SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ તર્કરહસ્યદીપિકા ― પાટી આદિ ઉપર જીવ, અજીવ આદિ નવ પદાર્થોને એક લીટીમાં લખો. પછી છેલ્લે દસમા સ્થાન ઉપર ‘ઉત્પત્તિ' નામનું પદ લખવું જોઈએ. હવે જીવ, અજીવ આદિ નવ પદાર્થોમાંથી પ્રત્યેકની નીચે સત્ત્વ, અસત્ત્વ આદિ સાત ભંગો લખવા જોઈએ. તે સાત ભંગો આ પ્રમાણે છે - ૧. સત્ત્વ, ૨. અસત્ત્વ, ૩. સસત્ત્વ, ૪. અવાચ્યત્વ, ૫. સદવાચ્યત્વ, ૬. અસદવાચ્યત્વ, ૭. સદસદવાચ્યત્વ, આ સાત ભંગો આ રીતે સમજવા : ૧. સત્ત્વ – વસ્તુ પોતાના સ્વરૂપી છે. રે. અસત્ત્વ વસ્તુ પરરૂપથી નથી. ૩. સદસત્ત્વ – વસ્તુ સ્વરૂપની અપેક્ષાએ સત્ અને પરરૂપની અપેક્ષાએ અસત્ હોવાથી ક્રમશઃ બન્ને અપેક્ષાએ સદસત્ ઉભયરૂપ છે. જો કે વસ્તુ સ્વભાવથી હમેશા સદસદુભયધર્મવાળી જ છે તેમ છતાં જે અંશ પ્રયોગ કરનારને વિવક્ષિત હોય છે તથા ઉદ્ભૂત હોય છે તે જ અંશથી વસ્તુનો સત્ રૂપથી યા અસત્ રૂપથી યા ક્રમશઃ વિવક્ષિત સદસત્ રૂપથી વ્યવહાર થાય છે. ૪. અવાચ્યત્વ જ્યારે સત્ત્વ અને અસત્ત્વ બન્ને ધર્મોને એક સાથે (યુગપત્) એક જ શબ્દથી કહેવાની ઇચ્છા થાય છે ત્યારે યુગપત્ । બન્ને ધર્મોને પ્રધાનરૂપે કહેનારો એક શબ્દ ન હોવાથી વસ્તુ અવક્તવ્ય યા અવાચ્ય છે. આ ચાર ભંગ સકલવસ્તુને વિષય કરતા હોવાથી સકલાદેશ કહેવાય છે. ૫. સદવાચ્યત્વ – જ્યારે એક અંશ સત્ રૂપે અને બીજો અંશ અવક્તવ્યરૂપે વિવક્ષિત હોય છે ત્યારે વસ્તુ સદવાચ્ય હોય છે. ૬. અસદવાચ્યત્વ – જ્યારે એક ભાગ અસત્આપે તથા બીજો ભાગ અવાચ્યરૂપે વિવક્ષિત હોય છે ત્યારે વસ્તુ અસદવાચ્યરૂપ હોય છે. ૭. સદસદવાચ્યત્વ – જ્યારે એક ભાગ સતરૂપે, બીજો ભાગ અસરૂપે અને ત્રીજો ભાગ અવાચ્યરૂપે વિવક્ષિત હોય ત્યારે વસ્તુ સદસદવાચ્યરૂપ હોય છે. આ સાત ભંગો સિવાય બીજો કોઈ ભંગ સંભવતો નથી. બધાનો અંતર્ભાવ આ સાતમાં જ થઈ જાય છે. તેથી સાત ભંગો જ લખ્યા છે. આ સાત ભંગોને જીવ, અજીવ આદિ નવ પદાર્થો વડે ગુણવાથી (૭ X ૯) ૬૩ ભંગો બને છે. દસમા સ્થાને લખેલા ‘ઉત્પત્તિ’ની બાબતમાં પ્રથમ ચાર ભંગો જ ઘટે છે. તે ચાર ભંગો છે સત્ત્વ, અસત્ત્વ, સદસત્ત્વ અને અવાચ્યત્વ. બાકીના ત્રણ ભંગો તો ઉત્પત્તિ પછી જ્યારે પદાર્થની સત્તા(સ્થિતિ) બને છે ત્યારે તેના અવયવોની અપેક્ષાએ થતા ભંગો છે, એટલે ઉત્પત્તિની બાબતમાં તે ભંગો કહેવામાં આવ્યા નથી. પેલા ૬૩ ભંગોમાં ઉત્પત્તિના ચાર ભંગો ઉમેરતાં કુલ સડસઢ ભંગો યા વિકલ્પો બને છે. * ― Jain Education International અજ્ઞાનવાદી કહે છે – કોણ જાણે છે કે જીવ સત્ છે ? જીવની સત્તા સિદ્ધ કરનારું કોઈ પ્રમાણ નથી. તેથી તેની સત્તાને કોઈ સિદ્ધ કરી શકતું નથી, જાણતું નથી. અથવા જીવની સત્તાનું જ્ઞાન થઈ પણ જાય તો તે જ્ઞાનથી કોઈ પ્રયોજન સિદ્ધ થતું નથી. ઊલટું જ્ઞાન તો અભિનિવેશ યા અહંકારનું જનક કારણ હોવાથી પરલોકને બગાડે છે. આ --- For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy