SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પૂ.મહારાજશ્રીએ કહ્યું કે ‘મારી મુહપત્તિ કોઈ દિવસ ખોવાઈ જતી નથી. એ ન જડી એમાં કોઈક અશુભ સંકેત લાગે છે. કોઈ માઠા સમાચાર આવશે.' તેઓ બીજી મુહપત્તિ લઈને વિહાર કરતા વલ્લભીપુર પહોંચ્યા. સાંજે બે માઠા સમાચાર આવ્યા. એક તે પૂ. શ્રી ન્યાયવિજયજી મહારાજ (ત્રિપુટીવાળા) કાળધર્મ પામ્યા હતા અને બીજા તે ભારતના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અવસાન પામ્યા હતા. ૪૬ પૂ. મહારાજશ્રીને યુવાન વયે ફરતા વાનો રોગ લાગુ પડ્યો હતો અને તે જીવનના અંત સુધી રહ્યો હતો. એ વાની જ્યારે પીડા થાય ત્યારે તે અસહ્ય બની જતી. કેટલીયે વાર પૂ. મહારાજશ્રી આખી રાત જાગતા બેઠા હોય. શરીરમાં ભારે દુ:ખાવો હોય છતાં સમતાપૂર્વક તેઓ સહન કરી લેતા અને પ્રસન્ન રહેતા. તેઓ કહેતા કે આ ફરતો વા તો મારો ભાઈબંધ છે. એ જ્યારે આવે છે ત્યારે રાતના ઉજાગરા કરાવે છે અને શરીરમાં જાણે શૂળ ભોંકાતી હોય એવી પીડા કરીને મારા કર્મોનો નાશ કરે છે. એ તો મારો ઉપકારી ભાઈબંધ છે. આવો ભાઈબંધ દુનિયામાં મળે નહિ.' પૂ. મહારાજશ્રીની નાની નાની વાતોમાં પણ જાગૃતિ ઘણી રહેતી. જીવદયા, રસત્યાગ વગેરે તો એમની રગેરગમાં વણાઈ ગયાં હતાં. પૂ. મહારાજશ્રીને મોટી ઉંમરે પ્રોસ્ટેટની વ્યાધિ થઈ હતી. એથી પેશાબ કરવામાં એમને ઘણી તકલીફ પડતી હતી. અમદાવાદમાં એક ગૃહસ્થે આવીને કહ્યું, ‘મહારાજજી, મને પણ પ્રોસ્ટેટની વ્યાધિ છે, પણ હું એ માટે કેસુડાંનો ઉપયોગ કરું છું. એથી મને ઘણી રાહત થઈ ગઈ છે. આપ પણ કેસુડાંનો ઉપયોગ કરો. હું લાવી આપીશ.' પૂ. મહારાજશ્રીએ કહ્યું, ‘ભાઈ, મારી આ વેદના એ તો મારા પૂર્વકર્મનો ઉદય છે. કેસુડાં તો લીલી વનસ્પતિ છે. એકેન્દ્રિય જીવ છે. એના પ્રાણનો નાશ કરીને મારી વેદના શાન્ત કરવાના વિચારે જ મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy