SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જિનતત્ત્વ ૨૮ તે ઘણી જ ઊંચી કોટિનો છે. સમગ્ર વિશ્વનાં રોજિંાં સુખશાંતિને માટે તે જેમ ઉપયોગી છે તેમ વ્યક્તિની આધ્યાત્મિક સાધનાને માટે પણ ઉપયોગી છે. ‘દરેક જીવને જીવવું ગમે છે અને કોઈને મરવું ગમતું નથી. માટે કોઈ પણ જીવને મારવો નહિ.' અહિંસાનું ભગવાન મહાવીરે આપેલું આ સર્વમાન્ય સૂત્ર છે. પરંતુ બધા જીવો એકસરખા નથી. માણસ, ગાય, પક્ષી, માખી, વાંદો કે કીડી એ દરેકને મારી નાખવાનું પાપ એકસરખું ન હોઈ શકે, કારણ કે ઇન્દ્રિયો અને ચિત્તનો વિકાસ બધાંમાં એકસરખો નથી હોતો. એવી રીતે મનુષ્યમાં પણ બાળક, વૃદ્ધ, ગર્ભવતી સ્ત્રી, દુર્જન, સંતમહાત્મા એ દરેકની હત્યાનું પાપ પણ એકસરખું ન હોઈ શકે. વળી હત્યા કરનાર દરેકના મનના આશય અને ભાવો એકસરખા નથી હોતા. બીજા જીવોને પોતાના દ્વારા પ્રતિકૂળતા થવી કે બીજાના મનને દૂભવવું ત્યાંથી માંડીને ઘોર હત્યા કરવી ત્યાં સુધીનું ક્ષેત્ર હિંસાનું ગણાયું છે. પરિણામે હિંસાની તરતમતા અનંત કોટિની હોઈ શકે. પ્રેમ અને કરુણા એ મનુષ્યના નૈસર્ગિક ગુણો છે. એ જેમ વધુ સતેજ બને તેમ મનુષ્યની અહિંસાની ભાવના સ્થૂલમાંથી સૂક્ષ્મ તરફ ગતિ કરે. મનુષ્યમાં રહેલાં પ્રેમ અને કરુણા માત્ર પોતાનાં કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, જ્ઞાતિ, ધર્મ કે સમુદાયનાં મનુષ્યો પૂરતાં જ સીમિત ન રહેવાં જોઈએ. માનવપ્રેમ જગતના તમામ માનવો સુધી વિસ્તરવો જોઈએ. પોતાનો દ્વેષ કે ધિક્કાર કરનાર દુશ્મનને પણ જે સાચી રીતે ચાહી શકે તેની ભાવના તેટલી ઊંચી. કેટલાંક માણસોનો પ્રેમ મનુષ્ય ઉપરાંત માત્ર પાળેલાં પ્રાણીઓ સુધી વિસ્તરે છે. એથી આગળ વધી કેટલાંક માણસો હિંસક કે અહિંસક એવાં તમામ પશુપક્ષીઓને ચાહે છે; પણ નાનાં જીવજંતુઓને મારવામાં તેમને કશું જ પાપ જણાતું નથી. તો બીજાં કેટલાંક એથી પણ આગળ વધી નાનામાં નાના એકેન્દ્રિય જીવોની પણ હિંસા ન થાય તેવી રીતે પોતાનો જીવનવ્યવહાર ગોઠવે છે. હવા, પાણી, માટી વગેરેમાં રહેલા સૂક્ષ્મ જીવોનો વિચાર કરીએ તો હિંસા વિના એક ક્ષણ પણ જીવન ન ટકી શકે. એટલે જ અલ્પતમ હિંસાનું ધ્યેય સ્વીકારાયું છે. કેટલાક વિદ્યાર્થીઓ જેમ આગળ ભણે અને પાછળનું ભૂલે, તેમ કેટલાંક માણસો અહિંસાની ભાવનામાં નાનામા નાના જીવો પ્રતિ પહોંચે છે, પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy