SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ અંત આવે જ છે. આપણા પોતાના જ જીવનકાળ દરમિયાન કેટકેટલા પરિચિત જનોને વિદાય લેતા આપણે જોઇએ છીએ ! આપણે કેટલાયની સ્મશાનયાત્રામાં જઈ આવ્યા છીએ ! દુનિયામાં કોઈ ગ્રામનગર એવું નથી કે જ્યાં સ્મશાન-કબ્રસ્તાન ન હોય અને કોઈ સ્મશાન એવું નથી કે જે ૨જા ઉ૫૨ કે હડતાલ પ૨ ઊતર્યું હોય. એટલે જ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના ‘ઈષુકારીય’ નામના અધ્યયનમાં કહ્યું છે કે કોઈ એવું નથી કે જે એમ કહી શકે કે ‘હું ક્યારેય મરીશ નહિ.’ ઉત્તરાધ્યયન સૂત્રના આ ‘ઈષુકારીય’ નામના ચૌદમા અધ્યયનમાં સંયમના પંથને વરેલા છ પુણ્યશાળી જીવોની કથાને વણી લેવામાં આવી છે. પ્રાચીન કાળમાં ઇયુકાર નામનો રાજા હતો. એના નામ પરથી એની નગરીનું નામ પડ્યું હતું ઇબુકારનગર. છ જીવો દેવગતિમાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનુષ્યગતિમાં અવતર્યા હતા. પૂર્વના ઋણાનુબંધ અનુસાર તેઓ છએ ઇષુકારનગરમાં જન્મ્યા હતા. એમાંથી ચાર બ્રાહ્મણકુળમાં અને બે ક્ષત્રિયકુળમાં રાજારાણી તરીકે જન્મ્યા હતા. બ્રાહ્મણકુળમાં જન્મેલા એક તે પુરોહિત હતા. બીજો જીવ તે એમની પત્ની યશા હતી. બીજા બે જીવો તે એમના બે દીકરાઓ હતા. મોટા થતાં આ બંને કુમારોને એક વખત એક યોગી મહાત્માનાં દર્શન થયાં. દર્શન થતાં જ બંનેને જાતિસ્મરણ જ્ઞાન થયું. પોતાના પૂર્વ ભવનું જ્ઞાન થતાં જ બંને કુમારોને જન્મ, જરા અને મૃત્યુવાળા સંસારથી વિરક્ત થઈને દીક્ષા લેવાના ભાવ થયા. એથી ઘરે આવીને તેઓએ પિતાજી આગળ પોતાની ઈચ્છા દર્શાવી. પિતા પુરોહિતે કહ્યું કે ‘તમે બંને પહેલાં વેદાભ્યાસ કરો, બ્રાહ્મણોને જમાડો, ગૃહસ્થાશ્રમમાં દાખલ થાવ, ભોગ ભોગવો અને પછી દીક્ષા લેજો.' પરંતુ પિતાની આ વાત પુત્રોએ સ્વીકારી નહિ. પોતે શા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy