SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ લોગસ્સ સૂત્ર પણ સરસ રીતે ગૂંથી લેવાયા છે. તે પ્રત્યેક શબ્દમાં ઘણો ઘણો અર્થવિસ્તાર કરવાની ક્ષમતા રહેલી છે. લોગસ્સમાં તીર્થંકર માટેના શબ્દો ઉપરાંત કિત્તિય, વંદિય, મહિયા, અભિક્ષુઆ અને પર્સીયંતુ, આરુગ્ગ, બોહિલાભં, સમાહિવર, સિદ્ધ વગેરે શબ્દો પણ અર્થસૂચક રીતે યથાક્રમે પ્રયોજાયા છે. તે દરેકનો પણ ઠીક ઠીક અર્થવિસ્તાર થાય છે. ચોવીસ તીર્થંકરોનું નામસ્મરણ, સ્તવન, ધ્યાન આટલું બધું કેમ મહત્ત્વનું મનાયું છે તે આ શબ્દોના અર્થવિસ્તાર દ્વારા અનુપ્રેક્ષા કરીએ તો સહજ પ્રતીત થશે ! અલબત્ત, ચોવીસ તીર્થંકરોની એટલે કે અર્હત્ તત્ત્વની, આર્હત્ત્વની ઉપાસના ક૨વાની પાત્રતા મળવી એ જ ઘણી દુર્લભ વાત છે. ૩૫૯ લોગસ્સ સૂત્રની સાત ગાથાઓમાંથી પહેલી ગાથા મંગલાચરણની છે. તેમાં સૂત્રકાર તીર્થંકરોની સ્તુતિ કરવાની પોતાની પ્રતિજ્ઞા દર્શાવે છે. પછીની ત્રણ ગાથા ચોવીસ તીર્થંકરોનાં નામસંકીર્તનની, ભાવવંદનની ગાથાઓ છે. આ ગાથાઓ મંત્રગાથા તરીકે ઓળખાય છે. વંદન, પૂજન તથા પ્રાર્થના-યાચનાની છેલ્લી ત્રણ ગાથાઓ પ્રણિધાનની અનુપ્રેક્ષાની ગાથાઓ છે. - લોગસ્સની પાંચમી ગાથામાં કહ્યું કે ‘મેં આ રીતે પ્રભુ પ્રત્યે અભિમુખ થઈને, એકાગ્ર ચિત્તથી ચોવીસ જિનવરોની સ્તુતિ કરી છે. તેઓ મારા ઉપર પ્રસન્ન થાઓ !' લોગસ્સની છઠ્ઠી ગાથામાં કહ્યું છે કે ‘લોકોમાં ઉત્તમ પ્રકારે સિદ્ધ થયા છે તેઓનું મેં કીર્તન કર્યું છે. મન, વચન અને કાયાના યોગથી વંદન કર્યું છે. તેઓ મને આરોગ્ય, બોધિલાભ અને સમાધિ આપો.' Jain Education International અહીં આરોગ્ય અને સમાધિ દ્રવ્યથી અને ભાવથી એમ ઉભય પ્રકારે છે અને દ્રવ્ય આરોગ્ય ભાવ આરોગ્ય માટે જ છે અને દ્રવ્ય સમાધિ ભાવ સમાધિ માટે જ છે. સાતમી ગાથામાં સિદ્ધ પદ આપવા માટે પ્રાર્થના છે. આમ, લોગસ્સ સૂત્રમાં સ્પષ્ટ શબ્દોમાં તીર્થંકર પરમાત્મા પાસે યાચના કરવામાં આવી છે. કોઈ પ્રશ્ન કરે કે તીર્થંકર પરમાત્મા તો રાગદ્વેષથી રહિત છે. આ ચોવીસે તીર્થંકરો હવે તો સિદ્ધસ્વરૂપે છે. તેઓ કશું આપે નહિ અને તેઓ કશું લે પણ નહિ, તો પછી તેમની પાસે માગવાનો અર્થ શો ? તેનો ઉત્તર એ છે કે તીર્થંકરો કશું આપતા ન હોવા છતાં તેમના તીર્થંકરત્વમાં એટલું સામર્થ્ય છે કે એમની સાચી ભક્તિ કરનારા એવા અપૂર્વ ભાવોલ્લાસમાં આવી જાય છે અને એનાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002039
Book TitleJintattva Granth 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy