SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ આર્દ્રતા ઉભરાય છે. કેટલાય એવા સમર્થ માણસો હોય છે કે જેઓ કહેતા હોય કે પોતાને મૃત્યુનો જરાય ડર નથી. પોતે એને માટે તૈયાર બેઠા છે. પરંતુ એવા માણસો જ્યારે કેન્સરમાં અથવા એવા કોઈ ગંભીર રોગમાં સપડાયા હોય અને જાણી લીધું હોય કે હવે પ્રોતે થોડા દિવસના જ મહેમાન છે, ત્યારે વાતવાતમાં તેઓ રડી પડતા હોય છે. માણસ ખૂન, ચોરી, વ્યભિચાર, ખોટા દસ્તાવેજ, દાણચોરી વગેરે કોઈક અપકૃત્ય કરે અને પકડાઈ જાય ત્યારે તે અત્યંત દીન બને છે. તેનો ચહેરો મ્લાન બની જાય છે. લોકોને ત્યારે તે મોંઢું બતાવી શકતો નથી. પોતાની અપકીર્તિથી તે ઝાંખો પડી જાય છે. એથી કોઈકને માનસિક રોગ થાય છે. કોઇકને આપધાત કરવાનું મન થાય છે, કેટલાક ખરેખર આપઘાત કરી બેસે છે. દીનતાનાં આ પરિણામ છે. દીનતા પણ બધાંની એક સરખી હોતી નથી. કોઈકની સામાન્ય, તો કોઈકની તીવ્રતર, તીવ્રતમ હોય છે. કેટલાકને દીનતા આરંભમાં કહે છે, પણ પછી ગમે છે અને કેટલાકને દીનતાની ટેવ પડી જાય છે, એમના જીવનમાં એ ઘર કરી બેસે છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે ‘મા વૃત્તિ ટીન વર્ષેઃ ।' દીન વચન બોલો નહિ. સકારણ કે અકારણ દીન વચન બોલવું નહિ. ક્યારેક અતિશય લાચાર બનેલા માણસથી દીન વચન બોલાઈ જાય છે. ‘મારે માથે તો દુઃખનો પહાડ તૂટી પડ્યો છે;’ ‘અમે તો સાવ પાયમાલ થઈ ગયા;’ ‘આ દુનિયામાં અમારું કોઈ નથી;' ‘અમે અનાથ થઈ ગયા;’ ‘અમે ક્યાં હતા અને આજે ક્યાં આવી પડ્યા ?’ ‘અમે તો રસ્તા પરના થઈ ગયા’; ‘મારે દેવું એટલું થઈ ગયું છે કે મરવાનું મન થઈ જાય છે;' ‘મેં ધારેલું નહિ કે મારી સાથે આવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy