SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ મહારાજશ્રીએ “ભાલ-નળકાંઠા પ્રયોગ' તથા “નળકાંઠાનું નિદર્શન' નામની પુસ્તિકામાં આ પ્રદેશનો વાસ્તવિક ચિતાર આપ્યો છે. મોડાસર ગામમાં તેમને ડાહ્યાભાઈ મલાતજવાળા મળ્યા. તેઓએ મહારાજશ્રીને નળકાંઠા આવવા કહ્યું. બીજા એક ભાઈ છગનભાઈ દેસાઈ એમને માણકોલ લઈ ગયા. આ પ્રદેશમાં સ્ત્રીઓને ઉપાડી જવાના, વેર લેવા માટે બીજાની ઘાસની ગંજીઓ બાળવાના વગેરે ઘણા બનાવો બનતા. વેપારીઓ ગરીબ વર્ગનું શોષણ કરતા. પાણીની ઘણી તકલીફ એટલે નપાણિયા વિસ્તાર તરીકે આ પ્રદેશ ઓળખાતો. માણસો નદીના કોરા પટમાં વીરડા ગાળે અને છાલિયાથી પાણી ભરે. પોતાના વીરડામાંથી કોઈ પાણી ન લઈ જાય એટલા માટે એના ઉપર ખાટલો ઢાળી આખી રાત સૂઈને રખોપું કરતા. આ બાજુ દારૂ, શિકાર, માંસાહાર વ્યાપક પ્રમાણમાં હતાં. મહારાજશ્રીએ પહેલાં બધાંને નિર્વ્યસની બનાવવાની ઝુંબેશ ઉપાડી. ચા ન પીવાની તેઓ પ્રતિજ્ઞા લેવડાવતા. આઝાદીની લડતના એ દિવસોમાં ચાનો વિરોધ ઘણો થતો. (કોફી ત્યારે હજુ પ્રચલિત થઈ નહોતી.) રવિશંકર મહારાજ કહેતા કે ભાલ-નળકાંઠાના લોકો સંતબાલજીને ત્યારે “સાવાળા' (ચાવાળા) મહારાજ તરીકે ઓળખતા. વળી મહારાજશ્રીએ માણકોલ ગામે સાત હજાર કોળી પટેલોનું સંમેલન ભરીને તેઓને પોતાનું બંધારણ ઘડી આપ્યું હતું. અને તેઓને “લોકપાલ પટેલ” એવું સંસ્કારી નામ આપ્યું હતું. મહારાજશ્રી વિહાર કરતા હોય ત્યારે કેટલાંયે ગામોમાં બે કુટુંબો વચ્ચે, શ્રેષ્ઠીઓ વચ્ચે, મિત્રો વચ્ચે દુશ્મનાવટ થઈ હોય તો તેવા પ્રશ્નોનું નિરાકરણ બંને પક્ષને પ્રેમથી સમજાવીને કરી આપતા. મહારાજશ્રીએ પોતાનાં જીવનનાં ઉત્તમ વર્ષો આ ભાલ-નળકાંઠા પ્રદેશને સુધારવામાં આપ્યાં હતાં. એનું પરિણામ પણ સારું આવ્યું હતું. આ વિસ્તારમાં લોકોના, વિશેષતઃ ખેડૂતોના ઉત્કર્ષ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002059
Book TitleSamprat Sahchintan Part 15
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Biography
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy