SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક દિવસે વહાણ હાંક્યાં. શ્રીપાળ પોતાની પદમણી લઈને વહાણે ચડ્યો. ઓ જાય ! ઓ જાય ! સહુ જોઈ રહ્યાં, ને વહાણ દરિયામાં આગળ વધી ગયાં. વચમાં રત્નદ્વીપ આવ્યો. ત્યાં વહાણ નાંગર્યા. શ્રીપાળ કહે : શેઠ ! તમારા માલ સાથે મારો માલ વેચજો.” જાણે બિલાડીને દૂધ મળ્યું. ધવલ શેઠ કહે, “ભલે. આપણે ક્યાં જુદાઈ છે ?” એણે તો માલ વેચવા માંડ્યો. સારું સારું એ પોતાનું ને ખરાબ ખરાબ એ શ્રીપાળનું, પણ શ્રીપાળનું મન તો મોટું છે. એવે ટાણે કોઈ સાર્થવાહ ત્યાંથી નીકળ્યો. એ કહે : “અહીંથી થોડે દૂર એક દેવમંદિર છે. એનાં દ્વાર બંધ છે. રાજાની કુંવરીને વ્રત છે, કે જે એ દ્વાર ઉઘાડે એને પરણું.” સિંહ અને સત્પરુષો કદી હાર જાણતા નથી. શ્રીપાળે નવપદજીની આરાધના કરી, વચન નાખ્યાં : “હે દેવ ! સત મારું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002062
Book TitleShripal Charitra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy