SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ તર્કરહસ્યદીપિકા મૃત્યુ આદિ વ્યવહારોની વ્યવસ્થાનો લોપ જ થઈ જાય. અને આવી કલ્પના કરનારના માથે વ્યવહારની વ્યવસ્થાનો વિલોપ કરવાના ઘોર પાપની કાલિમા લાગી જાય. તેથી જગતના વ્યવહારની વ્યવસ્થાની રક્ષા અર્થે પદાર્થોને ક્ષણિક માનવા જ પડશે, ભલે ને તમારું ચિત્ત તમારા પૂર્વગ્રહના કારણે તેમ માનવા ન ઇચ્છતું હોય, પરંતુ પદાર્થની વ્યવસ્થા તો લોકપ્રતીતિથી થાય છે, કોઈની ઇચ્છા કે નચ્છાથી થતી નથી. જે અન્તમાં વિનશ્વર સ્વભાવવાળો હોય તે ઉત્પત્તિની ક્ષણે પણ વિનશ્વર સ્વભાવવાળો જ હોય. અન્તમાં નાશ પામનારો ધડો અન્તમાં વિનશ્વર સ્વભાવવાળો હોય તો તેણે ઉત્પત્તિની ક્ષણે પણ વિનશ્વર સ્વભાવવાળા જ હોવું જોઈએ, અન્યથા અન્નમાં પણ તે સ્વભાવ ક્યાંથી આવવાનો ? તેવી જ રીતે કેમ કે જગતના સમસ્ત રૂપ, રસ આદિ પણ અન્તમાં વિનશ્વર છે એટલે ઉત્પત્તિની ક્ષણથી જ તે વિનશ્વર સ્વભાવવાળા જ છે. અહીં પદાર્થોના ક્ષણિકત્વને સિદ્ધ કરવા જે હેતુનો પ્રયોગ કર્યો છે તે હેતુ સ્વભાવહેતુ પ્રકારનો છે. આમ જ્યારે વિનાશનાં કારણો વિનાશ કરવામાં અકિંચિત્કર અર્થાત્ નકામા સાબિત થાય છે ત્યારે એ નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે કે પદાર્થો પોતાનાં કારણોથી વિનશ્વરસ્વભાવવાળા જ ઉત્પન્ન થાય છે. આ રીતે પદાર્થો જ્યારે પોતાનાં કારણોથી જ વિનશ્વર સ્વભાવને ધારણ કરીને ઉત્પન્ન થયા છે ત્યારે તેમને કોણ ટકાવી રાખી શકે, સ્થિર રાખી શકે ?, તેઓ તો તે સ્વભાવના કારણે ઉત્પત્તિની ક્ષણ પછી તરત જ અનન્તર ક્ષણે નિયમથી નાશ પામશે જ. આ જ પદાર્થોની ક્ષણિકતાનું સ્વભાવમૂલક વિવેચન છે. [લાકડીના પ્રહારથી ઘડાનો નાશ થતો આપણે દેખીએ છીએ. જો વિનાશને પોતાનાં કારણો હોય જ નહિ તો અહીં લાકડી વગેરે નાશક માધ્યમોનું કાર્ય શું છે ? બૌદ્ધ કહે છે કે લાકડીનું કાર્ય ઘટનો નાશ કરવાનું નથી પણ ઘટસન્નતિથી વિસદેશ (વિજાતીય) ઠીકરાંની સન્નતિ ઉત્પન્ન કરવાનું છે. પ્રત્યેક ક્ષણે નવી નવી ઉત્પન્ન થતી સદશ વસ્તુઓની એક નિરંતર શ્રેણીને (સન્તતિને – continuumને) આપણે એક નામ, કહો કે ‘ઘટ’, આપીએ છીએ. આ શ્રેણીના (સન્તતિના) ઘટો સદેશ હોવાથી તેને સભાગ, સદેશ યા સજાતીય સન્નતિ કહેવામાં આવે છે. પરંતુ જ્યારે ‘ઘટ’ નામની સન્નતિની જગ્યાએ જુદી જાતની ‘ઠીકરાં' નામની સન્નતિ શરૂ થાય છે ત્યારે તે ઠીકરાંની સન્નતિને ઘટસન્નતિથી વિસદેશ હોવાથી વિસભાગ, વિજાતીય કે વિસદશ સન્મતિ કહેવામાં આવે છે. લાકડીના પ્રહારને લીધે ઘટસન્નતિની જગ્યાએ ઠીકરાંની સન્મતિ શરૂ થાય છે. આમ લાકડીના પ્રહારનું કાર્ય ઘટનો નાશ કરવાનું નથી – તે તો તેના સ્વભાવથી જ થાય છે— પરંતુ તે લાકડીના પ્રહારનું કાર્ય તો વિસદશ ઠીકરાંની સન્નતિ ઉત્પન્ન કરવાનું છે.] - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy