SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ શ્રીપાળ ચરિત્ર તું ભાગ્યશાળી છે અને એ નર લાખેણો છે. એનાથી ધર્મનો ઉદ્યોત થશે. જાગતી જ્યોત જેવો એક મંત્ર આપું. આગમરૂપી સાગર વલોવી માખણ તને કાઢી આપું. બસ, ત્યારે બાપજી, આપો ને !' બાઈ ! હે બહેન ! બે હાથ જોડીને આસ્થાથી શ્રવણ કર. એનું નામ નવપદ યંત્ર. જિનશાસનમાં શ્રદ્ધા રાખજે. દેવ-ગુરુની પૂજા કરજે. નવપદની આરાધના કરજે. સિદ્ધચક્રનું ધ્યાન ધરજે. તારાં દુ:ખ જશે. દળદર ફીટશે.” એ નવપદ એટલે શું ? એની આરાધના કેમ થાય ?' “નવપદમાં, પહેલું પદ અરિહંતનું : સંસારથી તરવાનો જેણે માર્ગ બતાવ્યો, એનું ધ્યાન ધરવું, બીજું પદ સિદ્ધનું ભવરૂપી અરણ્યને ઉલ્લંઘી મોક્ષધામને વરનારનું; ત્રીજું પદ આચાર્યનું : પંચાચારના પાળનાર ને ધર્મના ધોરીનું ચોથું પદ ઉપાધ્યાયનું : અજ્ઞાનીને પણ જ્ઞાનમાર્ગ બતાવનારનું; પાંચમું પદ સાધુનું : કંચન-કામિનીના ત્યાગી, શીલ-સંયમના પાળનારનું; છછું પદ દર્શનનું : શાસનમાં સાચી શ્રદ્ધા રાખનારનું; દેવ, ગુરુ ને ધર્મથી ચલિત ન થનારનું; સાતમું પદ જ્ઞાનનું : ભણે-ભણાવે, જ્ઞાન ને જ્ઞાનીનો આદર કરે તેનું; આઠમું પદ ચારિત્ર્યનું : આઠ કર્મને નિર્મૂળ કરનારનું, છ ખંડના ભોક્તા ચક્રવર્તી પણ એને અંગીકાર કરે છે; નવમું પદ તપનું વ્રત કરે, વરતોલાં કરે, અતિથિને પૂજે, ઊણે પેટે જમે, બીજાને ખવડાવીને ખાય, તેનું છે.” આ નવપદજીનું એક યંત્ર બનાવવું. પાંચ ધાતુનું પતરું લાવવું. એમાં અષ્ટદળ કમળ ચીતરવું. મધ્યમાં અરિહંત થાપવા. તેના મસ્તકે ઉપલી પાંખડીમાં સિદ્ધ થાપવા અને બીજી દિશામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002062
Book TitleShripal Charitra
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy