SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શકે છે. ગૃહસ્થ અને સાધુના આચારમાં ભેદનું કારણ વીતરાગતા ગૃહસ્થધર્મનું પાલન કરવાથી જે ફળ મળે છે તે મુક્તિનું છે એમ દર્શાવવામાં આવ્યું છે પણ તે સાક્ષાત્ ફળનો સંભવ નથી કારણ કે સિદ્ધાન્ત એવો છે કે જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા નથી થતી ત્યાં સુધી મુક્તિ મળી શકે નહીં. એ સંભવ ખરો કે ગૃહસ્થ મૃત્યુના સમયે સંસારના વિષયોથી પૂર્ણ વીતરાગી થઈ જશે ત્યારે તે વસ્તુત: ગૃહસ્થ નહીં રહે. તેથી ગ્રંથમાં સાધુનું સ્વરૂપ દર્શાવતાં લખેલ છે કે જે બાલભાવને છોડી અબાલભાવને ધારણ કરે છે તે સાધુ છે. જે સંસારાસક્ત છે તે બાળ (મૂર્ખ) છે અને જે નિરાસક્ત છે તે અબાલ (પંડિત) છે. માત્ર શિર મુંડાવવાથી શ્રમણા, ઓમકારનો જાપ જપવાથી બ્રાહ્મણ, જંગલમાં રહેવાથી મુનિ અને કુશ ધારણ કરવાથી તપસ્વી બની શકાય નહીં પરંતુ સમતાથી શ્રમણ, બ્રહ્મચર્યથી બ્રાહ્મણ, જ્ઞાનથી મુનિ અને તપ કરવાથી તપસ્વી થવાય છેૐ. આ ઉપરાંત અંતરંગ શુદ્ધિના અભાવે બાહ્યશુદ્ધિ (બાહ્યલિંગ) ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન १. वेमायाहिं सिक्खाहिं जै नरा गिहिसुव्वया । उवेति माणुस जोणि कम्मसच्चा हु पाणिणो । - તથા જુઓ ઉ. ૫. ૨૪ ; પૃ. ૨૪; પૃ. ૨૩૫, પા. ટિ. ૧-૨. ૨ વિશેષ માટે જુઓ પ્રકરણ ૭. 3 तुलिया न बालमावं अबालं चेव पंडिए । चइऊण बालभावं अबालं सेवए मुनि || न यि मुण्डिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं कुसचीरेण न तावसो || समयाए समणो होइ बंभवेरेण बंभणो । नाणेण य मुणी होई तवेण होइ तावसो || जं मग्गहा बाहिरयं विसोहि न तं सुइद्धं कुसला वयंति । Jain Education International ૧૩. ૭. ૨૦. For Private & Personal Use Only ૩. ૧. ૩૦. –૩. ૨૫-૩૧-૩૨. --૩. ૧૨. ૩૮. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy