SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર ૧ અહિંસા - મહાવ્રત ઃ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી વિરમવું. મહાવ્રત : સર્વ પ્રકારના અસત્ય કથનથી વિરમવું. ૨ સત્ય ૩ અચૌર્ય - મહાવ્રત : સર્વ પ્રકારના અદત્તાદાનથી વિરમવું. ૪ બ્રહ્મચર્ય - મહાવ્રત : બધા પ્રકાના યોન સંબંધોથી વિરમવું. ૫ અપરિગ્રહ - મહાવ્રત : સર્વ પ્રકારના ધન વગેરેના સંગ્રહનું વિરમણ. આ પાંચ પ્રકારના વ્રતોનું અતિસૂક્ષ્મરૂપે પાલન કરવું એ જ મહાવ્રત કહેવાય છે. તેનાં સ્વપરૂપાદિ આ પ્રમાણે છે : - અહિંસા મહાવ્રત : મન-વચન-કાયા તથા કૃત-કારિત-અનુમોદનાથી કોઈ પણ પરિસ્થિતિમાં ત્રસ્ત અને સ્થાવર જીવોને દુ:ખિત ન કરવાં એ અહિંસા મહાવ્રત છે'. મનમાં કોઈ બીજાને પીડિત કરવાનું વિચારવું તથા કોઈ બીજા દ્વારા કોઈ અન્યને પીડિત કરવાનું વિચારવામાં આવે ત્યારે તેનું સમર્થન કરવું એ પણ હિંસા છે. તેથી ગ્રંથમાં કહેવામાં આવેલ છે કે હિંસાની અનુમોદના કરે છે તે પણ તેના ફળને ભોગવ્યા વગર રહી શકતો નથી. ભગવાન અરિષ્ટનેમી જ્યારે પોતાના વિવાહ વખતે જુએ છે કે ઘણાં પશુઓને મારા નિમિત્તે (વિવાહની ખુશીમાં ખાવા માટે) મારવામાં આવશે ત્યારે તેઓ કહે છે કે આ બાબત મારા માટે કલ્યાણપ્રદ નથી. જેઓ હિંસામાં સુખ માને છે તેની બાબતમાં ગ્રંથમાં ખૂબ જ સુંદર રીતે કહેવામાં આવ્યું છે કે સુખ દુ:ખ પોતાના આત્મામાં જ રહે છે તથા બધા જીવોને પોતાના પ્રાણ પ્રિય હોય છે. તેથી હિંસાવૃત્તિ છોડીને તેની १. जगनिस्सिएहिं भूएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दंडं मणसा वयसा कायसा चैव ॥ - તથા જુઓ ૬. ૧૨. ૩૯, ૪૧; ૨૫. ૨૩ વગેરે २ न हु पाणवहं अणुजाणे मुच्चेज्ज कयाइ सव्वदुक्खाणं । 3 जइ मज्झ कारणा एए हम्मेति सुबहुजिया । न मे एयं तु निस्सेसं परलोगे भविस्सई || ર૬૧ Jain Education International For Private & Personal Use Only ૧૩. ૮. ૧૦. ~ ૩. ૮. ૮. --૩. ૨૨. ૧૯. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy