન્તિકમતવાદીઓ કહે છે– “પ્રતિક્ષણ નાશ પામતા રૂપ, રસ, ગબ્ધ અને સ્પર્શના પરમાણુઓ તથા જ્ઞાન આટલાં જ તત્ત્વો છે.” શબ્દનો વાચ્ય અર્થ વિધિરૂપ નથી પણ અન્યાપોહરૂપ છે. (અર્થાત્ “ગો' શબ્દનો વાચ્ય અર્થ છે અગોવ્યાવૃત્તિ.) જ્ઞાન અર્થથી(વસ્તુથી) ઉત્પન્ન થઈને (તદુત્પત્તિ) અને અર્થનો આકાર ધારણ કરીને (તદાકારતા) અર્થને જાણે છે (પરિચ્છેદ કરે છે). નૈરાભ્યની ભાવના દ્વારા જ્ઞાનના સન્તાનનો પ્રવાહનો) સર્વથા ઉચ્છેદ જ મોક્ષ (નિર્વાણ) છે. 98. યોરારમતિ ત્રિ—વિજ્ઞાનમામિદં મુવનમ્નતિ વીહોઈ ज्ञानाद्वैतस्यैव तात्त्विकत्वात् । अनेके ज्ञानसंतानाः । साकारो बोधः प्रमाणम् । वासनापरिपाकतो नीलपीतादिप्रतिभासाः । आलयविज्ञानं हि सर्ववासनाधारभूतम् । आलयविज्ञानविशुद्धिरेवापवर्ग इति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy